અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/કવિતા : વસ્તુ અને વ્યાકરણ (થોડીક વિચારણા): Difference between revisions

no edit summary
No edit summary
Tag: Reverted
No edit summary
Tag: Manual revert
 
Line 7: Line 7:
કાવ્યમીમાંસામાં કાવ્યને કોઈ ગૂઢ, જાદુઈ શક્તિના આવિષ્કારરૂપ ગણવા સાથે ભાષામાં તેના અવતાર પરત્વે, કાવ્યકૃતિના અન્ય ઉદ્દભવહેતુ વિશે પણ વિચારણા કરવામાં આવી છે. કાવ્યને જાદુ કે ચમત્કાર ગણવા પાછળ તેના ઉદ્ભવની ગૂઢતા અને તેની અસરની અસાધારણતા, વિશિષ્ટતા કારણભૂત હશે. કાવ્યસર્જનના મૂળમાં રહેલી શક્તિ, પ્રતિભા કે કલ્પનાના સ્વીકાર સાથે ભાષામાં તેની નિર્મિતિની સામગ્રી, પ્રક્રિયા અને ઘટક અંશો સંબંધી શાસ્રરચના થઈ છે. કાવ્યશાસ્ત્ર આમ કાવ્યનાં વસ્તુ અને વ્યાકરણ બંનેને આવરી લેતું હોઈ કાવ્યકૃતિની વિવેચના બંને અંગોને અનુલક્ષીને થાય તો જ પરિપૂર્ણ, કાવ્યસમગ્રનું આક્લન કરનારી બને. બેમાંથી એકની ઉપેક્ષા થાય, વ્યાકરણી વસ્તુને ન ગણે ને વસ્તુવાદી વ્યાકરણને ન જાણે તો કવિતાવિચાર અધૂરો રહે, કવિતાની સમજ એકાંગી બને. કાવ્યને તેની અખિલાઈમાં પામવું હોય તો તેનાં વસ્તુ અને વ્યાકરણ બંનેને પામવાનાં રહે. આ પરિસ્થિતિ અને પરિણામના સંદર્ભમાં જ કાવ્યમાં શબ્દ અને અર્થના સહિતત્વની વાત સ્વીકાર્ય અને સુસંગત થાય.
કાવ્યમીમાંસામાં કાવ્યને કોઈ ગૂઢ, જાદુઈ શક્તિના આવિષ્કારરૂપ ગણવા સાથે ભાષામાં તેના અવતાર પરત્વે, કાવ્યકૃતિના અન્ય ઉદ્દભવહેતુ વિશે પણ વિચારણા કરવામાં આવી છે. કાવ્યને જાદુ કે ચમત્કાર ગણવા પાછળ તેના ઉદ્ભવની ગૂઢતા અને તેની અસરની અસાધારણતા, વિશિષ્ટતા કારણભૂત હશે. કાવ્યસર્જનના મૂળમાં રહેલી શક્તિ, પ્રતિભા કે કલ્પનાના સ્વીકાર સાથે ભાષામાં તેની નિર્મિતિની સામગ્રી, પ્રક્રિયા અને ઘટક અંશો સંબંધી શાસ્રરચના થઈ છે. કાવ્યશાસ્ત્ર આમ કાવ્યનાં વસ્તુ અને વ્યાકરણ બંનેને આવરી લેતું હોઈ કાવ્યકૃતિની વિવેચના બંને અંગોને અનુલક્ષીને થાય તો જ પરિપૂર્ણ, કાવ્યસમગ્રનું આક્લન કરનારી બને. બેમાંથી એકની ઉપેક્ષા થાય, વ્યાકરણી વસ્તુને ન ગણે ને વસ્તુવાદી વ્યાકરણને ન જાણે તો કવિતાવિચાર અધૂરો રહે, કવિતાની સમજ એકાંગી બને. કાવ્યને તેની અખિલાઈમાં પામવું હોય તો તેનાં વસ્તુ અને વ્યાકરણ બંનેને પામવાનાં રહે. આ પરિસ્થિતિ અને પરિણામના સંદર્ભમાં જ કાવ્યમાં શબ્દ અને અર્થના સહિતત્વની વાત સ્વીકાર્ય અને સુસંગત થાય.
