7,290
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
m (Atulraval moved page ઉમાશંકરનો વાગ્વૈભવ/૧.સાપના ભારા to ઉમાશંકરનો વાગ્વૈભવ/૧.સાપના ભારા) |
||
(3 intermediate revisions by one other user not shown) | |||
Line 262: | Line 262: | ||
નાટકના આરંભમાં દુર્ગાને ‘એક જ દે ચિનગારી’ આરતપૂર્વક ગાતી બતાવવામાં આવી છે. નિ:સંતાન ગૃહિણી દુર્ગાની આ ગીત ગાતાં જે તન્મયતા છે તે નોંધપાત્ર છે. ‘ચિનગારી’નો અર્થ સમગ્ર નાટ્યસંદર્ભમાં દુર્ગાની પુત્રૈષણાને અનુલક્ષતો વિશિષ્ટ થઈને રહે છે. આ દુર્ગાનો પતિ હરનાથ સશક્ત અને ચપળ, ભલો અને સહનશીલ, સિદ્ધાંતનિષ્ઠ ખાદીધારી પચીસ વર્ષનો યુવાન સેવક છે. તે ઉદારચરિત અને વિનોદવૃત્તિવાળો છે. તે દુર્ગા સાથે મીઠી મજાક કરતાં સંભાષણમાં ઊતરે છે. તે દુર્ગાને હળવી રીતે ‘સૂકા સેવકની પત્ની’ હોવાનું જણાવે છે. દુર્ગા હરનાથ પર જરાતરા ચિડાયેલી રહેતી જણાય છે. કદાચ એના મનમાં ઊંડે ઊંડે કોઈ અસંતોષનું તત્ત્વ હોય ! હરનાથ ‘એક જ દે ચિનગારી’ ગીત – ભજન રોજ રોજ દુર્ગા ગાતી હતી તે વિશે કહે છે ત્યારે દુર્ગા કહે કે “એ મારી નિત્યનવી પ્રાર્થના છે. હું મારે મારા જીવનની માગણી એમાં ગૂંથી શકું છું. તમે એક દિવસ જરૂર હારશો અને કુદરત ને હું જીતીશું.” દુર્ગાની આવી વાતથી હરનાથને દુ:ખ થાય છે. તે દુર્ગાને કહે છે : “અરે ! તું ‘એક જ દે !’ કાં કહે છે ? તું તો સાક્ષાત્ ભારતમૈયાનું સ્વરૂપ છે. તેત્રીસ કોટિ તારાં જ સંતાન છે ને ? આવો ભયંકર અર્થ તું ગીતામાં વણી શકે છે એ જોઈ હું કંપું છું.” અને આમ દુર્ગા અને હરનાથની વચ્ચે વિવાદ શરૂ થઈ જાય છે. હરનાથ આદર્શવાદી યુવાન છે. દુર્ગા હરનાથના આદર્શ સુધી પહોંચી શકેલી નથી. એની એવા કોઈ આદર્શે પહોંચવાની અંતરની અભીપ્સા હોય એમ પણ કળાતું નથી. એનાં રસરુચિ હરનાથથી જુદાં જણાય છે. હરનાથ તો કહે જ છે કે “તારી તૈયારી જ મોળી છે.” હરનાથ જેલને મહેલ કરનારો, જંગલમાં મંગલ માનનારો દૃઢ સંકલ્પબળવાળો ‘યુવાન’ છે. પોતે ધ્યેય નજર સમક્ષ રાખીને જ દુર્ગાનો વિચાર કરવાવાળો છે. દુર્ગાને એનું કઠોર નિયમપાલન પણ ખૂંચતું જાય છે. ઘેર એક પુરુષ મહેમાન છે ને ત્યારે ફરવા જવાનું મુલતવી રાખવાનો અપવાદ કરવા હરનાથ તૈયાર નથી. હરનાથ “એ ઊઠશે, દાતણપાણી કરશે ત્યાં સુધીમાં હું આવી જઈશ” એમ પણ કહે છે. વળી મહેમાન ચા પીતા હોય તો મૂકી આપવાનું અને પોતાને ચાનું વ્યસન ન હોય માટે સામાને ચા પીતાં સંકોચ થાય તેવું ન બને એની કાળજી લેવાનુંયે તે સૂચવે છે. દુર્ગા ઘરમાં પેલા પુરુષ મહેમાન જ હોય તે પરિસ્થિતિમાં એક કલાક કેમ કાઢશે તેની અમૂંઝણ અનુભવે છે ને ત્યારેય હરનાથ માનસિક નરવાપણું પ્રકટ કરતાં કહે છે : “તું હજી ગામડિયણની ભીરુતા છોડી શકતી નથી. એમની સાથે બેસી બોલીશ-ચાલીશ તો તને કંઈ ઉપાડી નહિ જાય ?” (પૃ. ૧૧૫) દુર્ગા હરનાથને “લાજો જરી” કહીને મહેમાનનું ઇંગિત કરી આવું ન બોલવા સૂચન કરે છે. આમ કહેતી વેળાએ આ આવેલા મહેમાન સાથે એક વાર પોતાનું નક્કી થયાની નાટ્યદૃષ્ટિએ – ભાવદૃષ્ટિએ મહત્ત્વની એવી વીગત પણ તે કહી દે છે ને હરનાથ તે વીગતના અનુસંધાનમાં “તો હજુય ક્યાં... ?” એમ એ સંબંધ બાબત હજુયે અવકાશ હોવાનો હળવી રીતે નિર્દેશ કરવા જાય છે ત્યારે દુર્ગા બેભાન જેવી થઈ હરનાથને ઉપાલંભ આપે છે. દુર્ગાની ના છતાં હરનાથ પોતાના નિયમાનુસાર સવારે લટાર મારવા નીકળી પડે છે ને તેથી દુર્ગા ક્રુદ્ધ થઈ “હું તો તમને પરણી છું કે તમારા વ્રતોને ?” એમ બબડે છે. દરમ્યાન બિહારી જાગી ગયો હોય છે. | નાટકના આરંભમાં દુર્ગાને ‘એક જ દે ચિનગારી’ આરતપૂર્વક ગાતી બતાવવામાં આવી છે. નિ:સંતાન ગૃહિણી દુર્ગાની આ ગીત ગાતાં જે તન્મયતા છે તે નોંધપાત્ર છે. ‘ચિનગારી’નો અર્થ સમગ્ર નાટ્યસંદર્ભમાં દુર્ગાની પુત્રૈષણાને અનુલક્ષતો વિશિષ્ટ થઈને રહે છે. આ દુર્ગાનો પતિ હરનાથ સશક્ત અને ચપળ, ભલો અને સહનશીલ, સિદ્ધાંતનિષ્ઠ ખાદીધારી પચીસ વર્ષનો યુવાન સેવક છે. તે ઉદારચરિત અને વિનોદવૃત્તિવાળો છે. તે દુર્ગા સાથે મીઠી મજાક કરતાં સંભાષણમાં ઊતરે છે. તે દુર્ગાને હળવી રીતે ‘સૂકા સેવકની પત્ની’ હોવાનું જણાવે છે. દુર્ગા હરનાથ પર જરાતરા ચિડાયેલી રહેતી જણાય છે. કદાચ એના મનમાં ઊંડે ઊંડે કોઈ અસંતોષનું તત્ત્વ હોય ! હરનાથ ‘એક જ દે ચિનગારી’ ગીત – ભજન રોજ રોજ દુર્ગા ગાતી હતી તે વિશે કહે છે ત્યારે દુર્ગા કહે કે “એ મારી નિત્યનવી પ્રાર્થના છે. હું મારે મારા જીવનની માગણી એમાં ગૂંથી શકું છું. તમે એક દિવસ જરૂર હારશો અને કુદરત ને હું જીતીશું.” દુર્ગાની આવી વાતથી હરનાથને દુ:ખ થાય છે. તે દુર્ગાને કહે છે : “અરે ! તું ‘એક જ દે !’ કાં કહે છે ? તું તો સાક્ષાત્ ભારતમૈયાનું સ્વરૂપ છે. તેત્રીસ કોટિ તારાં જ સંતાન છે ને ? આવો ભયંકર અર્થ તું ગીતામાં વણી શકે છે એ જોઈ હું કંપું છું.” અને આમ દુર્ગા અને હરનાથની વચ્ચે વિવાદ શરૂ થઈ જાય છે. હરનાથ આદર્શવાદી યુવાન છે. દુર્ગા હરનાથના આદર્શ સુધી પહોંચી શકેલી નથી. એની એવા કોઈ આદર્શે પહોંચવાની અંતરની અભીપ્સા હોય એમ પણ કળાતું નથી. એનાં રસરુચિ હરનાથથી જુદાં જણાય છે. હરનાથ તો કહે જ છે કે “તારી તૈયારી જ મોળી છે.” હરનાથ જેલને મહેલ કરનારો, જંગલમાં મંગલ માનનારો દૃઢ સંકલ્પબળવાળો ‘યુવાન’ છે. પોતે ધ્યેય નજર સમક્ષ રાખીને જ દુર્ગાનો વિચાર કરવાવાળો છે. દુર્ગાને એનું કઠોર નિયમપાલન પણ ખૂંચતું જાય છે. ઘેર એક પુરુષ મહેમાન છે ને ત્યારે ફરવા જવાનું મુલતવી રાખવાનો અપવાદ કરવા હરનાથ તૈયાર નથી. હરનાથ “એ ઊઠશે, દાતણપાણી કરશે ત્યાં સુધીમાં હું આવી જઈશ” એમ પણ કહે છે. વળી મહેમાન ચા પીતા હોય તો મૂકી આપવાનું અને પોતાને ચાનું વ્યસન ન હોય માટે સામાને ચા પીતાં સંકોચ થાય તેવું ન બને એની કાળજી લેવાનુંયે તે સૂચવે છે. દુર્ગા ઘરમાં પેલા પુરુષ મહેમાન જ હોય તે પરિસ્થિતિમાં એક કલાક કેમ કાઢશે તેની અમૂંઝણ અનુભવે છે ને ત્યારેય હરનાથ માનસિક નરવાપણું પ્રકટ કરતાં કહે છે : “તું હજી ગામડિયણની ભીરુતા છોડી શકતી નથી. એમની સાથે બેસી બોલીશ-ચાલીશ તો તને કંઈ ઉપાડી નહિ જાય ?” (પૃ. ૧૧૫) દુર્ગા હરનાથને “લાજો જરી” કહીને મહેમાનનું ઇંગિત કરી આવું ન બોલવા સૂચન કરે છે. આમ કહેતી વેળાએ આ આવેલા મહેમાન સાથે એક વાર પોતાનું નક્કી થયાની નાટ્યદૃષ્ટિએ – ભાવદૃષ્ટિએ મહત્ત્વની એવી વીગત પણ તે કહી દે છે ને હરનાથ તે વીગતના અનુસંધાનમાં “તો હજુય ક્યાં... ?” એમ એ સંબંધ બાબત હજુયે અવકાશ હોવાનો હળવી રીતે નિર્દેશ કરવા જાય છે ત્યારે દુર્ગા બેભાન જેવી થઈ હરનાથને ઉપાલંભ આપે છે. દુર્ગાની ના છતાં હરનાથ પોતાના નિયમાનુસાર સવારે લટાર મારવા નીકળી પડે છે ને તેથી દુર્ગા ક્રુદ્ધ થઈ “હું તો તમને પરણી છું કે તમારા વ્રતોને ?” એમ બબડે છે. દરમ્યાન બિહારી જાગી ગયો હોય છે. | ||
આ બિહારી, લેખક જણાવે છે તેમ, છવ્વીસ-સત્તાવીસ વર્ષનો છે. તેનો ‘દેખાવ શહેરની ધમાલોને સમજવાની શક્તિ ધરાવનાર ગ્રામવાસી જેવો’ છે. આ બિહારી જાગી જતાં હરનાથના જવા વિશે પૃચ્છા કરે છે. હરનાથના આદર્શપરાયણ જીવનને બિરદાવે છે, જ્યારે દુર્ગા તો નિયમપાલનના સંદર્ભે ‘આખો દિવસ ઘડિયાળ સામું જો જો કર્યા કરવાના’ વલણ સામે નાપસંદગી વ્યક્ત કરે છે. બિહારી જ્યારે હરનાથ જેવા ‘જાત ઉજાળનાર’ની પ્રશંસા કરે છે ત્યારે દુર્ગાથી પોતાનાં કરમ ફૂટી ગયાનું ઇંગિત થઈ જાય છે. આથી બિહારીને નવાઈ લાગે છે. બિહારીને મન તો હરનાથને દુર્ગાનાં લગ્ન ‘આદર્શ લગ્ન’ હોય છે; જ્યારે દુર્ગા તો હરનાથને પરણીને અસંતુષ્ટ હોય એવી લાગણી વ્યક્ત કરતાં કહે છે : “આ મહાન પુરુષો જોડે નાની સ્ત્રીઓએ જીવતર કેમ કાઢવું ?” હરનાથ જેવા લોકો પરણતા શા સારુ હશે ? – એવો પ્રશ્ન પણ એને થાય છે. દુર્ગા હરનાથ બાબતે આક્રોશપૂર્વક કહે છે : | આ બિહારી, લેખક જણાવે છે તેમ, છવ્વીસ-સત્તાવીસ વર્ષનો છે. તેનો ‘દેખાવ શહેરની ધમાલોને સમજવાની શક્તિ ધરાવનાર ગ્રામવાસી જેવો’ છે. આ બિહારી જાગી જતાં હરનાથના જવા વિશે પૃચ્છા કરે છે. હરનાથના આદર્શપરાયણ જીવનને બિરદાવે છે, જ્યારે દુર્ગા તો નિયમપાલનના સંદર્ભે ‘આખો દિવસ ઘડિયાળ સામું જો જો કર્યા કરવાના’ વલણ સામે નાપસંદગી વ્યક્ત કરે છે. બિહારી જ્યારે હરનાથ જેવા ‘જાત ઉજાળનાર’ની પ્રશંસા કરે છે ત્યારે દુર્ગાથી પોતાનાં કરમ ફૂટી ગયાનું ઇંગિત થઈ જાય છે. આથી બિહારીને નવાઈ લાગે છે. બિહારીને મન તો હરનાથને દુર્ગાનાં લગ્ન ‘આદર્શ લગ્ન’ હોય છે; જ્યારે દુર્ગા તો હરનાથને પરણીને અસંતુષ્ટ હોય એવી લાગણી વ્યક્ત કરતાં કહે છે : “આ મહાન પુરુષો જોડે નાની સ્ત્રીઓએ જીવતર કેમ કાઢવું ?” હરનાથ જેવા લોકો પરણતા શા સારુ હશે ? – એવો પ્રશ્ન પણ એને થાય છે. દુર્ગા હરનાથ બાબતે આક્રોશપૂર્વક કહે છે : | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
“એમની પહેરાવી ખાદીઓ પહેરી, ચા-પાણી છોડ્યાં, અંત્યજોને આપણા ગણ્યા, પણ આ તો, કહે છે, સાવ છેલ્લે પાટલે જઈને બેસું ! હું તો ચોખ્ખું કહું, મહાત્માની બૈરી થવાનું મારું ગજું નથી !...” (પૃ. ૧૧૯)</poem> | |||
{{Poem2Open}} | |||
દુર્ગા સરલાને કનુ-ગોપાળ એ બે સંતાનો હોવાથી એમને પરમ ભાગ્યશાળી માને છે. દુર્ગાની અસંતુષ્ટ મનોદશાનું કારણ સમજતાં હરનાથ સાથેના પોતાના અતિ નૈકટ્યના સંબંધે બિહારી તેને સમજાવવાનો પ્રયાસ કરવાનું જણાવે છે; અને એને અનુષંગે કહે છે કે “હું એને સીધો સવાલ કરીશ કે પોતે પત્નીનો પતિ રહેવા ન માગે તો બીજો મેળવી આપે.” આ શબ્દો પછી દુર્ગા ને બિહારી કંઈક લપસણી – જોખમી ભૂમિ પર ચાલે છે. ‘દુર્ગાને માટે હવે રસ્તો કયો’ – એ પ્રશ્ન બંનેને મૂંઝવે છે ને હરનાથે કરેલી ભૂલ સુધારવાના ઉપાય વિશે ચિંતન ચાલે છે. દુર્ગા ‘ભૂલ સુધારવા’ માટેના પ્રયાસમાં બિહારીની હિંમત પણ શોધે છે; ને બિહારીયે કંઈક વિચિત્ર ભાવ અનુભવતો જણાય છે. બિહારી બીજી સુધારણાઓના કરતાંયે સંસારસુધારા પર ભાર દેવા માગે છે. ને એ બાબતેય હરનાથની ઉદારતા દુર્ગાને પરેશાન કરનારી જણાય છે. દુર્ગા-બિહારી બંને કંઈક વિચિત્ર ભાવાવસ્થામાં સરે છે, પરંતુ કશુંયે સ્ખલન થાય – અનિષ્ટ થાય તે પૂર્વે જ હરનાથનો પ્રવેશ થાય છે. દરમ્યાન બિહારીની નજર દુર્ગાએ લીધેલા ફાનસના અજવાળે પ્રકાશતી ગાંધીજીની તસવીર પર જાય છે અને ‘વિશુદ્ધિનું શોધન’ તુરત જ આરંભાઈ જાય છે, હરનાથના પ્રવેશ સાથે જ આ પ્રક્રિયાનું પણ આરંભાઈ જવું એ નાટ્યદૃષ્ટિએ અર્થપૂર્ણ બાબત બની રહે છે. હરનાથ દુર્ગાની આકાંક્ષા પૂછે છે, જેની આમ તો એને ખબર છે જ. દુર્ગા પ્રગટ રીતે કહેતાં જરી ખમચાય છે ત્યાં બિહારી “બે... નાં... ત્ર...ણ...”નો નિર્દેશ કરે છે તે ત્યાં જ કોઈ બાઈએ અનાથાશ્રમના ઓટલે છોડી દીધેલ બાળક, જે હરનાથ શાલમાં વીંટાળી લાવ્યો છે તે રડે છે ને હરનાથ આ બાળકની પ્રાપ્તિમાં ઈશ્વરની પ્રાપ્તિ માની “દોઢ અબજને તારાં કરી શકતી નથી, તો લે આ એક જ – ને તારું કર !” એમ કહે છે ને પછી ચંડી મટી દુર્ગા થવાનું સૂચન કરે છે. દુર્ગા છેવટે ‘દુર્ગા’ બને છે. બિહારી દુર્ગાના પક્ષે કંઈક કહેવા ઇચ્છે છે પણ દુર્ગા તેને રોકતાં પોતાની નબળાઈ ખંખેરી નાખી ઉત્કૃષ્ટ સંકલ્પબળ દાખવતાં જણાવે છે : “એમ તો મેં સાત વરસ એમની સામે ગાળ્યાં છે.” | |||
