અન્વેષણા/સર્જક-પરિચય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 4: Line 4:


{{Poem2Open}}
{{Poem2Open}}
ભોગીલાલ સાંડેસરા આપણાં ગુજરાતી સાહિત્યના સંશોધક અને વિવેચક છે. તેમણે ભારતીય સંસ્કૃતિ, સંસ્કૃત-પ્રાકૃત-અર્ધમાગધી સાહિત્યસંદર્ભ, જૂની ગુજરાતી, મધ્યકાલીન સાહિત્ય, ગુજરાતનો ઇતિહાસ અને એની સંસ્કૃતિ, ભારતીય વિદ્યા અને પ્રાચ્યવિદ્યા વગેરે વિષયોમાં વ્યાપકરીતે વિદ્વત્તાથી કામ કર્યું છે. તેમનું લેખન વિવિધ સંદર્ભો અને ટિપ્પણોથી ભરપૂર છે. એટલે સંશોધક અભ્યાસીને એમના લેખનમાંથી સંશોધન માટેના સંદર્ભો મળશે.
'''સાંડેસરા, ભોગીલાલ જયચંદભાઈ (જ. 13 એપ્રિલ 1917, સંડેર, તા. પાટણ; અ. 18 જાન્યુઆરી 1995)''' : વિવેચક, સંપાદક. નિવાસ વડોદરા. જ્ઞાતિએ લેઉઆ પાટીદાર. બચપણથી મુનિશ્રી ચતુરવિજયજી અને એમના વિદ્વાન શિષ્ય પુણ્યવિજયજી પાસે સંસ્કૃત અને પ્રાકૃતનો અભ્યાસ કર્યો. તેરમાચૌદમા વર્ષથી લેખન-પ્રવૃત્તિ. 1935માં મૅટ્રિક. 1935-37 દરમિયાન ‘ગુજરાત સમાચાર’ અને ‘પ્રજાબંધુ’ના તંત્રીખાતામાં. 1941માં ગુજરાત કૉલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ.. 1943માં ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક વર્ગમાંથી એ જ વિષયોમાં એમ.એ.. 1943થી 1950 સુધી ભો. જે. વિદ્યાભવન, અમદાવાદમાં અર્ધમાગધીના અધ્યાપક-સંશોધક. 1950માં પીએચ.ડી.. 1950થી 1975 સુધી મ. સ. યુનિવર્સિટી, વડોદરામાં ગુજરાતી વિષયના પ્રાધ્યાપક અને અધ્યક્ષ. 1958થી 1975 સુધી પ્રાચ્ય વિદ્યામંદિરના નિયામક. 1955માં નડિયાદમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના 59મા અધિવેશનમાં ઇતિહાસ-પુરાતત્વવિભાગના પ્રમુખ. 1959માં ભુવનેશ્વરમાં મળેલ અખિલ ભારત પ્રાચ્યવિદ્યા પરિષદમાં પ્રાકૃત ભાષાઓ તેમજ જૈન ધર્મના વિભાગના પ્રમુખ. 1962-64 દરમિયાન ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ, ‘સ્વાધ્યાય’ ત્રૈમાસિકના સંપાદક.


ઇતિહાસ અને સાહિત્યવિષયક લેખનો એમનો ‘અન્વેષણા’ સંગ્રહ નોંધપાત્ર સંદર્ભસામગ્રીથી ખીચોખીચ ભરેલો છે. આ સંગ્રહમાં લેખકના બે વ્યાખ્યાનો, સંખ્યાબંધ રેડિયો વાર્તાલાપ તથા શબ્દચર્ચાવિષયક કેટલીક નોંધો છે. સંગ્રહમાંના આ લેખોનું વૈવિધ્ય જુઓ. અહીં ‘વેદ,ઋત અને વરુણ’, ‘ચૈત્યો અને વિહારો’, ‘શાન્તિપર્વ : રાજનૈતિક દ્રષ્ટિએ’, ‘ચૈત્યો અને વિહારો’, ‘પ્રાચીન ભારતમાં વહાણવટ અને નૌકાસૈન્ય’, ‘ભારત અને ચીન : પ્રાચીન સાંસ્કારિક સંપર્ક’, ‘પ્રાચીન ભારતમાં વહાણવટ અને નૌકાસૈન્ય’, ગુજરાત અને કાશ્મીર : પ્રાચીન સાંસ્કારિક સંપર્ક’, ‘અમદાવાદની પોળ : ઐતિહાસિક દ્રષ્ટીએ’, ‘શાંતિપર્વ : રાજનૈતિક દ્રષ્ટીએ’, ‘ભાષા અને વ્યાકરણ’, ‘ત્રિભુવનદીપકપ્રબંધ’, ‘કાન્હડદેપ્રબંધ’ વગેરે જેવાં ૪૨ લેખ છે. વિવિધ વિષયસંદર્ભો તપાસવા, સામગ્રીનું ચયન કરવું અને સામગ્રીને યોગ્ય સંદર્ભો સાથે ગોઠવવાની કળા શીખવતો આ સંગ્રહ આજે પણ મહત્ત્વૂર્ણ છે.
1956-57માં પશ્ચિમ અને પૂર્વના દેશોનો પ્રવાસ. 1953માં રણજિતરામ સુવર્ણચંદ્રક. 1962માં નર્મદ સુવર્ણચંદ્રક. 1988માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.
 
