અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/માનવીનું હૈયું

From Ekatra Wiki
Revision as of 12:48, 23 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> માનવીના હૈયાને નંદવામાં વાર શી? {{Right|}}અધબોલ્યા બોલડે, {{Right|}}થોડે અબ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

માનવીના હૈયાને નંદવામાં વાર શી?
અધબોલ્યા બોલડે,
થોડે અબોલડે.
પોચાશા હૈયાને પીજવામાં વાર શી?

સ્મિતની જ્યાં વીજળી,
જરીશી કરી વળી,
એના એ હૈયાને રંજવામાં વાર શી?
એવા તે હૈયાને નંદવામાં વાર શી?

માનવીના હૈયાને રંજવામાં વાર શી?
એના એ હૈયાને નંદવામાં વાર શી?

મુંબઈ, ૨૮-૧૦-૧૯૩૭