નાટકના અંતમાંનો દુર્ગાનો આ ઉદ્ગાર એનું ઉન્નયન જ નહિ, હરનાથનો વિજય પણ સિદ્ધ કરે છે. હરનાથનું સત્ય અને સત્ત્વ નિરર્થક ગયાં નથી. એ પ્રભાવશૂન્ય રહ્યાં જ નથી એની સચોટ પ્રતીતિ અંતે થઈને રહે છે. | |||
આ એકાંકીનું વસ્તુ લેખકને તત્કાલીન ગાંધી આદર્શવાળા હવામાનમાંથી મળ્યું હશે એમ ધારણા બાંધી શકાય. રા. વિ. પાઠક જેવા વાર્તાકારો પણ ‘બે મિત્રોની વાર્તા’ જેવામાં કંઈક આવી જાતના વસ્તુને વાર્તામાં અજમાવતા જણાય છે. | |||
શ્રી ‘સરયૂ’ આ નાટકના સંદર્ભમાં લખે છે : “આદર્શો અને ‘હ્યુમન અર્જ’ એ બે વચ્ચેનું સનાતન યુદ્ધ નાટકકારે બહુ સરસ રીતે ચીતર્યું છે. ને બિહારીનો પ્રસંગ વચ્ચે વણી લઈ એને ઓર બહલાવ્યું છે... એકંદરે આ સંગ્રહનાં ૧૧ નાટકોમાંનું આ એક ઉત્તમ કહી શકાય.” <ref>‘સરયૂ’; માનસી, વર્ષ–૨, ગ્રંથ–૪, પૃ. ૭૫૩–૪.</ref> આ પછી દુર્ગાના પાત્ર વિશે લખતાં જણાવે છે : “ઇટ ઇઝ સો ઇન્ટેન્સલી હ્યુમન ! ઍન્ડ ફૉર ધૅટ વૅરી રીઝન, ગ્રેટ !” એકંદરે તો ‘સરયૂ’નું મંતવ્ય અનુકૂળ છે તેમ છતાં આ નાટક બાબતમાં શ્રી દલાલનો જે અભિપ્રાય છે તેની ઉપેક્ષા કરવી મુશ્કેલ છે. શ્રી દલાલ “ ‘દુર્ગા’ ઘણીબધી રીતે ઉમાશંકરના નાટ્યલેખનમાં સીમાસ્તંભ છે” એમ જણાવે છે. ‘આ એક નાટક અને બીતાં બીતાં કહીએ તો ‘ત્રણને ત્રીસે’ (‘શહીદ’ સંગ્રહમાં) સિવાય ઉમાશંકરે (૧૬૦)ૉઇડને પોતાના કોઈ નાટકની નજીક આવવા દીધા નથી” <ref>કવિનો શબ્દ, પૃ. ૧૫૮.</ref> એ પણ તેઓ કહે છે ને તે સાથે આ નાટકમાં “વસ્તુ વાસ્તવિક, ઉકેલ સૂઝાળ અફલાતૂની” <ref>એજન, પૃ. ૧૫૯.</ref> એમ માર્મિક વાત પણ કરે છે. ઉમાશંકરે આ નાટકમાં જે રીતે જીવનના એક મહત્ત્વના પ્રશ્નને સમેટી લીધો છે તેમાં તેમને વિશેષતા જણાય છે અને તે ચર્ચાયોગ્ય હોવાનું પણ લાગે છે. આ નાટક ઉમાશંકરનો નાટક પર ‘હાથ બેસી ગયો હોવાની’ પ્રતીતિ આપે છે, પણ એમાં ચાતુરીયે કેટલો ભાગ ભજવ્યો તે જોવાનું પણ ભાવકોને રહે છે. શ્રી દલાલ એક સચોટ પ્રશ્ન આ નાટકની દુર્ગાના અનુસંધાનમાં પૂછે છે : “કોઈ પણ નારી પુત્રૈષણા વ્યક્ત કરે છે ત્યારે એ ખરેખર શું વાંછે છે ?” કદાચ એના ઉત્તરનો વિચાર કરતાં આ નાટકના અંત વિશે કંઈક અસંતોષ રહી જવાનો સંભવ નકારવા જેવો નથી. નાટકમાં અંતમાં અવનવા પ્રકારના ડોકિંગનો પ્રયોગ થયો હોવાનું તેમનું મંતવ્ય ધ્યાનાર્હ છે. | |||
ડૉ. ચંદ્રકાન્ત મહેતા આ નાટકને બીજાં નાટકોથી કદાચ ‘ભાવનાલક્ષી નાટક’<ref>અનુરણન, પૃ. ૧૪૯.</ref> હોવાને કારણે જુદું પડી જતું માને છે. આમાં ભાવનાલક્ષિતા આમ તો હરનાથના પાત્ર પૂરતું મર્યાદિત છે, દુર્ગાને તો એમાં ખેંચાવું પડે છે. બિહારીને હરનાથની ભાવનાપરાયણતા માટે માન છે, પણ પંડે તે નાટકના સમય સુધી તો ભાવના પર જીવન જીવી શક્યો નહોતો. ભવિષ્યની વાત અલગ છે. લેખકની ખૂબી તો ભાવનાની સાથે જ દુર્ગાની માનવીય અપેક્ષા – આવશ્યકતા સાથેની જે ટકરામણ છે તે બતાવવામાં છે. લેખક આ નાટક દ્વારા બ્રહ્મચર્ય જેવી કોઈ ભાવનાનો વિજય બતાવવા ઇચ્છે છે એમ નથી, તેઓ તો કલ્યાણકર્તા હરનાથ પોતાના દાંપત્યજીવનમાંયે કેવો દુર્ગતિથી બચી જાય છે તેનું કદાચ વાસ્તવિક ભાન કરાવવા માગે છે. હરનાથ –દુર્ગાને ઈશ્વરનું પીઠબળ પેલા અનાથ બાળક દ્વારા જાણે મળી રહે છે. દુર્ગાનું બળ, પોતાને નિર્બળ બનાવે એવી ઘાંટીમાંથી હેમખેમ પસાર થઈ જઈ, સમજપૂર્વક હરનાથની પડખે ઊભા રહેવાના અડગ નિર્ધારમાં પ્રગટ થાય છે. દુર્ગા નાટકના આરંભે હતી તેથી વધુ તેજસ્વી ને બળવતી અંતે પ્રતીત થાય છે ને તેમાં હરનાથની રચનાત્મક શક્તિનો હિસ્સો ઓછો નથી, એમ પણ લાગે છે. પોતાની નબળાઈ સામે ઝૂઝવાનો, ઝૂઝતાં ઝૂઝતાં ટકવાનો ને એ પર પ્રસંગોપાત્ત, વિજય મેળવવાનો મનુષ્યનો જે આંતર ગુણધર્મ, તેનો સાક્ષાત્કાર પણ અહીં થઈ રહે છે. ‘શેર માટીની ભૂખ’ પ્રગટ કરતી એક સ્ત્રીની વેદના એ આમ તો જાણીતું વસ્તુ છે. પણ એકંદરે લેખકે કૌશલ્યપૂર્વક તેને નાટ્યરૂપમાં ઢાળ્યું છે. | |||
ઉમાશંકરનાં જે કેટલાંક નોંધપાત્ર નાટકો છે તેમાં આ નાટક હરનાથ–દુર્ગાનાં પાત્રવૈશિષ્ટ્ય ને કુશળ રજૂઆતશૈલીને કારણે સહેજેય સ્થાન પામે એવું છે. | |||
