અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ 'સુધાંશુ' (દામોદર કેશવજી ભટ્ટ) /સૌરભ બંધાઈ કોણે સાંભળી ?: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 33: | Line 33: | ||
{{space}}સૌરભ બંધાઈ કોણે સાંભળી? | {{space}}સૌરભ બંધાઈ કોણે સાંભળી? | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રબોધ ભટ્ટ/ફરી વતનમાં | ફરી વતનમાં]] | જૂના રે વડલા ને જૂનાં ગોંદરાં, જૂની સરોવર-પાળ ]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર દવે/ભય ટળી ગયો | ભય ટળી ગયો]] | આખો બરફનો પ્હાડ આજે ઓગળી ગયો, ]] | |||
}} |
Latest revision as of 07:57, 21 October 2021
'સુધાંશુ' (દામોદર કેશવજી ભટ્ટ)
કુસુમકલેજે સૌરભ બાંધિયું,
બાંધી એને રંગસરવર સાથે રે:
માલિકે માન્યું કે સૌરભ સાંચવી,
ત્યાં તો જોઈ પવનશિખરુંની માથે રે:
સૌરભ બંધાઈ કોણે સાંભળી?
પવન થકી રે પંડ જેનાં પાતળાં,
આતમા ર્યો આગમતો આસમાન રે:
એને રે સુમનો ને રંગો શું કરે,
રહ્યું જેને બ્રહ્માંડભ્રમણે ભાન રે:
સૌરભo
ત્રિભુવનનીરની રે મછલી લોલતી,
નીર ઘૂમી ‘નિરભે’ જ્યોત નત જોતી રે;
આરા ને કિનારા પરા પર કરી,
મોતિયુંમાં પ્રાણનાં પાણી રહે પ્રીતી રે:
સૌરભo
મનખ્યો સારો રે જેનું મંદિરિયું,
નહીં એને પંજરપિંડનાં પોસાણ રે;
જેમ રે પૂરો ને એમ એ પરજળે,
અકળ એ આતમ અમૂલખ ઘ્રાણ રે:
સૌરભo
અમે રે અનંતી સૌરભ ગગનની,
દુર્વાસે દ્રવ્યાં ને ત્રોફાણાં રે;
સાહ્યબી મેલી ને આરાધ ધારીએ,
સાચવ્યાં-ખોયાંનાં ન ઠેકાણાં રે:
સૌરભ બંધાઈ કોણે સાંભળી?