સાહિત્ય પલ્લવ – ભાગ ૩/અવસાન સંદેશ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩. અવસાન સંદેશ

નર્મદ

[પદ]

નવ કરશો કોઈ શોક, રસિકડાં, નવ કરશો કોઈ શોક. ટેક
યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી. રસિ૦
પ્રેમી અંશને રુદન આવશે, શઠ હરખાશે મનથી. રસિ૦
મર્મ ન સમજે બકે શંખ શઠ, વાંકુ ભણે બહુ પણથી. રસિ૦
એક પીડમાં બીજી ચીડથી, જલશે જીવ અગનથી. રસિ૦
હતો દુખિયો થયો સુખિયો, સમજો છૂટ્યો રણથી. રસિ૦
મૂઓ હું, તમે પણ મરશો, મુક્ત થશો જગતમથી. રસિ૦
હરિકૃપાથી મમ લેખચિત્રથી જીવતો છઉં હું દમથી. રસિ૦
વીર સત્ય ને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી. રસિ૦
જુદાઈ દુ:ખ તે નથી જ જવાનું, જન્મે માત્ર મરણથી. રસિ૦
મરણ પ્રેમીને ખચીત મોડું છે, દુઃખ વધે જ રુદનથી. રસિ૦
જગત નીમ છે જનન મરણનો, દૃઢ રહેજો હિંમતથી. રસિ૦
મને વિસારી રામ સમરજો, સુખી થાશો એ લતથી. રસિ૦

સ્વાધ્યાય

૧. ‘શરદ’માં કવિ કુદરતના કયા કયા ફેરફાર નોંધે છે?
૨. ‘હિન્દદેશ’ માટેના કવિના અભિપ્રાય જણાવો.
૩. મૃત્યુ વિષે નર્મદનો શો ખ્યાલ છે?
૪. આ ત્રણ કાવ્યોમાંથી જીભને ટેરવે રમી રહે એવી પંક્તિઓ કઈ કઈ?
૫. વર્ણસગાઈની દૃષ્ટિએ આ ત્રણમાંથી કયું કાવ્ય આગળ તરી આવતું માલૂમ પડે છે?