‘ગાજરની પિપૂડી’ એક અંક, એક દૃશ્ય ધરાવતું, કેવળ છ પુરુષપાત્રોવાળું સામાજિક એકાંકી છે. રા. વિ. પાઠક તેને ‘કટાક્ષચિત્ર’ કહે છે. આ એકાંકીનું વાતાવરણ શહેરી છે. એમાં પ્રમોદ, કપિલ, શશિકાન્ત, વસંતાદિ યુવાન પાત્રો છે. લેખકે આ પાત્રોમાં કલાત્મક રીતે વિભિન્નતાનું તત્ત્વ નિરૂપ્યું છે. શશિકાન્ત જેવાં પાત્રો નમૂનારૂપ (‘ટાઇપ’) લાગે. આમ છતાં લેખકે આ યુવાનોનો સૂક્ષ્મ સ્વભાવભેદ નિરૂપવામાં ઊંડી કલાસૂઝ દાખવી છે. પ્રમોદ, કપિલ, શશિકાન્ત આદિ પાત્રો કશુંક કરીને આગળ આવવા માગે છે અને તેથી છાપું કાઢવાની યોજના વિચારે છે. આ વિચારણામાં શેખચલ્લીનું તત્ત્વ લેખકે ઠીક રીતે બતાવ્યું છે. અહીં દરેક યુવાન વાત ભાવના-વિચારની, પરિવર્તન-ક્રાંતિની કરે છે; પણ અંદરખાને તો પોતાનું જ હિત વિચારે છે. સાહસની વાત કરે છે, પણ જોખમના વિચારમાત્રથી ડરે છે. વસંત જ્યારે છાપાની યોજના પોલીસની આંખમાં કણીની માફક ખૂંચી હોવાની વાત કરે છે ત્યારે કપિલ એમાં છાપાના તંત્રી તરીકે પોતાનું નામ પ્રગટ કરવા રાજી નથી. કપિલ ને શશિકાન્ત બેયની સ્વાર્થપરાયણતા – આત્મરતિ ઠીક ઠીક ધ્યાન ખેંચે છે. આ યુવાનોમાં જે છીછરાપણું છે તેને લેખકે ઠીક ઠીક ઉપસાવ્યું છે. છેવટે તો આ એકબીજાને ટેકે આગળ આવવાના મનસૂબા સેવતા વિફલ સ્વપ્નસેવીઓને પદ્માકર ઠીક સપાટા લગાવે છે. પદ્માકર દરેકને કડવું લાગે તે રીતે સત્ય સંભળાવે છે ને અંતભાગમાં છાપાનું નામ રાખવા બાબત સૂચન કરતાં કહે છે : “ત્યારે નામ કહું ? ‘ગાજરની પિપૂડી’ ! ચાલે ત્યાં લગી ચલાવજો ! તમારું લાંબું ચાલે એમ લાગતું નથી ! – નહિ તો પછી ચાવી ખાજો...” | |||
આ નાટકનું વસ્તુ યુવાનોને સ્પર્શતું હોઈ ઉલ્લેખનીય છે; પરંતુ નાટ્યદૃષ્ટિએ આ કૃતિ નિષ્ફળ છે. શ્રી ‘સરયૂ’ નોંધે છે તેમ, ‘થીમ’ સારું છે છતાં એનું ‘એક્ઝિક્યુશન’ સારું નથી. એમાં ચબરાકીભરી વાતચીત (‘ક્લેવર કૉન્વરસેશન’)ના ચમકારા છે, પરંતુ નાટ્યચમત્કૃતિ નથી. આ નાટક બડીબડી અર્ધદગ્ધ વાતો કરીને છૂટા પડતા કૉલેજિયનોના એક વર્ગનો નમૂનો (‘ટાઇપ’) રજૂ કરે છે.<ref>માનસી, વર્ષ–૨, ગ્રંથ–૪, પૃ. ૭૫૨–૩.</ref> | |||
જયંતિ દલાલ આ નાટકને ‘મૌગ્ધ્યભરી ચાતુરી’નું નાટક લેખે છે. <ref>કવિનો શબ્દ, પૃ. ૧૫૯.</ref> મહેશ ચોક્સી આ એકાંકીને ‘હળવા એકાંકી’ તરીકે ઓળખાવે છે. એમાંની ‘શૈલી-વિશેષતા’ તથા “પદ્માકારનું આત્માભિવ્યક્તિ જેવું ‘કોરસ’ ઢબનું પાત્રાયોજન” એમને નોંધપાત્ર લાગ્યું છે. વસ્તુત: પદ્માકર જે રીતે પ્રથમ પરિચયે જ વર્તે છે તે કેવળ પાત્રોને જ નહિ પ્રેક્ષકને પણ જરા ‘વધારે પડતું’ ને તેથી કંઈક આઘાતજનક લાગે તો નવાઈ નહીં. આમ જોકે શેખચલ્લીમાં રાચતાં અન્ય પાત્રોના વિરોધમાં ‘અતિ વ્યવહારકુશળ’ એવા આ પાત્રની આયોજના નાટ્યદૃષ્ટિએ અનુકૂળ જણાય છે ખરી. | |||
ઉમાશંકરનું ‘ઢેડના ઢેડ ભંગી’ એક અંક અને ત્રણ દૃશ્યો તેમ જ સાત પુરુષપાત્રો અને એક સ્ત્રીપાત્ર ધરાવતું સામાજિક નાટકના પ્રકારનું ‘ગંભીર એકાંકી’ છે. <ref>ડૉ. ધીરુભાઈ ઠાકર; ‘અભિનેય નાટકો’, પૃ. ૩૮.</ref> જયંતિ દલાલ આ કૃતિને સ્પષ્ટ રીતે એકાંકી તરીકે સ્વીકારતા નથી. તેઓ આ કૃતિમાં ઉમાશંકરે “લઘુનાટકના એક નવા પ્રકારનું ખેડાણ – મંડાણ નહીં ખેડાણ – કરે છે” એમ જણાવે છે. <ref>કવિનો શબ્દ, પૃ. ૧૫૯</ref> “એકાંકી પર જેનો હાથ બેસી ગયો છે, નાટકની જેની સૂઝ સૂક્ષ્માતિસૂક્ષ્મ થઈ છે, એવા ઉમાશંકર એકાંકી પ્રતીત થયા પછી સાવ ભોળાભાવે લઘુનાટક તરફ જાય છે.” – એવું એમનું નિરીક્ષણ છે. શ્રી દલાલે એકાંકી અને લઘુનાટક વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ કરી છે અને તદનુસાર ‘ઢેડના ઢેડ ભંગી’માં ‘પ્રિમાઇસ’ એક ન રહ્યું હોવાનું એમને જણાયું હોય. એમણે આ નાટકમાં શિથિલ અનુબંધ જણાયો લાગે છે. એમાં સંવેદન પૂરતું એકાગ્ર ન હોવાની લાગણીયે એમની જણાય છે. લઘુનાટકમાં ટુકડા પાડીને ‘એપિસોડિક ટ્રીટમૅન્ટ’ અપાતી હોય છે ને તેનું દર્શન એમને આ કૃતિમાં થયું જણાય છે. <ref>એજન, પૃ. ૧૬૦.<ref> ‘ઢેડના ઢેડ ભંગી’ આમ શ્રી દલાલની નજરે લઘુનાટકનો એક પ્રયોગ – એક પ્રયત્ન છે. એ દૃષ્ટિએ ‘સાપના ભારા’માં ઉમાશંકર કેવળ એકાંકીકાર તરીકે નહીં પણ લઘુનાટ્યકાર તરીકે પણ ઉપસ્થિત થયા છે એમ કહેવું પડે. જોકે શ્રી દલાલ ઉમાશંકર ભોળાભાવે એકાંકીથી લઘુનાટક તરફ જાય છે એમ દર્શાવી, એમની આવી ગતિને કારણે એકાંકીએ તેમ જ ખુદ નાટકે કશુંક ગુમાવ્યાની વાત પણ કરે છે. તેઓ ‘ઢેડના ઢેડ ભંગી’ને “એકાંકી કરતાં લઘુનાટક તરફ વિશેષ ઝોક” ધરાવતું નાટક પણ લેખે છે ને ‘શહીદ’ કરતાં તેને ઓછું સહન કરવું પડ્યાનું જણાવે છે. આમ શ્રી દલાલ ‘ઢેડના ઢેડ ભંગી’ના શુદ્ધ એકાંકી-સ્વરૂપ વિશે સાશંક છે. | |||
શ્રી દલાલની એકાંકીમાં એક જ ‘પ્રિમાઇસ’ હોવાવાળી વાત ‘ઢેડના ઢેડ ભંગી’માં જળવાઈ નથી એ એક અર્થમાં સાચું છે, તો બીજા અર્થમાં ? ને વળી જે પ્રકારની આ નાટકની માવજત છે તે જોતાં એમાં એકાંકીથી કંઈક વિશેષ હોવાની લાગણીયે થાય છે ખરી ! અને આ નાટકના સ્વરૂપ વિશે શ્રી દલાલને જે પ્રશ્નો થાય છે તેમાં કંઈક વજૂદ હોવાનીયે પ્રતીતિ થાય છે. આશ્ચર્ય તો અન્ય નાટ્યવિવેચકોને આવા પ્રશ્નો કેમ નહિ થયા એનું છે. | |||
આ નાટકનું વિષય-વસ્તુ આભડછેટના દૂષણને લગતું છે. આભડછેટનું દૂષણ ઢેડમાંયે કેવું ઘૂસી ગયું છે તેનું અહીં માર્મિક દર્શન કરાવવામાં આવ્યું છે. ‘ભંગી તો ઢેડનોય ઢેડ’ આ વાત લેખકને ઉપસાવવી છે; અને તે માટે બ્રાહ્મણ અને ઢેડ અને તે પછી ઢેડ અને ભંગી, આ બંનેય ભૂમિકાએ જે સામાજિક વિષમતા છે તેનું દર્શન કવિ કરાવવા મથે છે. બંનેય ભૂમિકાની સહોપસ્થિતિ આ પ્રશ્નના સંકુલ પરિમાણને ઉપસાવી આપે છે. | |||
