અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુભાઈ વ્યાસ ‘સ્વપ્નસ્થ’ /દુઃખની ધરતીના અમે છોડવા: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 25: | Line 25: | ||
{{Right|(ચિરવિરહ, પૃ. ૩૫)}} | {{Right|(ચિરવિરહ, પૃ. ૩૫)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ઝંખે છે ભોમ (મેહુલા) | |||
|next =વાંભ | |||
}} |
Latest revision as of 07:52, 21 October 2021
દુઃખની ધરતીના અમે છોડવા
ભાનુભાઈ વ્યાસ ‘સ્વપ્નસ્થ’
દુઃખની ધરતીના અમે છોડવા,
સુખ કાજ તાકીએ અંકાશ;
પવન લહરે લાગીએ ડોલવા,
સુખના કેવા આભાસ? — દુઃખની.
લીલાં લીલાં અમારાં પાંદડાં
જોઈને મરકીએ મન માંહ્ય,
ઝૂમીએ ધરીને માથે ફૂલડાં,
સપનાં કે સુરભિ સદાય! — દુઃખની.
ધરતી છોડીને કોણ કદી ક્યાં ગયાં
ઉપર ઊંચે આકાશ?
સુખ તે સદાનાં કોને સાંપડ્યાં?
આ તે કેવા વિશ્વાસ? — દુઃખની.
એવા વિશ્વાસ સરજે માનવી
જેનાં મૂલ ન થાય,
દુઃખની ધરતીથી જગાડે જે નવી
જિન્દગી, ધન્ય એને ભાઈ! — દુઃખની.
(ચિરવિરહ, પૃ. ૩૫)