અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભરત ત્રિવેદી/આપણી જુદાઈનું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|આપણી જુદાઈનું| ભરત ત્રિવેદી}} <poem> આપણી જુદાઈનું છે ક્યાં કો...")
 
No edit summary
 
Line 16: Line 16:
{{Right|(હસ્તરેખાનાં વમળ, ૧૯૮૮, પૃ. ૨૦)}}
{{Right|(હસ્તરેખાનાં વમળ, ૧૯૮૮, પૃ. ૨૦)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કાયમઅલી હઝારી/જાહોજલાલી છે  | જાહોજલાલી છે ]]  | મને તો એટલે આ પાયમાલી ખૂબ વ્હાલી છે]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભરત ત્રિવેદી/— (આંખને દર્પણ નડે...) | — (આંખને દર્પણ નડે...)]]  | આંખને દર્પણ નડે તો આપવી કોને સજા?  ]]
}}

Latest revision as of 11:37, 27 October 2021


આપણી જુદાઈનું

ભરત ત્રિવેદી

આપણી જુદાઈનું છે ક્યાં કોઈ કારણ નવું
આમ મારું આવવું ને તે પછી તારું જવું!

દર્પણો ચૂપચાપ છે આ ભવસૂના ઓરડે
ફર્ક કોને તે પછી છે હું રહું કે ના રહું!

શક્ય છે કે બંદગીનો કિન્તુ હશે કોઈ જવાબ
કશ્મકશમાં છું હવે કે હું નમું કે ના નમું!

આમ તો ખામોશ છે પણ તને થાતું ખરું?
રસ્મ જૂનીને નિભાવી હું ગઝલ આજે કહું!
(હસ્તરેખાનાં વમળ, ૧૯૮૮, પૃ. ૨૦)