એકતારો/અભેદને આરે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|અભેદને આરે|}} <center>'''(વસંતતિલકા)'''</center> <poem> * આ એક જાનવર ને વિદવાન...")
 
No edit summary
 
Line 25: Line 25:
* 'વૈજ્ઞાનિક અને વાંદરો’-બેઉના એક ચિત્ર પરથી.
* 'વૈજ્ઞાનિક અને વાંદરો’-બેઉના એક ચિત્ર પરથી.
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = પશુ-નકલની પ્રગતિ
|next = જુદાઈના જંગલમાંથી
}}

Latest revision as of 13:22, 27 January 2022


અભેદને આરે


(વસંતતિલકા)


  • આ એક જાનવર ને વિદવાન બીજો,

એવા કુભેદ કરજો ન અમારી વચ્ચે;
ભાળે ન સામ્ય અમ બેઉની વચ્ચ અંધા
કાં કે અમે લઘુમતીઃ બહુસંખ્ય તેઓ! ૧

જ્ઞાની અમો ઉભય, રે નિરખો અમારાં
ડાચાં પરે જ શું ન અંકિત દિવ્ય પ્રજ્ઞા?
પ્રેમી અમે શું કમ એકબીજાથી? બોલો!
સૌંદર્ય શું ઉભયને નયણે ન સ્પષ્ટ? ર

દૂરત્વ એ જ દુ:ખ છે! પશુને મનુષ્યો
દૂરે ધકેલી સરસાઈ બડાઈ મારે,
રે માનવી અવર માનવને હટાવી,
સૌંદર્યશીલ, બહાદુર ઠરેછ પોતે. ૩

  • 'વૈજ્ઞાનિક અને વાંદરો’-બેઉના એક ચિત્ર પરથી.