નાટકના પહેલા દૃશ્યનો આરંભ અમાસની ઘેરાતી રાતે, સંધ્યાકાળના જામતા અંધારામાં થાય છે. નાટકને માટે આ વાતાવરણ રહસ્યસૂચક છે. એક ઢેડ યુવાન કચરો અને રાંડીરાંડ ધનીનો છોકરો ગોકળિયો છાનામાના તળાવે પાણી ભરવા જાય છે. ઢેડ ભગત વાલિયો પણ એમાં જોડાય છે. કચરાને તળાવનું પાણી ‘ઘી જેવું’ જણાય છે ને ત્યારે વાલિયો એમની હવાડાનાં ઢોરાંની લાળ પીવી પડે – એ દશાનો ઉલ્લેખ કરે છે. તેઓ જામતા અંધારામાં છૂપી રીતે પાણી ભરીને લઈ જવા જાય છે ત્યાં જ ઓમકાર નામનો એક સનાતની બ્રાહ્મણ ડોસો રેલ્લી શોધતો આવી લાગે છે. તેણે લગાવેલ ડીફાથી કચરાનું માટલું તૂટી જાય છે ને દસેક ડગલાં માંડ ગયેલો છોકરો ભયથી કે ઠેસથી પડી જાય છે ને તેનુંય માટલું ભુસ્સ કરતું તૂટી જાય છે. દરમ્યાન ડોસો તળાવ પર આવી લાગી “આ તળાવ પર તો ભૂતડાંય સાળાં ભારે જામ્યાં છે તો !” કહી, ઢેખાળા જેવું કંઈક લઈને જ્યાં મારવા જાય છે ત્યાં કચરાથી “જોજો બાપુ મારતા !” એમ બોલાઈ જાય છે. વાલિયો ભગત કચરાને આમ બોલવા માટે ઠપકો દે છે અને બંને નાસી જવા કરે છે ત્યાં ઓમકાર ડોસાને ઢેડ હોવાની ખાતરી થાય છે. પેલા ધનીના છોકરાની ચીસ પણ સંભળાય છે ને તેથી કચરો-વાલિયો ભાગતાં અટકી પડે છે; ને ડોસાની પ્રત્યક્ષ આવી લાગે છે. ઓમકાર ડોસો આ ઢેડને ઢોરઢાંખરથીયે કમજાત લેખે છે ને જુવાન કચરાને કહેવું પડે છે કે “બાપજી, અમને ઢોરના લેખામાં તો ગણો !” ડોસાને આવા શબ્દોમાંયે ઢેડની બેદઅદબી વરતાય છે. કચરો ડોસાની સાથે જીભાજોડીમાં ઊતરે છે તે જીવનના વિષયમ અનુભવોએ પ્રૌઢ એવા પેલા વાલિયા ભગતને ઉપાધિકાર જણાય છે. વાલિયો વિલક્ષણ દલીલ કરતાં કચરાને કહે છે : “તું માણસ તો પછી આ ઓમકરાબાપુ તેય માણસ ! તારામાં ને એમનામાં ફરક જોતો નથી ?” આમ વાલિયો પોતે જે માનતો નથી તે તેને કહેવું પડે, ને કચરો સાચું કહેતો હોવા છતાં તેને રોકવો પડે ને પોતાના અવતારની પોતે જ નિંદા કરવી પડે એ વિષમતા લેખક સરસ રીતે પ્રગટ કરે છે. આ વાલિયો ઢેડમાં ‘ભગત’ થયો છે તેય ઓમકાર ડોસાને ખૂંચતું લાગે છે. આ સંવાદ દરમ્યાન ધનીનો છોકરો પડીને કણસે છે તે તરફ દોડવાનું ઓમકાર ડોસાને તો સૂઝે જ શાનું ? કચરો એ બાજુ દોડે છે. કચરાને એ છોકરો બેભાન થયેલો જણાય છે ને વાલિયાને બૂમ પાડી બોલાવે છે. છોકરાને મોઢે પાણી છાંટવું પડે એવી સ્થિતિ છે. ઓમકાર ડોસો પહેલાં તો પાણીને અડવા દેવાનીયે ના પાડે છે પણ પછી એમની માણસાઈ જાગતાં થોડું પાણી લેવાની રજા આપે છે, જોકે જે રીતે રજા આપે છે તેમાં એમનું માણસાઈભર્યું તેમ જ સનાતની એમ ઉભય વલણોનું વિલક્ષણ મિશ્રણ જોવા મળે છે. કેટલીક રીતે જડ એવા ઓમકાર ડોસા પોતે પણ પોતાની જડ સનાતન રૂઢિઓનો ભોગ બનેલા જ છે ને તેનું દર્શન પણ અહીં ખાસ નોંધપાત્ર બની રહે છે. ઓમકાર ડોસાને તો ઢેડ વર્ણમાં ‘ગોકળિયો’ નામ હોય એ પણ અકળાવનારી વાત લાગે છે ! | |||
નાટકના પહેલા દૃશ્યમાં બ્રાહ્મણ દ્વારા જે પીડાય છે તે જ ઢેડ લોકો બીજા દૃશ્યમાં ભંગીજનોને પીડનારા હોવાનું સૂચન મળે છે. પહેલા દૃશ્યમાં અમાસ હતી, તો આ દૃશ્યમાં અજવાળી ચૌદસ છે. ઢેડ લોકોએ ઉજળિયાત વર્ણના – ખાસ કરીને બ્રાહ્મણોથી ત્રાસીને દસ દિવસમાં પાણી માટે એક કુવેડી ખોદી કાઢી. આ કૂવાનું પાણી લેવા જો ભંગી જાય છે તો ઢેડ લોકો તેથી ગુસ્સે થાય છે એનો નિર્દેશ બાલા ભંગીની ઉક્તિમાંથી મળી રહે છે. બાલો મેરુને કહે છે : “પણ મોટાભા, એ વળી બામણથીય ચોખ્ખા થઈ પડ્યા છે !” લેખકની કળા ભંગીઓવાળા આ બીજા દૃશ્યમાં ભંગીઓને ત્રાસ આપવા માટે કચરો. વાલિયો વગેરે ઢેડ લોકોને પ્રત્યક્ષ રજૂ નહીં કરવામાં રહેલી છે. ઓમકાર ડોસાને જ જેમ ઢેડ લોકો સન્મુખ તેમ આ ભંગી લોકો સન્મુખ તેઓ ઉપસ્થિત કરે છે અને એ રીતે વસ્તુસંકલનાની પોતાની શક્તિનો તેઓ પરચો આપે છે. બીજા દૃશ્યમાં ઢેડની કૂખમાં ઓમકાર ડોસાને પડવાનું થાય – એ પીડાય એમાં કાવ્યન્યાય (‘પોએટિક જસ્ટિસ’) પણ ખરો ! ઓમકાર ડોસો ઢેડની કુવેડીમાં પડે ને એનો જીવ-ઉગારો ભંગીઓ દ્વારા થાય – એ ઘટના-કલ્પનામાં નાટ્યાત્મક તત્ત્વ સારી રીતે પ્રતીત થાય છે. મેરુ ને બાલો ઢેડની કૂઈએ છાનામાના પાણી ભરવા આવે છે. ત્યારે ઓમકાર ડોસાને “મને બહાર કાઢો ને બાપ જરી ?” એવો ક્ષીણ ઘર્ઘર અવાજ સંભળાય છે. બાલાને દયા આવે છે ને તે ઓમકાર ડોસાને મેરુની મદદ લઈ કાઢે છે. બાલો ઓમકાર ડોસાને ઉગારવાની તક પોતાને મળી તેથી ધન્યતા અનુભવે છે, પણ સામે પક્ષે ઓમકાર ડોસા એથી છંછેડાય છે. બાલો જ્યારે કહે છે : “હવે તો અડ્યા છો તો... તો પગને કાદવ માથે અડાડીને ઊગરી જાઉં.” ત્યારે ઓમકાર ડોસા “મને અડો નહિ ! સાળા ભંગિયા !” એમ સંભળાવે છે. ઓમકાર ડોસાએ રૂઢિ આડે જાણે મનુષ્યસહજ ભાવસંવેદન અનુભવી શકવાની તાકાત ગુમાવી છે. બાલો ઓમકાર ડોસાને ‘તમારા પગના પગરખાનું તળિયું છું’ એમ કહે ને ઓમકાર ડોસો એ બોલવા પાછળના બાલાના ભક્તિભાવ-સદ્ભાવની નોંધ લેવાની તો દૂર રહી ઉપરથી તોછડી રીતે તેની સાથે બોલે-વર્તે એ નાટ્યદૃષ્ટિએ સચોટ પરિસ્થિતિ છે. માનવીયતાના હ્રાસનું એક રીતે એ ભારે ઉદ્વેગકર નિરૂપણ છે. જેમ કચરો, તેમ મેરુ કંઈક પાણીવાળો જુવાન છે ને તે “ક્યાં ભેંસનાં શીંગડાંમાં ભરાયા ?” એમ ઉપાલંભ પણ દે છે. ઓમકાર ડોસો એમનો ભત્રીજો વલ્લભ આવે છે ત્યારે તેની સાથે જે વાતચીત કરે છે તે પરથી એમનું નગુણાપણુંયે પ્રગટ થાય છે. ભ્રષ્ટવેડાના જડ ખ્યાલો આડે બાલા-મેરુએ કરેલી મદદની એમને મન કશીયે કિંમત નથી. ઢેડની કૂઈમાં પડ્યો પોતાને વાંકે ને છતાંય ઢેડ પર ગુસ્સે થઈને એમની આ કૂઈને પણ પુરાવી દેવાના સંકલ્પ સુધી તેઓ પહોંચે છે. “અમારે વાંકે એમને શા માટે મારો છો ?” એવો ખાનદાનીભર્યો પ્રશ્ન બાલાને થાય છે, પણ ઓમકાર ડોસામાં ખાનદાનીનું જાણે લોહી ન વહેતું હોય એમ લાગે છે. ને એટલું ઓછું હોય તેમ, આ આભડછેટનો દુષ્ટ રિવાજ આવતી પેઢીઓ માટે પણ ટકવાનો હોય એમ નવી પેઢીના વલ્લભ સુધી એ વારસામાં સચવાતો – લંબાતો જોવા મળે છે. ખરું બ્રાહ્મણપણું તો બ્રાહ્મણ ડોસા ઓમકારમાં નહીં પરંતુ ભંગી બાલામાં પ્રતીત થાય છે ! | |||
