સાહિત્ય પલ્લવ – ભાગ ૧/મીઠો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
મીઠો

[મીઠાની આ કવિતા કૃષ્ણની મોરલી સાંભળતાં વ્રજનારીઓ અને કુદરત ઉપર થયેલી અસરનું વર્ણન કરે છે. કાવ્યનો ઉઠાવ અતિ સુન્દર છે. આ જાતનાં મોરલીની અસરનાં કાવ્યો આપણા જૂના સાહિત્યમાં અનેક છે. બધામાં કેટલીક વસ્તુ સામાન્ય હોય છે; જેમકે, મોરલી સાંભળતાં નદીઓનાં નીર થંભી ગયાં, આકાશમાં ચંદ્ર થંભી ગયો, હરણાં તૃણ ખાવું છોડી દઈ દોડી આવ્યાં, વગેરે. આ કાવ્યમાં પણ એ પ્રકારનું વર્ણન છે. આની સાથે ભાલણનું ‘મોરલી રસાલ’ સરખાવો. ૧. નૌતમ—નવીન, સંસ્કૃત नवतम ઉપરથી. ૫. અષ્ટકુળ પર્વત—મહેન્દ્ર, મલય, સહ્ય વગેરે પર્વતો. સંસ્કૃતમાં કુલપર્વતો સાત ગણ્યા છે:

महेन्द्रो मलयः सह्यः शुक्तिमान् ऋक्षपर्वतः ।
विन्ध्यश्च पारियात्रश्च सप्तैते कुलपर्वताः ॥

નવકુળ નાગ— સંસ્કૃતમાં કુલ નાગ આઠ ગણાય છે: અનંત, વાસુકિ, શેષ, પદ્મનાભ, કંબલ, શંખમાલ, તક્ષક અને કાલીય. ગુજરાતીમાં ધૃતરાષ્ટ્ર ઉમેરાયો છે, અને એમ નવકુલનાગ ગુજરાતીમાં લેખાય છે. ૮. વછ—(વત્સ) વાછરડાં. વલંભિયાં— થંભ્યાં, રોકાયાં; એ ઉપરથી વલભાઈને એટલે રોકાઈને (‘જુઓ પંક્તિ ૧૨મી). ૧૩. વા નવ... –વનવેલીઓ બધી સ્થિર છે, અને તેના પર ફળફૂલ એકાએક ફૂટી નીકળ્યાં. ૧૪. વેંધાઈ-વીંધાઈ. ૧૪. વણબેલડી—એકલી, સાથ વિના. ૧૪. કુળ-શૂળ— કુળને શૂળ જેવી, કુળના કલંકરૂપ. ૧૭. ઓગનિયા—કાનનાં ઘરેણાં.]