અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રવીણકુમાર રાઠોડ ('પ્રણય' જામનગરી)/રાત કરે ઝકઝોરા

Revision as of 12:05, 21 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રાત કરે ઝકઝોરા|પ્રવીણકુમાર રાઠોડ ('પ્રણય' જામનગરી}} <poem> અણો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


રાત કરે ઝકઝોરા

પ્રવીણકુમાર રાઠોડ ('પ્રણય' જામનગરી

અણોસરી ઓસરિયો નાચી ઊઠે છે અવસરમાં
કાળી મેના સોનેરી ક્ષણ વરસાવે મુજ ઘરમાં.

સેંજળ માંહે સવાર ન્હાતી; બપોરમાં ઝિંગોરા
સાંજ સુહાતી મેઘધનુષી, રાત કરે ઝકઝોરા
આઠે પ્રહરે અગણિત આનંદોની હેલી સરમાં.

આંખોને ઊડવાનું થાયે મન જોજનના જોજન
અંગે અંગ પાંખ ફૂટે છે, વનરાવન વનરાવન —
ન્હાતું હોય ન જાણે આખું વિશ્વ અહીં અત્તરમાં.
નવેમ્બર, શબ્દસર