કાવ્યસર્જનની પ્રેરણાની ક્ષણો સંબંધમાં, એ પ્રેરણાની ભૂમિ સંબંધમાં ગૂઢતાનો ખ્યાલ સેવવામાં આવે છે; કારણ કે સર્જનમાત્રને આવિષ્કરણ પ્રતિ પ્રેરનારી શક્તિની ભાળ આપણને મળતી નથી. આપણે જેને પ્રતિભા, શક્તિ કે કલ્પના કહીએ છીએ તેનું પ્રવર્તન તો સર્જાતી કૃતિમાં સાદ્યંત હોય છે, હોવું જોઈએ. કાવ્યનાં આંતરબાહ્ય સર્વ અંગોમાં એનો સ્પર્શ વરતાય છે, વરતાવો જોઈએ. એના વિના કૃતિ કાવ્ય નામને પાત્ર બનતી નથી. એટલે એમ સમજાય છે કે એ ગૂઢ શક્તિ જ કાવ્યકૃતિમાં આરંભથી પરિણામ સુધી વ્યક્ત થતી રહે છે. એના પ્રવર્તનના આરંભને છેડે જે ગૂઢતાનું તત્ત્વ અનુભવાય છે તેને શાસ્ત્રમાં કે વ્યાકરણમાં બાંધીને સમજવાનું મુશ્કેલ છે. જીવનવિચારમાં આપણાં દર્શનો સંબંધમાં જેમ કહેવાનું થાય છે કે પરમ તત્ત્વ તો ક્યાંક એ દર્શનોની પાર છે, બાવનબાહેરું છે, નેતિ નેતિ કહેવડાવે છે એવું છે તેમ કાવ્યશાસ્ત્ર સંબંધમાં પણ એમ કહેવાનું થાય છે કે સર્જનની આ શક્તિ શાસ્ત્રની પાર છે, ગૂઢ છે, કૂટસ્થ છે. આથી કાવ્યનાં બધાં આંતરબાહ્ય તત્ત્વોને વ્યાખ્યાવર્ણનમાં બાંધીને તેમને આપણી બુદ્ધિની પક્ડમાં લાવી આપવાનો પુરુષાર્થ કરનાર કાવ્યમર્મજ્ઞો પણ કાવ્યના આ ગૂઢતાના તત્ત્વનો માત્ર સ્વીકાર કરીને રહી જાય છે, એને વ્યાખ્યાવર્ણનમાં ઉતારી શકતા નથી. એને ઓળખવાની શક્તિ કાવ્યમર્મજ્ઞમાં છે, પણ ઓળખાવવાની નથી. વાલેરી જેવા, કાવ્યસર્જનની પ્રક્રિયા પરત્વે સદા સભાન વિવેચકને એટલે જ વ્યાકરણની બહારની પેલી વસ્તુને ઓળખીને જ રહી જવું પડે છે. તેઓ કહે છે :  
કાવ્યસર્જનની પ્રેરણાની ક્ષણો સંબંધમાં, એ પ્રેરણાની ભૂમિ સંબંધમાં ગૂઢતાનો ખ્યાલ સેવવામાં આવે છે; કારણ કે સર્જનમાત્રને આવિષ્કરણ પ્રતિ પ્રેરનારી શક્તિની ભાળ આપણને મળતી નથી. આપણે જેને પ્રતિભા, શક્તિ કે કલ્પના કહીએ છીએ તેનું પ્રવર્તન તો સર્જાતી કૃતિમાં સાદ્યંત હોય છે, હોવું જોઈએ. કાવ્યનાં આંતરબાહ્ય સર્વ અંગોમાં એનો સ્પર્શ વરતાય છે, વરતાવો જોઈએ. એના વિના કૃતિ કાવ્ય નામને પાત્ર બનતી નથી. એટલે એમ સમજાય છે કે એ ગૂઢ શક્તિ જ કાવ્યકૃતિમાં આરંભથી પરિણામ સુધી વ્યક્ત થતી રહે છે. એના પ્રવર્તનના આરંભને છેડે જે ગૂઢતાનું તત્ત્વ અનુભવાય છે તેને શાસ્ત્રમાં કે વ્યાકરણમાં બાંધીને સમજવાનું મુશ્કેલ છે. જીવનવિચારમાં આપણાં દર્શનો સંબંધમાં જેમ કહેવાનું થાય છે કે પરમ તત્ત્વ તો ક્યાંક એ દર્શનોની પાર છે, બાવનબાહેરું છે, નેતિ નેતિ કહેવડાવે છે એવું છે તેમ કાવ્યશાસ્ત્ર સંબંધમાં પણ એમ કહેવાનું થાય છે કે સર્જનની આ શક્તિ શાસ્ત્રની પાર છે, ગૂઢ છે, કૂટસ્થ છે. આથી કાવ્યનાં બધાં આંતરબાહ્ય તત્ત્વોને વ્યાખ્યાવર્ણનમાં બાંધીને તેમને આપણી બુદ્ધિની પક્ડમાં