ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કાવ્યપદાર્થવાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.



કાવ્યપદાર્થવાદ (Objectivism) : ૧૯૩૦ની આસપાસ જ્યોર્જ ઓપન, લૂઈ ઝુકોવ્સ્કી, ચાર્લ્સ રેઝનીકોફ, લોરિન નીડેકર, વિલ્યમ કાર્લોસ વિલ્યમ્સ વગેરે દ્વારા પ્રચલિત થયેલો આ કાવ્યસંપ્રદાય સૈદ્ધાન્તિક ભૂમિકા, ઐતિહાસિક સંદર્ભ અને લેખકના આશયથી નિરપેક્ષ રીતે કાવ્યને માત્ર કલાપદાર્થ તરીકે જોવાનો આગ્રહ સેવે છે. અલબત્ત, એમની આ ઝુંબેશ બહુ પ્રચલિત ન બની. એમની રચનાઓ ‘એન ઓબ્જેક્ટિવિસ્ટસ્ એન્થલોજી’(૧૯૩૨)માં સંગ્રહિત છે. વિધાનને બદલે ‘વિચારો નહીં પણ વસ્તુઓ’ને કોઈપણ જાતની કવિની હાજરી વગર એમ ને એમ રજૂ કરવાનો તરીકો એમાં પ્રધાનસ્થાને છે. ચં.ટો.