ત્રીજા દૃશ્યમાં પૂનમની રાતનું વાતાવરણ છે. બાલાની ઝૂંપડીમાં દીવો નથી. તે ચાંદનીના અજવાળે ટોપલી ગૂંથી રહ્યો છે. ઘરમાં ખાવાના વાખા છે. ભનિયો ને ગલિયો કશું ખાવાનું નહોતું તો માના હાથનો માર ખાઈને સૂઈ ગયા, ને એનો નિર્દેશ કરતી માતા હીરીની વેદાન અહીં હીરી–બાલાના સંવાદમાં ઉત્ટકપણે અનુભવાય છે. ગામમાં દેવતા નહીં મળતો હોવાનો કડવો અનુભવ અહીં રજૂ થયો છે; ને સંભવ છે કે ગામના માથાભારે વલ્લભોની નાત – બ્રાહ્મણની નાત એમની ઝૂંપડીનું સુખેય હરી લે – દેવતા ઝૂંપડીમાંયે મૂકે. હીરી કહે છે :{{Poem2Close}} | |||
<Poem> | |||
“જે ગામમાં દેવતા ન મળે ત્યાં રહીને તે શું... ? ત્યાંથી એટલેથી દેવતા અહીં તે શીદ હવે, ઝૂંપડીમાં મૂકવા... ?” (પૃ. ૧૬૩)</Poem> | |||
_______________ | |||
<small>S ઉમાશંકરનું અગ્રંથસ્થ છેલ્લું ‘એકાંકી’ તે ‘હળવાં કર્મનો હું નરસૈંયો’ ‘ધનતરેશ, સંવત 2010માં લખાયેલ છે. ગ્રંથસ્થ અગ્રંથસ્થ મુદ્રિત એકાંકીઓની કુલ સંખ્યા 24ની થાય છે.</small> | |||
<small>+ ઉદાહરણ તરીકે જુઓ ગુલાબદાસ બ્રોકરનો ‘ગુજરાતીમાં એકાંકી’ લેખ – (‘રૂપસૃષ્ટિ’માં 1962, પૃ. 93–94); જશવંત શેખડીવાળાનો લેખ, ‘ગુજરાત દર્શન–1’ (‘સાહિત્ય–1’), 1972, પૃ. 127 વગેરે.</small> | |||
{{Poem2Open}} | |||
ને એના આ શબ્દોમાં ભેંકાર ભાવિનો સંકેત તો છુપાયેલો છે. વળી એ સંકેતને પુષ્ટ કરે એવી વાતો પણ પછી ઢેડ વાલિયા ભગત દ્વારા બાલો ભંગી જાણવા પામે છે. ગામના પંચે મસાણ-સાલ્લા ને ધોતિયું કાંટ પર નહીં નાખતાં મડદા પર બાળી નાખવાનો નિર્ણય કર્યો ને એ રીતે નાગાંભૂખ્યાં રહેતાં ભંગીજનોને આડકતરી રીતે થતી થોડી-શી સહાય પણ છીનવી લીધી. વાલિયા ભગત પાસેથી આ વાત જાણતાં હીરી સ્વગત પોતાને વેદનાપૂર્વક કહે છે : “આયખા પર હવે હીરીબાઈ, રાખોડી ઢાંકજો !” ને જ્યારે ભંગિયાની ઝૂંપડીનો હોમના અગનને ભોગ આલવાની વાત હીરી જાણે છે ત્યારે તે કહે છે : “આમ તો કોઈ દેવતા આપતું નથી તો... હીંડો, દેવતા તો મળશે !” હીરી પારાવાર વેદનામાંથી પસાર થાય છે. એમની કરુણ દશાને બુલંદ કરતો ચંદ્ર પણ ગ્રહણની દશાને પામે છે. “જુઓ ! ચંદરમા પણ હોલાણા” એમ હીરી કહે છે ત્યારે બાલો દર્દભરી રીતે કહે છે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
“આપણા આયખા પર પણ હમેશનું ઘૈણ ઘેરાયેલું જ છે ને?... ઘૈણ મેલાતી વેળા, નાગાંપૂગાં છોકરાં કાજે ગાભાં ભીખી આવત, તેય ચૂક્યાં... હવે... આપણું નસીબે હોલાવા માંડ્યું !” (પૃ. ૧૬૬) | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
આભડછેટનો ખ્યાલ માઝા મૂકે છે ત્યારે ક્યાં પહોંચે છે, માનવતાને તે કેવો ગ્રસી જાય છે તેનું મનોવેધક ચિત્ર લેખક અહીં આપે છે. લેખકે રૂઢિગ્રસ્ત માનસનું ચિત્ર આપતાં આપતાં એ જ માનસમાં ઊંડે ઊંડે હજુયે ટકેલા માનવતાનાં ઉન્મેષોનેય બરોબર પકડ્યા છે. અન્યથા દુષ્ટ નહીં છતાં, રૂઢિજડ એવું માનસ કેવું માનવતાવિરોધી સિતમનું વાતાવરણ જ સર્જે છે તેનું અહીં સરસ આલેખન છે. લેખકે આ નાટકમાં આભડછેટનો પ્રશ્ન ચર્ચતાં, એ પ્રશ્ન સાથે સંકળાયેલ સમાજમાનસને પણ ઉપસાવવાનો સતર્ક પ્રયાસ કર્યો છે ને તેથી આ પ્રશ્નનની રજૂઆતને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં પ્રગટ થવાની મજાની તક સાંપડી છે. | |||
શ્રી ‘સરયૂ’એ આ નાટક વિષે લખતાં અસ્પૃશ્યોના મનમાં રહેલી લઘુતાગ્રંથિ (‘ઇન્ફિરિયૉરિટી કૉમ્પલેક્સ’) અને વાલિયાની ભંગીઓ તરફની ગુરુતાગ્રંથિ (‘સુપિરિયૉરિટી કૉમ્પલેક્સ’)નું ઉમાશંકરે સરસ ચિત્રણ રજૂ કર્યું હોવાની નોંધ લીધી છે. તે સાથે આ નાટકના ત્રીજા દૃશ્યને “સોનાના કળશ સમું” ઉત્તમ લેખ્યું છે. અંતના ભાષા-સંવાદ સંદર્ભે લખતાં તે કહે છે : “ઇન ધ લાસ્ટ ફ્યૂ લાઇન્સ – ધે આર ઑલમોસ્ટ અ પોઇમ ઇન પ્રોઝ – ધ ડ્રામેટિક રાઇઝિઝ ટુ વન્ડરફુલ હાઇટ્સ” આ અંતમાં ‘માસ્ટર સ્ટ્રોક’ હોવાનું તેમનું મંતવ્ય છે. કરુણરસને કવિએ – નાટ્યકારે ખૂબ તીવ્રતાથી અહીં પ્રગટ કર્યો હોવાની તેમની લાગણી છે. | |||
લેખકે આ નાટકમાં ગ્રહણના પ્રતીકનો તેમ જ સમય-વાતાવરણનો કલાત્મક રીતે વિનિયોગ કર્યો છે. નાટકના પહેલા દૃશ્યમાં ખરતા તારાનું સૂચન ગોકળિયાના મૃત્યુનું સૂચન હશે ? – પ્રશ્ન છે. લેખકે આ નાટકમાં અંધકાર – પ્રકાશની લીલાનો કાર્યસાધક રીતે લાભ લીધાનું જણાય છે. રા. વિ. પાઠકે આ નાટકની છેક અછડતી નોંધ કેમ લીધી – એ પ્રશ્ન છે. આ નાટકનું શીર્ષક ‘ઢેડના ઢેડ’ એટલું જ હોત તો વધુ સારું ન લાગત ? | |||
'''‘વિરાટ જનતા’''' ઉમાશંકરનો ‘નવો કૌતુકમય પ્રયોગ’<ref>રા. વિ. પાઠક; ‘પરિચય’; સાપના ભારા, પૃ. ૧૭.</ref> છે. લેખક આ નાટક અંગે આરંભમાં જણાવે છે | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
