અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/ઉચાટ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 17: Line 17:
નીરખી રહી નીરમાં કાંઈ, ભરતી નહીં માટ!
નીરખી રહી નીરમાં કાંઈ, ભરતી નહીં માટ!
</poem>
</poem>
{{HeaderNav2
|previous = અલબેલો
|next = એક્કેય એવું ફૂલ
}}

Latest revision as of 12:39, 21 October 2021

ઉચાટ

પ્રિયકાન્ત મણિયાર

         એકલી ઊભી જમુનાજીને ઘાટ,
નીરખી રહી નીરમાં કાંઈ, ભરતી નહીં માટ!

         ક્યાંક બેઠેલો કદંબડાળે
         કાનજી ઝૂક્યો જળની પાળે
એની તરતી છબિ સરકી આવી જળના વ્હેણની વાટ.
                                    એકલી.

         કરથી સાહી કેમ તે ધારું?
         ઘટની માંહે કેમ હું સારું?
અવરને દેખાય ન કાંઈ કોણને કહું ઉચાટ?

         એકલી ઊભી જમુનાજીને ઘાટ,
નીરખી રહી નીરમાં કાંઈ, ભરતી નહીં માટ!