સાહિત્ય પલ્લવ – ભાગ ૩/અવતાર અબળા તણો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૮. અવતાર અબળાતણો

નરસિંહ

સારમાં સાર અવતાર અબળા તણો, જે બળે બળિભદ્રવીર રીઝે;
પુરુષ પુરુષાતન શું કરું, હે સખી, જેથી નહિ માહરું કાજ સીજે? સાર૦
મુક્તિ પર્યંત તો પ્રાપ્તિ છે પુરુષને, સત્ય જો સેવકભાવ રાખે;
રસભર્યું રુસણું નાથ નોહરા કરે, તે નહિ નારી અવતાર પાખે. સાર૦
ઇન્દ્ર આદિક, અજ, ઈશ ને મહામુનિ ગોપિકા ચરણરજ તેહ વંદે;
ગોપીથી આપનું અધમપણું લેખવે, નરપણું નવ રુચે આપ નંદે. સાર૦
વેદ વેદાંત ઉપનિષદો ખટ મળી જે મથીને રસ પ્રગટ કીધો;
તે રસ ભાગ્યનિધિ ભામની ભોગવે, અહોનિશ અનુભવ સંગ લીધો. સાર૦
સ્વપ્ન સાચું કરે, ગિરિધર શામળો, પ્રણમું હું પ્રાણપતિ પાણ જોડી;
પંથનું જેમ પશુ, પૂંઠળ વળગ્યું ફરે નરસૈંના નાથજી નાથ તોડી. સાર૦