અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ `ઉશનસ્' નટવરલાલ પંડ્યા/હું જાણું —

Revision as of 16:16, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> હું જાણું: જન્મ્યા કે મરણ સમું કૈં નક્કી ન બીજું, મનુષ્યે વ્હાલા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

હું જાણું: જન્મ્યા કે મરણ સમું કૈં નક્કી ન બીજું,
મનુષ્યે વ્હાલાંના મરણ થકી ટેવાવું જ રહ્યું;
બને તો મૃત્યુને શિવ – વર – કહી ગાવુંય રહ્યું:
પરંતુ પૃથ્વીને મરણ હજી કોઠે નથી પડ્યું!
નવું ના, મૃત્યુ મેં વળી વળી દીઠું છે અહીં થકી
જતું ધોરી રસ્તે જીવન તણી ખાંધે ચડી ચડી.
— (અને જોવા જેવી બીજી ચીજ અહીં છેય કઈ તે?)
બધી વેળા થોડો વધુ વધુ રહ્યો ફિલ્સૂફ બની.

પરંતુ મૃત્યુ રે સ્વજનનું, શિચચ્છત્ર સરખા
સદા જોયા વ્યાપ્યા નભનું — અમ ગેહે જ? વસમું.
છયે કોઠે જીતી ફિલસૂફી અહીં સપ્તમ ગઢે
જતી હારી; હાવાં અવ સુદૂરથી પત્ર લખતાં
મને વીંધે શય્યા સ્મૃતિ શરની – દેશો ન ઠપકો,
નિરાંતે ઓ મારાં નયન, અહીં એકાંત – ટપકો.