લાવી આપવાનો પુરુષાર્થ કરનાર કાવ્યમર્મજ્ઞો પણ કાવ્યના આ ગૂઢતાના તત્ત્વનો માત્ર સ્વીકાર કરીને રહી જાય છે, એને વ્યાખ્યાવર્ણનમાં ઉતારી શકતા નથી. એને ઓળખવાની શક્તિ કાવ્યમર્મજ્ઞમાં છે, પણ ઓળખાવવાની નથી. વાલેરી જેવા, કાવ્યસર્જનની પ્રક્રિયા પરત્વે સદા સભાન વિવેચકને એટલે જ વ્યાકરણની બહારની પેલી વસ્તુને ઓળખીને જ રહી જવું પડે છે. તેઓ કહે છે :  
'It is not that something more is not needed to make a poet, some virtue which cannot be broken down, which cannot be analysed into definable actions and hours of work. Pegasus-power and Pegasus-hours are not yet legal units of poetic force. There is a special, a kind of individual energy proper to the poet. It appears in him, and reveals him to himself at certain infinitely precious moments.'' {{right|(Art of Poetry, p. ૨૧૩)}}<br>
'It is not that something more is not needed to make a poet, some virtue which cannot be broken down, which cannot be analysed into definable actions and hours of work. Pegasus-power and Pegasus-hours are not yet legal units of poetic force. There is a special, a kind of individual energy proper to the poet. It appears in him, and reveals him to himself at certain infinitely precious moments.''  
{{right|(Art of Poetry, p. ૨૧૩)}}<br>
પણ ભાવકને કદાચ આ ગૂઢ શક્તિ કે પ્રતિભા સાથે સીધી નિસબત નથી; એને સીધી નિસબત તો એ પ્રતિભાના શબ્દમાં વિલસતા સ્પંદ સાથે છે, એ પ્રતિભાની ભાષામાં વિકસતી-વિસ્તરતી લીલા સાથે છે, એટલે કે કૃતિ સાથે છે. જે વ્યક્ત છે તે તો કૃતિ છે, પ્રતિભા નહીં. આપણું વિવેચન અને ખાસ કરીને તો સંસ્કૃતનું મોટા ભાગનું વિવેચન એક દૃષ્ટિએ કૃતિનિષ્ઠ વિવેચન છે. એ કૃતિના જુદા જુદા સર્જકઅંશોનું વિશ્લેષણ-સંયોજન કરે છે અને એમ કૃતિના હાર્દ સુધી પહોંચવા મથે છે. दर्शनात् वर्णनात् च विः એમ કહેવાયું તેમાં પણ દર્શનનો કે વર્ણનનો એકાંતિક મહિમા સ્વીકારાયો નથી. કવિમાં દર્શનની શક્તિ જેવી જોઈએ તેવી જ વર્ણનની પણ જોઈએ. ખરું કહીએ તો એમ કે દર્શનવર્ણનની શક્તિ એટલે કવિપ્રતિભા. કાવ્ય પરત્વે દર્શન વગ૨ જેમ વર્ણન મિથ્યા તેમ વર્ણન વગરનું દર્શન પણ નિરર્થક. કવિ દ્રષ્ટા હોય, પણ માત્ર દ્રષ્ટા ન હોય. જોવું એ એક વાત છે, ને ‘બતાવવું’ વળી બીજી જુદી જ વાત છે. કવિએ જુએ છે ને એના દર્શનને રમણીયતાની આભામાં બતાવે પણ છે. આ રમણીયતાની આભામાં બતાવવાનો પ્રયત્ન એ જ કવિકર્મ. એ કવિકર્મ ભાષા વડે અને ભાષામાં થાય છે એટલે એને ભાષાકર્મ કહીએ તો કહેવાય.  
