અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપતરામ/એક શરણાઈવાળો

Revision as of 18:46, 28 May 2021 by Atulraval (talk | contribs) (Created page with "''મનહર છંદ'' <poem> એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી, રાગ રાગણી વગાડવામાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

મનહર છંદ

એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી,
રાગ રાગણી વગાડવામાં વખણાણો છે;
એકને જ જાચું એવી ટેક છેક રાકી, એક
શેઠને રીજાવી મોજ લેવાને મંડાણો છે;
કહે દલપત્ત પછી બોલ્યો તે કંજુસ શેઠ,
ગાયક ન લાયક તું ફોકટ ફુલાણો છે;
પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી,
સાંબેલું બજાવે તો હું જાણું કે શું શાણો છે.