અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગોવિન્દ સ્વામી/કાજળકાળા આભ મહીંથી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 26: Line 26:
{{space}}ઝૂલવા સાથે કોઈ નથી રે!
{{space}}ઝૂલવા સાથે કોઈ નથી રે!
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ ‘નાઝિર’ દેખૈયા/તો સારું | તો સારું]]  | પ્રભુના શીશ પર મારું સદન થઈ જાય તો સારું; ]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હસિત બૂચ/દિલની વાતો | દિલની વાતો]]  | દિલની વાતો ખૂટશે ત્યારે ]]
}}

Latest revision as of 11:06, 21 October 2021

કાજળકાળા આભ મહીંથી

ગોવિન્દ સ્વામી

કાજળકાળા આભમહીંથી
         તારલા વાટે તેજ ચૂવે છે.

રજનીકેરાં શ્યામલ ચીરને
         તારલા કેરું તેજ ધૂવે છે.

વલ્લરીનાં વૃન્દ આજ વસન્તે
         જોબનના શણગાર સજે છે;

સૌરભની પિચકારી ભરી ભરી
         ફૂલડાં રંગે હોળી રમે છે!

આજ જામી મધરાત; અટારીએ
         એકલું એકલું હૈયું રડે છે;

અંતરના કોઈ સાથી વિહોણું
         અંતર આજ ચોધાર રડે છે!

મદભર્યાં મુજ જોબનગીતો
         ઝીલવા આજે કોઈ નથી રે;

ફાગણના મધુ–ફૂલ હિંચોળે
         ઝૂલવા સાથે કોઈ નથી રે!