પ્રાચ્યવિદ્યા, ભારતીય વિદ્યા, ભારતીય સંસ્કૃતિ, સંસ્કૃત-પ્રાકૃત-અર્ધમાગધી સાહિત્યસંદર્ભ, જૂની ગુજરાતી, મધ્યકાલીન સાહિત્ય, ગુજરાતીનો ઇતિહાસ અને એની સંસ્કૃતિ વગેરે વિષયોમાં વ્યાપક વિદ્વત્તાથી આ લેખકે કામ કર્યું. ગુણદર્શી પ્રતિભાવ આપતું એમનું લેખન મુખ્યત્વે વસ્તુલક્ષી ગદ્યનો આશ્રય લે છે.
 
‘પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના’ (1941), ‘શબ્દ અને અર્થ’ (1954), ‘મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ તથા સંસ્કૃત સાહિત્યમાં તેનો ફાળો’ (1957), ‘પ્રદક્ષિણા’ (1959), ‘દયારામ’ (1960), ‘સંશોધનની કેડી’ (1961), ‘ઇતિહાસ અને સાહિત્ય’ (1966), ‘અન્વેષણા’ (1967), ‘અનુસ્મૃતિ’ (1973), ‘મુનિ જિનવિજયજી : જીવન અને કાર્ય’ (1978) એમનાં મૌલિક પુસ્તકો છે. ‘વાઘેલાઓનું ગુજરાત’ (1939), ‘ઇતિહાસની કેડી’ (1945), ‘જગન્નાથ પુરી અને ઓરિસાના પુરાતન અવશેષો’ (1951), ‘જૈન આગમ સાહિત્યમાં ગુજરાત’ (1952) એમનાં ઇતિહાસ-સંસ્કૃતિ-વિષયક ગ્રંથો છે. એમનાં સંપાદનોમાં સંઘવિજયકૃત ‘સિંહાસનબત્રીસી’ (1933), માધવકૃત ‘રૂપસુંદરકથા’ (1934), વીરસિંહકૃત ‘ઉષાહરણ’ (1938), મતિસારકૃત ‘કર્પૂરમંજરી’ (1941), ‘સત્તરમા શતકનાં પ્રાચીન ગૂર્જરકાવ્ય’ (1948), મહીરાજકૃત ‘નલદવદંતી રાસ’ (1954), ‘પ્રાચીન ફાગુ સંગ્રહ’ (1955), ‘વર્ણક સમુચ્ચય’ ભા. 1, 2 (1956, 1959), શ્રી સોમેશ્વરદેવ રચિત ‘ઉલ્લાસ-રાઘવ નાટકમ્’ (1961), યશોધરકૃત ‘પંચાખ્યાન બાલાવબોધ’ – ભા. 1 (1963), ‘મલ્લપુરાણ’ (1964), શ્રી સોમેશ્વરદેવરચિત ‘રામચરિતશતકમ્’ (1965), ગંગાધરપ્રણીત ‘ગંગાદાસપ્રતપવિલાસ-નાટકમ્’ (1973) અને અમૃતકલશકૃત ‘હમ્મીર પ્રબંધ’ (1973) મહત્વનાં છે.
 
સંઘદાસગણિકૃત ‘વસુદેવહિંડી’ (1946) પ્રાકૃતમાંથી એમણે આપેલો અનુવાદ છે.
 
{{સ-મ|||'''કીર્તિદા શાહ'''<br>[https://gujarativishwakosh.org/સાંડેસરા-ભોગીલાલ-જયચંદભા/ 'ગુજરાતી વિશ્વકોશ'માંથી સાભાર]}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Revision as of 12:53, 16 September 2023


