એકોત્તરશતી/૩૧. ગાન્ધારીર આવેદન: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ગાંધારીનું આવેદન (ગાન્ધારીર આવેદન)}} {{Poem2Open}} દુર્યોધન: હે તાત, આપને ચરણે પ્રણામ કરું છું. ધૃતરાષ્ટ્રઃ અરે દુરાશય, તારું અભીષ્ટ સિદ્ધ થયું કે? દુર્યોધનઃ હું જય પામ્યો છું. ધૃતરા...")
 
No edit summary
Line 26: Line 26:
દુર્યોધન : અવ્યક્ત નિંદા રાજમર્યાદાને કશી ક્ષતિ કરતી નથી, તેના તરફ હું નજરે નાખતો નથી. પ્રેમ ન મળે તેનું મને દુ:ખ નથી, પણ મહારાજ, મારે ઉદ્ધતાઈ નથી જોઈતી. પ્રેમદાન સ્વેચ્છાધીન છે, પ્રેમભિક્ષા તો દીનતમ દાન પણ આપે છે. એ પ્રેમ તેઓ ભલે પાળેલી બિલાડીને, આંગણાના કૂતરાને અને પાંડવ ભાઈઓને વહેંચી આપતા. મારે તેનું કામ નથી. હું તો ભય માગું છું, એ જ મારો રાજભાગ છે. હું તો દર્પિતોના દર્પના નાશ કરીને જય માગું છું. હે પિતૃદેવ, મારું નિવેદન સાંભળો. આજ સુધી તમારા સિંહાસનને મારા નિંદકો સદા વીંટળાઈ રહેતા હતા, કાંટાળા થોરની પેઠે નિષ્ઠુર વાડ રચીને તમારી અને મારી વચ્ચે તેમણે અંતર પાડ્યું હતું. તેમણે તમને સદા પાંડવોનાં ગુણગાન અને અમારી નિંદા સંભળાવ્યા કરી છે. એ રીતે હે પિતાજી, અમે પિતૃસ્નેહથી સદા વંચિત રહ્યા છીએ. એ રીતે, પિતા, અમે બાળપણથી હીનબલ રહ્યા છીએ. પિતૃસ્નેહના ઝરણાના મુખ ઉપર પાષાણની શિલા પડવાને લીધે અમે પરિક્ષીણ શીર્ણ નદ સમા નષ્ટપ્રાણ, ગતિશક્તિહીન થઈ પડ્યા છીએ, ડગલે ને પગલે પ્રતિહત થયા છીએ, જ્યારે પાંડવો ઊભરાતા નદના જેવા અખંડ અને અબાધગતિ છે. આજથી હે પિતા, સિંહાસનની પાસેથી તે નિંદકોના દળને —સંજય, વિદુર, ભીષ્મપિતામહને—દૂર નહિ કાઢો, જો તેઓ ડાહ્યા ડમરા બનીને હિતકથા, ધર્મકથા, સદુપદેશ, નિંદા, ધિક્કાર, તર્ક, વગેરેથી ક્ષણે ક્ષણે રાજ્યકર્મના સૂત્રને તોડી નાખ્યા કરવાના હોય, મારા રાજદંડને ભારે બનાવી મૂકવાના હોય, રાજશક્તિમાં ડગલે ને પગલે દ્વિધા જગાડવાના હોય, અપમાનથી અને લજ્જાથી મુકુટને મલિન કરવાના હોય, તો પિતૃદેવ, મને માફ કરજો, મારે એ સિંહાસનરૂપી કાંટાની પથારી નથી જોઈતી. હે મહારાજ, હું પાંડવોને રાજ્ય આપીને બદલામાં વનવાસ લઈ લઈશ અને દેશવટે ચાલ્યો જઈશ.
