ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્મારકગ્રન્થ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સ્મારકગ્રન્થ : સમર્થ લેખકના મૃત્યુ પછી એની સાંભરણ કે યાદગીરી રૂપે તૈયાર થયેલો ગ્રન્થ. એમાં એનાં અ-પ્રકાશિત લખાણોનો તેમજ એની પ્રભાવક કૃતિઓ પરના અન્ય દ્વારા થયેલા આસ્વાદ-અભ્યાસોનો સંચય હોઈ શકે છે. આ ગ્રન્થ જે તે સાહિત્યકારના પ્રભાવને અને એની ઐતિહાસિક મહત્તાને પ્રગટ કરે છે. ગુજરાતી સાહિત્યમાં ગોવર્ધનરામ ત્રિપાઠી પર તૈયાર થયેલો ‘ગોવર્ધનરામ શતાબ્દી સ્મારકગ્રન્થ’ એનું ઉદાહરણ છે. ચં.ટો.