સર્જક-પરિચય

સાંડેસરા, ભોગીલાલ જયચંદભાઈ (જ. 13 એપ્રિલ 1917, સંડેર, તા. પાટણ; અ. 18 જાન્યુઆરી 1995) : વિવેચક, સંપાદક. નિવાસ વડોદરા. જ્ઞાતિએ લેઉઆ પાટીદાર. બચપણથી મુનિશ્રી ચતુરવિજયજી અને એમના વિદ્વાન શિષ્ય પુણ્યવિજયજી પાસે સંસ્કૃત અને પ્રાકૃતનો અભ્યાસ કર્યો. તેરમાચૌદમા વર્ષથી લેખન-પ્રવૃત્તિ. 1935માં મૅટ્રિક. 1935-37 દરમિયાન ‘ગુજરાત સમાચાર’ અને ‘પ્રજાબંધુ’ના તંત્રીખાતામાં. 1941માં ગુજરાત કૉલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ.. 1943માં ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક વર્ગમાંથી એ જ વિષયોમાં એમ.એ.. 1943થી 1950 સુધી ભો. જે. વિદ્યાભવન, અમદાવાદમાં અર્ધમાગધીના અધ્યાપક-સંશોધક. 1950માં પીએચ.ડી.. 1950થી 1975 સુધી મ. સ. યુનિવર્સિટી, વડોદરામાં ગુજરાતી વિષયના પ્રાધ્યાપક અને અધ્યક્ષ. 1958થી 1975 સુધી પ્રાચ્ય વિદ્યામંદિરના નિયામક. 1955માં નડિયાદમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના 59મા અધિવેશનમાં ઇતિહાસ-પુરાતત્વવિભાગના પ્રમુખ. 1959માં ભુવનેશ્વરમાં મળેલ અખિલ ભારત પ્રાચ્યવિદ્યા પરિષદમાં પ્રાકૃત ભાષાઓ તેમજ જૈન ધર્મના વિભાગના પ્રમુખ. 1962-64 દરમિયાન ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ, ‘સ્વાધ્યાય’ ત્રૈમાસિકના સંપાદક.

1956-57માં પશ્ચિમ અને પૂર્વના દેશોનો પ્રવાસ. 1953માં રણજિતરામ સુવર્ણચંદ્રક. 1962માં નર્મદ સુવર્ણચંદ્રક. 1988માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.

પ્રાચ્યવિદ્યા, ભારતીય વિદ્યા, ભારતીય સંસ્કૃતિ, સંસ્કૃત-પ્રાકૃત-અર્ધમાગધી સાહિત્યસંદર્ભ, જૂની ગુજરાતી, મધ્યકાલીન સાહિત્ય, ગુજરાતીનો ઇતિહાસ અને એની સંસ્કૃતિ વગેરે વિષયોમાં વ્યાપક વિદ્વત્તાથી આ લેખકે કામ કર્યું. ગુણદર્શી પ્રતિભાવ આપતું એમનું લેખન મુખ્યત્વે વસ્તુલક્ષી ગદ્યનો આશ્રય લે છે.

‘પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના’ (1941), ‘શબ્દ અને અર્થ’ (1954), ‘મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ તથા સંસ્કૃત સાહિત્યમાં તેનો ફાળો’ (1957), ‘પ્રદક્ષિણા’ (1959), ‘દયારામ’ (1960), ‘સંશોધનની કેડી’ (1961), ‘ઇતિહાસ અને સાહિત્ય’ (1966), ‘અન્વેષણા’ (1967), ‘અનુસ્મૃતિ’ (1973), ‘મુનિ જિનવિજયજી : જીવન અને કાર્ય’ (1978) એમનાં મૌલિક પુસ્તકો છે. ‘વાઘેલાઓનું ગુજરાત’ (1939), ‘ઇતિહાસની કેડી’ (1945), ‘જગન્નાથ પુરી અને ઓરિસાના પુરાતન અવશેષો’ (1951), ‘જૈન આગમ સાહિત્યમાં ગુજરાત’ (1952) એમનાં ઇતિહાસ-સંસ્કૃતિ-વિષયક ગ્રંથો છે. એમનાં સંપાદનોમાં સંઘવિજયકૃત ‘સિંહાસનબત્રીસી’ (1933), માધવકૃત ‘રૂપસુંદરકથા’ (1934), વીરસિંહકૃત ‘ઉષાહરણ’ (1938), મતિસારકૃત ‘કર્પૂરમંજરી’ (1941), ‘સત્તરમા શતકનાં પ્રાચીન ગૂર્જરકાવ્ય’ (1948), મહીરાજકૃત ‘નલદવદંતી રાસ’ (1954), ‘પ્રાચીન ફાગુ સંગ્રહ’ (1955), ‘વર્ણક સમુચ્ચય’ ભા. 1, 2 (1956, 1959), શ્રી સોમેશ્વરદેવ રચિત ‘ઉલ્લાસ-રાઘવ નાટકમ્’ (1961), યશોધરકૃત ‘પંચાખ્યાન બાલાવબોધ’ – ભા. 1 (1963), ‘મલ્લપુરાણ’ (1964), શ્રી સોમેશ્વરદેવરચિત ‘રામચરિતશતકમ્’ (1965), ગંગાધરપ્રણીત ‘ગંગાદાસપ્રતપવિલાસ-નાટકમ્’ (1973) અને અમૃતકલશકૃત ‘હમ્મીર પ્રબંધ’ (1973) મહત્વનાં છે.

સંઘદાસગણિકૃત ‘વસુદેવહિંડી’ (1946) પ્રાકૃતમાંથી એમણે આપેલો અનુવાદ છે.