દુર્યોધન : અવ્યક્ત નિંદા રાજમર્યાદાને કશી ક્ષતિ કરતી નથી, તેના તરફ હું નજરે નાખતો નથી. પ્રેમ ન મળે તેનું મને દુ:ખ નથી, પણ મહારાજ, મારે ઉદ્ધતાઈ નથી જોઈતી. પ્રેમદાન સ્વેચ્છાધીન છે, પ્રેમભિક્ષા તો દીનતમ દાન પણ આપે છે. એ પ્રેમ તેઓ ભલે પાળેલી બિલાડીને, આંગણાના કૂતરાને અને પાંડવ ભાઈઓને વહેંચી આપતા. મારે તેનું કામ નથી. હું તો ભય માગું છું, એ જ મારો રાજભાગ છે. હું તો દર્પિતોના દર્પના નાશ કરીને જય માગું છું. હે પિતૃદેવ, મારું નિવેદન સાંભળો. આજ સુધી તમારા સિંહાસનને મારા નિંદકો સદા વીંટળાઈ રહેતા હતા, કાંટાળા થોરની પેઠે નિષ્ઠુર વાડ રચીને તમારી અને મારી વચ્ચે તેમણે અંતર પાડ્યું હતું. તેમણે તમને સદા પાંડવોનાં ગુણગાન અને અમારી નિંદા સંભળાવ્યા કરી છે. એ રીતે હે પિતાજી, અમે પિતૃસ્નેહથી સદા વંચિત રહ્યા છીએ. એ રીતે, પિતા, અમે બાળપણથી હીનબલ રહ્યા છીએ. પિતૃસ્નેહના ઝરણાના મુખ ઉપર પાષાણની શિલા પડવાને લીધે અમે પરિક્ષીણ શીર્ણ નદ સમા નષ્ટપ્રાણ, ગતિશક્તિહીન થઈ પડ્યા છીએ, ડગલે ને પગલે પ્રતિહત થયા છીએ, જ્યારે પાંડવો ઊભરાતા નદના જેવા અખંડ અને અબાધગતિ છે. આજથી હે પિતા, સિંહાસનની પાસેથી તે નિંદકોના દળને —સંજય, વિદુર, ભીષ્મપિતામહને—દૂર નહિ કાઢો, જો તેઓ ડાહ્યા ડમરા બનીને હિતકથા, ધર્મકથા, સદુપદેશ, નિંદા, ધિક્કાર, તર્ક, વગેરેથી ક્ષણે ક્ષણે રાજ્યકર્મના સૂત્રને તોડી નાખ્યા કરવાના હોય, મારા રાજદંડને ભારે બનાવી મૂકવાના હોય, રાજશક્તિમાં ડગલે ને પગલે દ્વિધા જગાડવાના હોય, અપમાનથી અને લજ્જાથી મુકુટને મલિન કરવાના હોય, તો પિતૃદેવ, મને માફ કરજો, મારે એ સિંહાસનરૂપી કાંટાની પથારી નથી જોઈતી. હે મહારાજ, હું પાંડવોને રાજ્ય આપીને બદલામાં વનવાસ લઈ લઈશ અને દેશવટે ચાલ્યો જઈશ.
ધૃતરાષ્ટ્ર : હાય, અભિમાની વત્સ, મિત્રોનાં સુકઠોર નિંદા-વચનો સાંભળીને મારો પિતૃસ્નેહ લગારે ઓછો થતો હોત તો તો કલ્યાણ થાત. મારામાં એટલો બધો સ્નેહ છે કે મેં અધર્મમાં સાથ આપ્યો છે, હું જ્ઞાન ખોઈ બેઠો છું, તારો સર્વનાશ કરવા બેઠો છું. મારામાં એટલો સ્નેહ છે કે પુરાતન કુરુવંશરૂપી મહારણ્યમાં ઘોર કાલાગ્નિ સળગાવવા બેઠો છું. છતાં હે પુત્ર, તું મને સ્નેહ નથી એમ કહીને દોષ દે છે? મણિના લોભથી તેં કાળા નાગની કામના કરી તો મેં અંધે પોતાને હાથે તેની ફેણ પકડીને તને આપ્યો, અંતરથી અને બહારથી અંધ બનેલો એવો હું સદા તારે ખાતર પ્રલયઅંધકારમાં ચાલ્યો છું. મિત્રો હાહાકાર કરીને નિષેધ કરે છે, નિશાચર ગીધડાં અશુભ ચીત્કાર કરે છે, પદે પદે માર્ગ સાંકડો થતો જાય છે, ઝઝૂમતી વિપત્તિથી શરીરે રોમાંચ થાય છે, તો પણ દૃઢ હાથે ભયંકર સ્નેહથી તને છાતી સરસો બાંધી લઈને વાયુના જેટલા બળથી અને અંધવેગથી મૂઢ મત્ત અટ્ટહાસ્ય કરતો કરતો ઉલ્કાના પ્રકાશમાં વિનાશના મોંમાં દોડી રહ્યો છું. કેવળ તું અને હું, અને બીજો સાથી વજ્રહસ્ત દીપ્ત અંતર્યામી. આગળની દૃષ્ટિ નથી, પાછળનું નિવારણ નથી, માત્ર નિદારુણ વિનાશનું ઘોર આકર્ષણ નીચે ખેંચી રહ્યું છે. એકાએક કોઈ વાર પલકમાં ભાન આવશે, વિધાતાની ગદા ક્ષણમાં માથા ઉપર પડશે, એવોય સમય આવશે, ત્યાં સુધી પિતૃસ્નેહ વિશે શંકા આણીશ નહિ, આલિંગન શિથિલ કરીશ નહિ, ત્યાં સુધીમાં ઉતાવળે હાથે સર્વ સ્વાર્થધન લૂંટી લે, જયી થા, સુખી થા, એકેશ્વર રાજા થા. અરે, તમે જયડંકા બજાવો, આકાશમાં જયધ્વજા ફરકાવો. આજે વિજયોત્સવમાં ન્યાય, ધર્મ, બંધુ, ભ્રાતા કોઈ નહિ રહે, વિદુર કે ભીષ્મ નહિ રહે, સંજય પણ નહિ રહે, લોકનિંદા કે લોકલજ્જાનો ભય નહિ રહે, કુરુવંશની રાજલક્ષ્મી પણ પણ હવે નહિ રહે, માત્ર અંધ પિતા અને અંધ પુત્ર તથા કાલાન્તક યમ રહેશે, માત્ર પિતૃસ્નેહ અને વિધાતાનો શાપ રહેશે, બીજું કોઈ નહિ હોય.
