બારી બહાર/સર્જક-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
Prahlad-Parekh.jpg


પ્રહ્લાદ જેઠાલાલ પારેખ

(જ.૨૨, ઑક્ટોબર ૧૯૧૧ – અવ. ૨, જાન્યુઆરી ૧૯૬૨)

ગાંધી-વિચાર-સંવેદના ધરાવતી દક્ષિણામૂર્તિ શાળા (ભાવનગર)માં અભ્યાસ કરીને પછી ૧૯૩૦ની આઝાદીની ચળવળમાં ભાગ લઈ જેલવાસ પણ કરનાર પ્રહલાદ પારેખની કવિતામાં ગાંધી-પ્રેરિત માનવ-કરુણા તો છે જ, પરંતુ એમની કવિતા સમાજ-અભિમુખ રહેવાને બદલે સૌંદર્ય-અભિમુખ બને છે –એ એનો વિશેષ છે. એમની ૨૨ની વયે ચાર વરસ એ શાંતિનિકેતનમાં, રવીદ્રનાથના સાન્નિધ્યમાં રહે છે, એ એમની કવિતાની દિશા બદલવામાં નિર્ણાયક બને છે. ત્યાંથી આવીને એ જીવનભર શિક્ષક રહે છે –પહેલાં ભાવનગરમાં પછી ઘણો વખત મુંબઈમાં. ત્યાં જ ૫0ની વયે એમનું અવસાન. એમનો મહત્ત્વનો કાવ્યસંગ્રહ ‘બારી બહાર‘. એ ઉપરાંત એમણે ‘સરવાણી‘ નામે ગીતસંગ્રહ આપ્યો. બાળકો માટે કાવ્યો અને વાર્તાઓ લખી. (જે અપ્રગટ છે.) એ ઉપરાંત એમણે ભાઈબહેનના શૈશવનું નિરૂપણ કરતી એક સળંગ ગદ્યકથા પણ પ્રકાશિત કરેલી.