અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોહર ત્રિવેદી/ઝૂમવા લાગી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ઝૂમવા લાગી| મનોહર ત્રિવેદી}} <poem> શિશિરના પગરવે લો સ્તબ્ધતા...")
 
No edit summary
 
Line 19: Line 19:
{{Right|(ગુજરાતી પ્રતિનિધિ ગઝલો, પૃ. ૯૪-૯૫)}}
{{Right|(ગુજરાતી પ્રતિનિધિ ગઝલો, પૃ. ૯૪-૯૫)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ગીત-શિખરિણી
|next = કૂંચીનો ઝૂડો જી રે
}}

Latest revision as of 11:53, 27 October 2021


ઝૂમવા લાગી

મનોહર ત્રિવેદી

શિશિરના પગરવે લો સ્તબ્ધતાઓ જૂમવા લાગી,
ફૂલોને ‘આવજો’ કહી રિક્તતાઓ ઝૂમવા લાગી.

પણે વગડામાં સૂકાં પર્ણની સીટી વગાડીને —
ચડી વૃક્ષોની ડાળો પર ખિઝાંઓ ઝૂમવા લાગી.

છલોછલ ઓસનો આસવ પીધો છે રાતભર એણે,
સવારે ઘાસની આંખે દિશાઓ ઝૂમવા લાગી.

તિમિરની મ્હેક લઈને સાંજ પણ આવી ઘરે મારે,
તમારી યાદથી ત્યારે વ્યથાઓ ઝૂમવા લાગી.

ત્વચા ઉપર ઊગેલા સ્પર્શને બેઠી વસંતો ત્યાં,
ટહુક્યું લોહી ને ધમની-શિરાઓ ઝૂમવા લાગી.
(ગુજરાતી પ્રતિનિધિ ગઝલો, પૃ. ૯૪-૯૫)