zoom in zoom out toggle zoom 

< પરમ સમીપે

પરમ સમીપે/૧૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૫

સાધકો તીર્થોમાં ઈશ્વરને શોધતા ફરે છે, પણ તેઓ જાણતા નથી કે તેઓ જ તે છે.... હે આત્મા, તું જ પરમાત્મા છે. પરમાત્મા આપણી અંદર જ વ્યાપ્ત છે. તમે જેટલા પોતાની જાતથી અળગા થતા જશો, એટલું જ લીલું ઘાસ દેખાશે.

મેં જે કાંઈ કર્મ કર્યાં તે પૂજા છે, મેં જે પણ કાંઈ કહ્યું તે મંત્ર છે. હું પૂજા અને મંત્રનું પ્રતીક બની ગઈ છું. શાસ્ત્રનું આ જ સારતત્ત્વ છે.

હું જે કાંઈ કામ કરી શકું તેની પૂર્તિની જવાબદારી મારી જ ઉપર છે, પણ અર્જન અને ફળ બીજાના હાથમાં છે. હું જો નિષ્કામ ભાવથી કર્મો પરમાત્મા-મહાદેવનાં ચરણોમાં સમર્પિત કરી દઉં, તો હું જ્યાં પણ જઈશ ત્યાં દરેક સ્થિતિમાં તે મારી સાથે જ રહેશે.

મને કોઈ હજાર ગાળ ભલે દે, મારા હૃદયમાં પરમ શિવની નિર્મળ ભક્તિ હશે તો મારા ચિત્તમાં અશાંતિ ક્યારેય નહિ પ્રવેશે. શ્વાસની રજથી દર્પણની સ્વચ્છતા થોડી જ નાશ પામે છે?

આત્મજ્ઞાન જ સર્વશ્રેષ્ઠ પ્રકાશ છે. આત્મામાં લીન રહેવું તે જ પરમ પવિત્ર તીર્થ છે. પરમાત્મા જ સર્વોત્તમ બંધુ છે. ઈશ્વરમય થવું તે પરમ સુખ છે.

સમુદ્રમાં કાચા તાંતણા વડે નાવ ખેંચી રહી છું. મારા પરમ પ્રિયતમ પ્રભુ સાંભળશે, તો મને પાર ઉતારશે.

લલ્લેશ્વરી