અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ પારેખ/— કે કાગળ હરિ લખે તો બને

From Ekatra Wiki
Revision as of 11:22, 15 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|— કે કાગળ હરિ લખે તો બને|રમેશ પારેખ}} <poem> ::::— કે કાગળ હરિ લખે ત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


— કે કાગળ હરિ લખે તો બને

રમેશ પારેખ

— કે કાગળ હરિ લખે તો બને
અવર લખે તે એકે અક્ષર નથી ઊકલતા મને…
મોરપીંછનો જેના ઉપર પડછાયો ના પડિયો
શું વાંચું એ કાગળમાં જે હોય શાહીનો ખડિયો?
એ પરબીડિયું શું ખોલું જેની વાટ ન હો આંખને…
મીરાં ક્હે પ્રભુ, શ્વાસ અમારો કેવળ એક ટપાલી
નિસદિન આવે જાય લઈને થેલો ખાલી ખાલી
ચિઠ્ઠી લખતાંવેંત પહોંચશે સીધી મીરાં કને…
(છ અક્ષરનું નામ, પૃ. ૪૨૧)