યાત્રા/નયન નિમીલિત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
નયન નિમીલિત

નયન નિમીલિત તારાં
          શાં ખોલે જગ રઢિયાળાં!

દશ દિશ ઢૂંઢત જે ન મળ્યું તે
          પાંપણ પૂંઠ વસ્યું શું?
ઝંઝાઝપટે જે ન જડ્યું તે,
          સ્થિર શિખરે જ ઠર્યું શું?

વખરીનાં શત શર ન વીંધે જે
          મૌન થકી સાધ્યું શું?
બાહુનાં બળ જે ના જીત્યાં તે
          કરસંપુટ લાધ્યું શું?

એ મનના રથ ખેડણહારા,
          અશ્વ મૂક્યા છોડી શું?
કોઈ પવનની પાવડી સંગે
          પ્રીત અચલ જોડી શું?

કહે, અધીર અજંપાનાં અમ
          તરણાં પળ પળ તલસે,
નયન જરા ખાલી દે તારાં;
          છે વૈશ્વાનર વરસે.


ફેબ્રુઆરી, ૧૯૪૪