“આ નાટક આગળનાં નાટકોની પ્રસ્તાવનારૂપે છે. પ્રસ્તાવનાનો આ એક અખતરો છે. તે એ રીતે કે સંગ્રહનાં બીજાં નાટકોમાં જે જે સૂચિત (રંગભૂમિ પર જે દેખા દેતાં નથી, પણ જેમને વિષે અને લીધે ઘણું ઘણું બને છે એવાં) પાત્રો છે તેમને એક નવા જ પાત્રની આસપાસ ભેગાં કરી જીવન અને સાહિત્યનું સંઘર્ષણ બતાવવા પ્રયત્ન કર્યો છે.” | |||
{{Right|(સાપના ભારા, પૃ. ૧૬૭)}} | |||
</poem> | |||
<br> | |||
{{Poem2Open}} | |||
નાટકમાં દસ પાત્રો છે; તે ઉપરાંત બાલા ભંગી આદિના શેરીઓમાંથી અવાજો આવે એવીયે યોજના છે. આ એકાંકીમાં ભણેશરી સિવાયનાં જે પાત્રો આવે છે તે અનુક્રમે ‘સાપના ભારા’, ‘ઊડણ ચરકલડી’, ‘પડઘા’, ‘ગાજરની પિપૂડી’, ‘કડલાં’, ‘બારણે ટકોરા’ અને ‘ઢેડના ઢેડ ભંગી’માંથી લીધેલાં છે. શા માટે અમુક નાટકોમાંથી અમુક સૂચિત પાત્રો લીધાં તેનો લેખક કોઈ ખુલાસો કરતા નથી. નંદરામ કે વિઠ્ઠલ ઠાકર મહત્ત્વનાં સૂચિત પાત્રો છે ને તે અહીં નાટકમાં આવ્યાં છે, પરંતુ પરભુ ગોર જેવું મહત્ત્વનું સૂચિત પાત્ર અહીં આવ્યું નથી. એ નાટકમાંનું પૂનમલાલ જેવું સામાન્ય સૂચિત પાત્ર આ ‘વિરાટ જનતા’માં રજૂ થાય છે. આમ તો ‘સાપના ભારા’ની સમગ્ર પાત્રસૃષ્ટિ વાસ્તવિક જીવન સાથે સંબંધ ધરાવે છે. ‘શિવબાલ’ જેવા શહેરી પાત્રનો લેખકે યોગ્ય રીતે ભણેશરીની સામે શ્રોતા તરીકે – એની સાથે વિવાદ કરનાર તરીકે વિનિયોગ કર્યો છે. શિવલાલ સાહિત્યનિષ્ઠ છે, સાહિત્યને ખાતર જીવનમાં એને રસ ન હોય એવું એનું પાત્રવિભાવન અહીં જણાય છે, ભણેશરીને સાક્ષાત્ જીવનમાં વધુ રસ છે. લેખક પોતે જ ભણેશરી વિશે લખતાં કહે છે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
“ભણેશરી ગામની જ પેદાશ છે, મોટી મોટી ચોપડીઓ વાંચતો દેખાતો હશે કે મોટી મોટી વાતો કરતો હશે, એટલે તો એને સો ભણેશરી કહે છે. ભણેશરી સાહિત્ય કરતાં સીધી સેવાને વધારે પસંદ કરતો લાગે છે...” | |||
{{Right|સાપના ભારા, પૃ. ૧૬૭–૮)}} | |||
</poem> | |||
<br> | |||
{{Poem2Open}} | |||
આ ભણેશરી આગળ નંદરામ, વિઠ્ઠલ ઠાકર, મથુર ને ભોગીલાલ, રૂપાજી વગેરે આવે છે. નંદરામ ને વિઠ્ઠલ ઠાકર બંનેય સરખા અપરાધી હોવાનો લેખકનો અભિપ્રાય જણાય છે. નંદરામે પરણેલા દીકરાના મર્યા પછી એની વહુ સાથે જાતીય સંબંધ બાંધ્યો. તો વિઠ્ઠલ ઠાકરે પોતાના દીકરા કેશુને બદલે પોતે મુરતિયા બનીને ચંદણીને વહુ બનાવી ઘરમાં આણી. ભણેશરી, નંદરામ, વિઠ્ઠલ ઠાકર, મથુર, ભોગીલાલ, રૂપાજી વગેરે માટે સલાહસૂચન, માર્ગદર્શન, ઉત્સાહ-આલંબનાદિનો આધાર છે. નંદરામ કહે છે : “ભણેશરીને ઘેર દનમાં દસ વાર આવીએ તોય ઓછું ! દિલને દિલાસો મળે છે. રાતવરત વાણીને વિસામો આપે છે.” (સાપના ભારા, પૃ. ૧૬૯) આ ભણેશરી ‘ટેમ પર સલાહ લેવા થાય’ એવો હોવાનું વિઠ્ઠલ ઠાકરનું મંતવ્ય છે. ‘એવા માણસથી તો ગામની શોભા’ હોવાનુંયે તેમને જણાય છે. આ ભણેશરી મથુરને ‘ભડભડિયો’ છતાં ‘આપણી પડખે ઊભો રહે’ તેવો લાગે છે. ભણેશરીને ગામડાંના લોકોની પરિસ્થિતિનો બરોબર અંદાજ છે. તેઓ પીડિત ને પતિત – બંનેય હોવાનું એનું નિદાન છે. ભણેશરી આવેશમાં ન્હાનાલાલીય છટાથી પોકારી ઊઠે છે : “સુણજો હે જગતના લોકો, જનતા દુ:ખી છે.” ભણેશરીને ગામડાના લોકજીવનનું સત્ય આ રીતે સાક્ષાત્કૃત થયું છે. ભણેશરી ગામડાંના લોકો સાથે ‘ચાલવા’માં માને છે, ભલે પછી એમની પાછળ પરોણો લઈને ચાલવાનું હોય. તે ગામડાંનાં લોકોના ખભે ચડીને સાથ આપવાના શોખને અવહેલે છે. ભણેશરીને ગ્રામજનોનો સાથસહકાર મળ્યો છે, તે એમનો પ્રશંસાપાત્ર પણ થયેલ છે; પરંતુ તે બરોબર જાણે છે કે પોતે ઠંડો છે, નિષ્ક્રિય છે ત્યાં લગી આ સાથસહકાર, આ પ્રશંસા છે. અને આ બાબતની ખાતરી બાલા ભંગીના બે દીકરા ભનિયા-ગલિયાને ભોજન માટે ઘરમાં પ્રવેશ આપે છે ત્યારે થઈને રહે છે. નંદરામ ભાગી જાય છે. નંદરામને પોતાના છિનાળવા કરતાં ભણેશરીના ભંગિયાવેડા વધુ ખતરનાક લાગે છે ! પૂનમલાલ જે ભણેશરીના રસોડામાં રાંધવાનું કામ કરતા હતા તેય એંઠે હાથે પોટલું લઈને ભાગે છે. ભણેશરી એમને લોટો લેતા જવા કહે છે ત્યારે તેય “એ મારે ન ખપે ભ્રષ્ટતાવાળો” એમ કહીને છોડી જાય છે. ભોગીલાલ ને વિઠ્ઠલ ઠાકર પણ ભણેશરીને ઉપાલંભ દેતાં તેને છોડી જાય છે. બીજા ગામલોકોય ભંગીનાં છોકરાંને ઘરમાં ઘાલવા બદલ ભણેશરીને ધાકધમકીઓ આપે છે. રૂપાજીયે હવે એ ભણેશરીની સહાય લેવા તૈયાર નથી, ને આ બધાની પરાકાષ્ઠારૂપ બીના તો છે બાલો ભંગી ભણેશરીને ‘પેલા ભવના વેરી’ ગણે છે તે. બાલો ભંગી પોતાનાં જ છોકરાં પ્રત્યે માનવતાથી પ્રેરાઈ ઉદાત વર્તન દાખવનાર ભણેશરીને “અમ લોકનું ભલું દેખતા હો તો કરી આવું કરશો માં !” – એમ જણાવે છે. ભણેશરીને આવા બધા અનુભવોનો અંદાજ ગામડામાં આવીને રહ્યો ત્યારથી જ કદાચ છે. આ નાટકમાં ભણેશરીને છેલ્લે છેલ્લે મનોમન પ્રશ્ન થાય છે : “ત્યારે અત્યાર સુધી શું હું એનું ભલું નહોતો દેખતો ? શિવબાલને કહું છું કે સાહિત્યથી સેવા થઈ શકે એ ભ્રમ છે, ને અહીં સીધી રીતે સેવા કરવા જઈએ છીએ તો એ પણ ભ્રમ જ લાગે છે.” ભણેશરીને જે જનતાની પ્રગતિની ફિકર લાગી છે તેને સાહિત્ય કે સેવા બેમાંથી એકેયની પડી છે કે નહિ એ પ્રશ્ન છે. આ નાટકનો અંત, લેખક કહે છે તેમ, એવા ગૂંગળાવનારા પ્રશ્નના સૂચનથી થયો છે. જે “વિરાટ જનતા”ની ભણેશરી સેવા કરવા માગે છે એ વિરાટ જનતા ભણેશરીની અવહેલના કરે છે. લેખકે પણ આરંભની નોંધમાં ભારપૂર્વક જણાવ્યું છે : “વિરાટ જનતા તો આ અમારો ઉદ્ધાર કરવા નીકળી પડ્યો છે એમ કહીને પોતાના હિતૈષીઓને પણ હસવાની જ. આવી પરિસ્થિતિ છતાં એ જનતાની સેવા જારી રાખવી તેમાં સાચા સેવકની કસોટી છે.” ભણેશરી સાહિત્ય કરતાંયે ‘કાર્યની કઠોર ભાષા’નો વધારે મહિમા કરે છે. એ કહે છે : ‘...