સાહિત્ય પલ્લવ – ભાગ ૩/માગું જનમોજનમ અવતાર રે
૭. માગું જનમોજનમ અવતાર રે
નરસિંહ
ભૂતળ ભક્તિ પદારથ મોટું બ્રહ્મલોકમાં નાહી રે;
હરિના જન તો મુક્તિ ના માગે, માગે જન્મોજન્મ અવતાર રે;
ભરતખંડ ભૂતળમાં જનમી, જેણે ગોવિંદના ગુણ ગાયા રે;
ધન વૃંદાવન ધન એ લીલા, ધન એ વ્રજના વાસી રે;
એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક જોગી રે;