સોરઠી સંતવાણી/અભયભાવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અભયભાવ

ભગતી હરિની પદમણી પ્રેમદા, પાનબાઈ!
રહે છે હરિની જોને પાસ,
ઈ રે ભક્તિ ક્યારે ઉરમાં આવે
જ્યારે થાય સદ્ગુરુની દાસ — ભગતી.
એવાં રે લક્ષણ સાંભળતાં, પાનબાઈ!
અભય ભાવ ચિતમાં પ્રગટાય — ભગતી.
ભાઈ રે! સતગુરુ વચનમાં સુરતાને રાખો,
તો તો હું ને મારું મટી જાય,
નિંદા ને સ્તુતિ જ્યારે સમતુલ્ય ભાસે
ત્યારે અભય ભાવ કે’વાય. — ભગતી.
ભાઈ રે! એવા અભયભાવ વિના ભગતી ન આવે, પાનબાઈ!
મરને કોટિ કરે ઉપાય,
ગંગા રે સતી એમ બોલિયાં રે
તે વિના જીવ પણ નૈ જાય. — ભગતી.

[ગંગાસતી]