ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/સુરેન્દ્રદત્ત અને સુભદ્રાનો પરિતાપયુક્ત સંવાદ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સુરેન્દ્રદત્ત અને સુભદ્રાનો પરિતાપયુક્ત સંવાદ
પછી ધમ્મિલ્લની પુત્રવત્સલ માતા દીર્ઘ નિઃશ્વાસ નાંખીને ‘હા પુત્ર! હા પુત્ર!’ એ પ્રમાણે વિલાપ કરીને રોવા લાગી ત્યારે સાર્થવાહે તેને કહ્યું, ‘હે પુત્રવત્સલ સ્ત્રી! હવે શું કામ રડે છે? તે દિવસે હું કહેતો હતો એ તો તેં સાંભળ્યું નહીં.’ ત્યારે રડતાં રડતાં એ સ્ત્રીએ કહ્યું, ‘પુત્રવાત્સલ્યથી ઊભરાતા હૃદયવાળી મેં કંઈ ન જાણ્યું. અહો! મેં મારા આત્માને છેતર્યો!’ સાર્થવાહે કહ્યું, ‘અહો પુત્રવત્સલ સ્ત્રી! તું ભોળી છે; તેથી માથે ઘાસનો ભારો લઈને બળતા તરફ ગઈ. માટે શોક ન કર...’