અનુનય/મારે જવું નથી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 00:51, 27 April 2024

મારે જવું નથી

એ ના સળંગ હોય તો મારે જવું નથી;
રસ્તાને અંત હોય તો મારે જવું નથી.

બોલાવતું બધુંય ગામ, તોય એમની
ખડકી જ બંધ હોય તો મારે જવું નથી.

પૃથ્વીની જેમ એમના દરિયાવ દિલમાં
નોખા જ ખંડ હોય તો મારે જવું નથી.

ખારું ઝરણ થઈને તો નીકળ્યો છું આંખથી,
ખારો જ અંત હોય તો મારે જવું નથી.

હું ચાલું તો ચાલે અને અટકું તો ઊભો રહે
એવો જ પંથ હોય તો મારે જવું નથી.

૨-૪-’૭૭