પણ જે જનતાને તમે તમારા લખાણની સામગ્રી બનાવો એને માટે એને ગમતી કે અણગમતી પણ કાર્યની કઠોર ભાષા વાપરી શકો નહિ ત્યાં સુધી એની ઉપર અધ્ધર તમારા સ્વર્ગમાંથી શબ્દકોશની પુષ્પાંજલિઓ વરસાવ્યે જવી એ તમારું ને એ જનતાનું બંનેનું અપમાન નથી ?... સાહિત્ય ન સર્જવું એમ હું કહેતો નથી પણ જો આખી પ્રજા માટે તમે સર્જન કરતા હો તો એ પ્રજાને પણ સર્જવી જોઈએ ને ?” | |||
આ આખા નાટકમાં ભણેશરીના સર્જનમાં ઉમાશંકરની જે વૈચારિક ભૂમિકા રહેલી છે તે ખૂબ મહત્ત્વની છે. શ્રી દલાલ જેવા સમાજચિંતકે આ નાટકની વૈચારિક ભૂમિકાની જરૂરી નોંધ કેમ ન લીધી એનું આશ્ચર્ય છે. ૨૨ વર્ષનો યુવાન લેખક જે વૈચારિક ભૂમિકાએથી – ભણેશરીની દૃષ્ટિથી આમજનતાનું – વિરાટ જનતાનું આંતરનિરીક્ષણ કરે છે તે સાચે જ રસપ્રદ છે. આમ છતાં નાટ્યકલાની દૃષ્ટિએ નિષ્ફળ હોવાથી આ નાટ્યપ્રયોગની, અન્યથા જે મૂલ્યવત્તા છે તેનીયે, આપણા વિવેચકોયે ઉપેક્ષા કરી ! | |||
આ નાટ્યપ્રયોગ એક રીતે વિશિષ્ટ છે. લેખકનો એને કલાત્મક બનાવવાનો પ્રયત્ન સ્પષ્ટ છે. આરંભમાં ભણેશરીને શિવબાલને તેડવા સ્ટેશને મોકલી, એની ગેરહાજરીમાં એના પર અન્ય પાત્રો દ્વારા પ્રકાશ પાડવાની પદ્ધતિ આકર્ષક છે. વળી ભણેશરીની સામે મૂકવા શિવબાલ જેવા સૂચિત પાત્રની પસંદગી કરી તે પણ યોગ્ય છે. શિવબાલની સાહિત્યિક વૃત્તિ ઉપસાવવાની એમની રીત પણ આસ્વાદ્ય છે. ભણેશરી–શિવબાલનો સંવાદ નાટકમાં એક બૌદ્ધિક ભૂમિકાનું નિર્માણ કરે છે. એ ભૂમિકાએ સંવાદ ‘સાહિત્યિક’ શિષ્ટ ભાષામાં ચાલે છે. ભણેશરીનો રૂપાજી આદિ સાથેનો સંવાદ બીજી સેવાકાર્યગત ભૂમિકાનું નિર્માણ કરે છે. એ ભૂમિકાએ થતો બોલીનો વિનિયોગ નાટકને વાગ્વ્યવ્યવહારની દૃષ્ટિએ રસપ્રદ બનાવી રહે છે. શિવબાલ દ્વારા પ્રતિનિધાન પામતા ભદ્ર નાગરસમાજ સામે રૂપાજી જેવાં પાત્રો દ્વારા પ્રતિનિધાન પામતા ગ્રામીણ સાધારણ સમાજનું હોવું અને એ બે વચ્ચે વિચાર-ક્રિયાનાં વમળો ચાલવાં – એમાંથી ઠીક ઠીક નાટ્યરસ નિષ્પન્ન થાય છે. | |||
શ્રી ‘સરયૂ’ આ નાટ્યપ્રયોગને જેટલો કૌતુકમય ને અપૂર્વ લેખે છે તેટલો સફળ લેખતા નથી. એમને લાગે છે કે “ઇટ ઇઝ એન ઓરિજિનલ આઇડિયા માર્ડ બાય અ નોટ પરફેક્ટ એક્ઝિક્યુશન.” તેમણે ભણેશરીનાં કાર્યોમાં ‘મોટિવેશન’નો અભાવ જણાય છે, સંપૂર્ણ હેતુ એમાં જડતો નહીં હોવાની તેમની ફરિયાદ છે. <ref>માનસી, વર્ષ – ૨, ગ્રંથ – ૪, પૃ. ૭૫૫.</ref> જોકે ભણેશરીનાં કાર્યોમાં ‘મોટિવેશન’ શોધવાની નાટ્યદૃષ્ટિએ અનિવાર્યતા ખરી કે કેમ એ પ્રશ્ન છે. | |||
‘સાપના ભારા’માં આ નાટક છેલ્લે આવ્યું તેથી ‘હાઉ ડિસઍપોઇન્ટિંગ’ એવી ન પડવી જોઈતી છાપ મન ઉપર રહી જતી હોવાની શ્રી ‘સરયૂ’ની ફરિયાદ વિશે શું કહેવું ? છેવટે તો સમગ્ર સંગ્રહનું જ મૂલ્યાંકન થવાનું. આખો સંગ્રહ ઉત્તમ-વિશિષ્ટ નાટકોના અભૂતપૂર્વ સંચયરૂપ છે. ‘વિરાટ જનતા’ને ‘મૌગ્ધ્યભરી ચાતુરી’નું જ નાટક લેખવું બરોબર છે ? આમેય ‘ચાતુરીનું નાટક’ કહેવું હોય તો ‘વૈદગ્ધ્યભરી ચાતુરી’નું નાટક કહેવું ઘટે. વિશિષ્ટ નાટ્યપ્રયોગ લેખે તો તેનું મૂલ્ય રહેશે જ. | |||
‘સાપના ભારા’ એકાંકીસંગ્રહનો સૌ નાટ્યવિવેચકોએ ઉમળકાથી સત્કાર કર્યો જણાય છે. આ સંગ્રહે ઉમાશંકરને સમર્થ એકાંકીકાર તરીકે સુપ્રતિષ્ઠિત કર્યા. આ એકાંકીઓ, શ્રી દલાલ કહે છે તેમ, ઉમાશંકરની આર્દ્રતા અને સંવેદનનો સારો એવો કાર્ડિયોગ્રામ પૂરો પાડે છે. <ref>કવિનો શબ્દ, પૃ. ૧૫૧.</ref> ‘સાપના ભારા’ની સૃષ્ટિ ઉમાશંકરના અનુભવની સૃષ્ટિ છે.૫૫ <ref>નિરંજન ભગત; કવિનો શબ્દ, પૃ. ૯૫.</ref> એમાંનાં પાત્રોમાં સહનશીલતા, ખુમારી, જીવનનું ઝેર પચાવવાની શક્તિ વગેરે ધ્યાનપાત્ર છે. ઉમાશંકરે વ્યક્તિ–સમષ્ટિના પારસ્પરિક સંબંધોમાંથી, વ્યક્તિચેતનાના મુક્ત આવિર્ભાવ સામે સ્થગિત સામાજિક રૂઢિઓના સંઘર્ષમાંથી નાટ્યક્ષમ વસ્તુ ઉપાડવાનો પ્રયત્ન કર્યો છે. માનવમાં નિહિત સત્યની વૈવિધ્યપૂર્ણ ગતિલીલામાં એમનો રસ ઉત્કટ છે. તેથી ઉમાશંકરની નજર વાસ્તવિક ક્ષર સૃષ્ટિનું નિરૂપણ કરતાં પેલા અક્ષર તત્ત્વને પણ ધ્યાનમાં રાખે છે અને તેથી એકંદરે એમનાં એકાંકીઓમાં વ્યાપક જીવનસંદર્ભમાં સ્ફુરતા માનવસત્યનો યત્કિંચિત્ સાક્ષાત્કાર થઈને રહે છે. ‘સાપના ભારા’નાં એકાંકીઓમાં લેખક વાસ્તવિક તેમ જ ભાવનાજગતના પ્રશ્નો લઈને ચાલે છે. જોકે આ એકાંકીઓ એકંદરે તો વાસ્તવનો ગહન-ઊંડો સ્પર્શ આપી રહે છે. એકાંકીકાર ઉમાશંકરને જરૂર પડી છે ત્યારે કવિ ઉમાશંકરે કેટલીક વાર સુંદર સાથ આપ્યાનાં ઉદાહરણો પણ ‘સાપના ભારા’, ‘બારણે ટકોરા’, ‘ઊડણ ચરકલડી’, ‘શલ્યા’, ‘કડલાં’ આદિ કૃતિઓમાં મળી રહે છે. વસ્તુત: એક જ ઉમાશંકર કવિયે છે તેમ નાટકકાર છે. એમનામાં કવિ ને નાટ્યકાર વચ્ચેના અવિનાભાવિસંબંધનો આ એકાંકીઓ સરસ રીતે સંકેત આપે છે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |