અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/એક શરણાઈવાળો

Revision as of 23:15, 31 May 2021 by Atulraval (talk | contribs)

મનહર છંદ


એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી,
રાગ રાગણી વગાડવામાં વખણાણો છે;
એકને જ જાચું એવી ટેક છેક રાકી, એક
શેઠને રીજાવી મોજ લેવાને મંડાણો છે;
કહે દલપત્ત પછી બોલ્યો તે કંજુસ શેઠ,
ગાયક ન લાયક તું ફોકટ ફુલાણો છે;
પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી,
સાંબેલું બજાવે તો હું જાણું કે શું શાણો છે.