અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`શયદા' /ન જાય ઘરમાં, ન બહાર આવે: Difference between revisions
No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 29: | Line 29: | ||
`શયદા' • ન જાય ઘરમાં, ન બહાર આવે • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ | `શયદા' • ન જાય ઘરમાં, ન બહાર આવે • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચાંપશી વિ. ઉદ્દેશી/ચંદરોજ | ચંદરોજ]] | આ મુસાફિર! ઠાઠ તારો ચંદરોજ]] | |||
|next = [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`શયદા' /પ્રભુનું નામ લઈ | પ્રભુનું નામ લઈ]] | તમારા પગ મહીં જ્યારે પડ્યો છું; ]] | |||
}} |
Latest revision as of 07:58, 20 October 2021
`શયદા'
જનારી રાત્રિ, જતાં ક્હેજે : સલૂણી એવી સવાર આવે;
કળી કળીમાં સુવાસ મ્હેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે.
હૃદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે;
તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે.
વ્યથાને શું હું વિદાય આપું? વિરામના શું કરું વિચારો?
કરાર એવો કરી ગયાં છે — ન મારા દિલને કરાર આવે.
કિનારેથી તું કરી કિનારો, વમળમાં આવી ફસ્યો છે પોતે,
હવે સુકાની, ડરે શું કરવા? ભલે તુફાનો હજાર આવે!
ન ફૂટે ફણગા, ન છોડ થાયે, ન થાય કળીઓ, ન ફૂલ ખીલે;
ધરામાં એવી ધખે છે જ્વાળા, બળી મરે જો બહાર આવે.
વિચારવાળા વિચાર કરજો — વિચારવાની હું વાત કહું છું;
જીવનમાં એથી વિશેષ શું છે? વિચાર જાયે, વિચાર આવે.
તમારી મહેફિલની એ જ રંગત, તમારી મહેફિલની એ જ હલચલ;
હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે.
હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની?
ઊભો છે ‘શયદા’ ઉંબરમાં આવી, ન જાય ઘરમાં, ન બહાર આવે.
(ગુલઝારે શાયરી-૧, સંપા. કુલીન વોરા, ૧૯૬૧, પૃ. ૧૮)
`શયદા' • ન જાય ઘરમાં, ન બહાર આવે • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