પણ ભાવકને કદાચ આ ગૂઢ શક્તિ કે પ્રતિભા સાથે સીધી નિસબત નથી; એને સીધી નિસબત તો એ પ્રતિભાના શબ્દમાં વિલસતા સ્પંદ સાથે છે, એ પ્રતિભાની ભાષામાં વિકસતી-વિસ્તરતી લીલા સાથે છે, એટલે કે કૃતિ સાથે છે. જે વ્યક્ત છે તે તો કૃતિ છે, પ્રતિભા નહીં. આપણું વિવેચન અને ખાસ કરીને તો સંસ્કૃતનું મોટા ભાગનું વિવેચન એક દૃષ્ટિએ કૃતિનિષ્ઠ વિવેચન છે. એ કૃતિના જુદા જુદા સર્જકઅંશોનું વિશ્લેષણ-સંયોજન કરે છે અને એમ કૃતિના હાર્દ સુધી પહોંચવા મથે છે. दर्शनात् वर्णनात् च विः એમ કહેવાયું તેમાં પણ દર્શનનો કે વર્ણનનો એકાંતિક મહિમા સ્વીકારાયો નથી. કવિમાં દર્શનની શક્તિ જેવી જોઈએ તેવી જ વર્ણનની પણ જોઈએ. ખરું કહીએ તો એમ કે દર્શનવર્ણનની શક્તિ એટલે કવિપ્રતિભા. કાવ્ય પરત્વે દર્શન વગ૨ જેમ વર્ણન મિથ્યા તેમ વર્ણન વગરનું દર્શન પણ નિરર્થક. કવિ દ્રષ્ટા હોય, પણ માત્ર દ્રષ્ટા ન હોય. જોવું એ એક વાત છે, ને ‘બતાવવું’ વળી બીજી જુદી જ વાત છે. કવિએ જુએ છે ને એના દર્શનને રમણીયતાની આભામાં બતાવે પણ છે. આ રમણીયતાની આભામાં બતાવવાનો પ્રયત્ન એ જ કવિકર્મ. એ કવિકર્મ ભાષા વડે અને ભાષામાં થાય છે એટલે એને ભાષાકર્મ કહીએ તો કહેવાય.  
કવિ ભાષામાં કૃતિ રચે છે, દર્શનને વર્ણનમાં ઢાળવા પ્રેરાય છે એ હકીકત જ દર્શાવે છે કે કવિને ભાવકની અપેક્ષા રહે છે. ભાવકની અપેક્ષા એટલે જ પ્રત્યાયનની અપેક્ષા. એવું ન હોય તો કવિનું દર્શન એની એક અંગત બાબત જ રહી જાય. સહૃદયના ચિત્ત સુધી કવિનું દર્શન, એની અનુભૂતિ કે સંવેદન પહોંચે જ નહીં તો પેલા વર્ણનની કોઈ સાર્થકતા જ ન રહે. સર્જક અને ભાવક એકબીજાને ભાવ-પ્રતિભાવને નાતે મળે છે તે તો વર્ણનથી જ. પ્રતિભાવ વગર કવિના ભાવની સાર્થકતા નથી ને કવિકર્મની કૃતાર્થતા નથી. આ સંબંધમાં સાર્ત્રનાં વચનો ધ્યાનાર્હ છે. એ કહે છે:
કવિ ભાષામાં કૃતિ રચે છે, દર્શનને વર્ણનમાં ઢાળવા પ્રેરાય છે એ હકીકત જ દર્શાવે છે કે કવિને ભાવકની અપેક્ષા રહે છે. ભાવકની અપેક્ષા એટલે જ પ્રત્યાયનની અપેક્ષા. એવું ન હોય તો કવિનું દર્શન એની એક અંગત બાબત જ રહી જાય. સહૃદયના ચિત્ત સુધી કવિનું દર્શન, એની અનુભૂતિ કે સંવેદન પહોંચે જ નહીં તો પેલા વર્ણનની કોઈ સાર્થકતા જ ન રહે. સર્જક અને ભાવક એકબીજાને ભાવ-પ્રતિભાવને નાતે મળે છે તે તો વર્ણનથી જ. પ્રતિભાવ વગર કવિના ભાવની સાર્થકતા નથી ને કવિકર્મની કૃતાર્થતા નથી. આ સંબંધમાં સાર્ત્રનાં વચનો ધ્યાનાર્હ છે. એ કહે છે: