ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/અમરતલાલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 20: Line 20:
અને મરતો જોયો
અને મરતો જોયો
</poem><br>
</poem><br>
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/c/c8/Udayan_Thakkar_amaratlal.mp3
}}
<br>
અમરતલાલ • ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો • ઑડિયો પઠન: શૈલેશ
<br>
&#9724;
</center>
<hr>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = મોચી
|previous = મોચી
|next = ખુલાસો
|next = ખુલાસો
}}
}}

Latest revision as of 22:52, 3 May 2024

અમરતલાલ


અમરતલાલ બહુ ચીવટથી કવિતા લખતા
અને લખ્યા પછી નોટબુકમાં ઉતારી દેતા

એમને ઘણી વાર એક ભયાનક સ્વપ્ન આવતું
સ્વપ્ન પણ કેવું?
તો કે પોતે જાણે મરકીના રોગમાં મરી ગયા
ને પોતાની કવિતાઓ છપાઈ કે વંચાઈ નહીં
અરે, કોઈને હાથ જ ન ચડી!

પણ અમરતલાલ સ્વયં તો ઘણું લાંબું જીવ્યા
(મારા મિત્ર હતા)
પોતાની જિંદગી દરમિયાન તેમણે
પોતાના કાવ્યસંગ્રહને
જન્મતો, વૃદ્ધ થતો
અને મરતો જોયો





અમરતલાલ • ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો • ઑડિયો પઠન: શૈલેશ