ધૃતરાષ્ટ્ર : હાય, અભિમાની વત્સ, મિત્રોનાં સુકઠોર નિંદા-વચનો સાંભળીને મારો પિતૃસ્નેહ લગારે ઓછો થતો હોત તો તો કલ્યાણ થાત. મારામાં એટલો બધો સ્નેહ છે કે મેં અધર્મમાં સાથ આપ્યો છે, હું જ્ઞાન ખોઈ બેઠો છું, તારો સર્વનાશ કરવા બેઠો છું. મારામાં એટલો સ્નેહ છે કે પુરાતન કુરુવંશરૂપી મહારણ્યમાં ઘોર કાલાગ્નિ સળગાવવા બેઠો છું. છતાં હે પુત્ર, તું મને સ્નેહ નથી એમ કહીને દોષ દે છે? મણિના લોભથી તેં કાળા નાગની કામના કરી તો મેં અંધે પોતાને હાથે તેની ફેણ પકડીને તને આપ્યો, અંતરથી અને બહારથી અંધ બનેલો એવો હું સદા તારે ખાતર પ્રલયઅંધકારમાં ચાલ્યો છું. મિત્રો હાહાકાર કરીને નિષેધ કરે છે, નિશાચર ગીધડાં અશુભ ચીત્કાર કરે છે, પદે પદે માર્ગ સાંકડો થતો જાય છે, ઝઝૂમતી વિપત્તિથી શરીરે રોમાંચ થાય છે, તો પણ દૃઢ હાથે ભયંકર સ્નેહથી તને છાતી સરસો બાંધી લઈને વાયુના જેટલા બળથી અને અંધવેગથી મૂઢ મત્ત અટ્ટહાસ્ય કરતો કરતો ઉલ્કાના પ્રકાશમાં વિનાશના મોંમાં દોડી રહ્યો છું. કેવળ તું અને હું, અને બીજો સાથી વજ્રહસ્ત દીપ્ત અંતર્યામી. આગળની દૃષ્ટિ નથી, પાછળનું નિવારણ નથી, માત્ર નિદારુણ વિનાશનું ઘોર આકર્ષણ નીચે ખેંચી રહ્યું છે. એકાએક કોઈ વાર પલકમાં ભાન આવશે, વિધાતાની ગદા ક્ષણમાં માથા ઉપર પડશે, એવોય સમય આવશે, ત્યાં સુધી પિતૃસ્નેહ વિશે શંકા આણીશ નહિ, આલિંગન શિથિલ કરીશ નહિ, ત્યાં સુધીમાં ઉતાવળે હાથે સર્વ સ્વાર્થધન લૂંટી લે, જયી થા, સુખી થા, એકેશ્વર રાજા થા. અરે, તમે જયડંકા બજાવો, આકાશમાં જયધ્વજા ફરકાવો. આજે વિજયોત્સવમાં ન્યાય, ધર્મ, બંધુ, ભ્રાતા કોઈ નહિ રહે, વિદુર કે ભીષ્મ નહિ રહે, સંજય પણ નહિ રહે, લોકનિંદા કે લોકલજ્જાનો ભય નહિ રહે, કુરુવંશની રાજલક્ષ્મી પણ પણ હવે નહિ રહે, માત્ર અંધ પિતા અને અંધ પુત્ર તથા કાલાન્તક યમ રહેશે, માત્ર પિતૃસ્નેહ અને વિધાતાનો શાપ રહેશે, બીજું કોઈ નહિ હોય.
[ચરનો પ્રવેશ]
<center>[ચરનો પ્રવેશ]</center>
ચર : હે મહારાજ, વિપ્રગણ, અગ્નિહોત્ર, અને દેવ-ઉપાસનાનો ત્યાગ કરીને, સંધ્યાર્ચના છોડીને પાંડવોની પ્રતીક્ષા કરતા ચૌટે આવીને ઊભા છે. નગરજનો કોઈ ઘરમાં નથી, દુકાનો બધી બંધ છે. સંધ્યા થઈ છે તોયે હે પ્રભુ, ભૈરવના મંદિરમાં નથી વાગતાં શંખ-ઘંટા કે નથી વાગતી સંધ્યાભેરી, કે નથી પેટતા દીપ. શોકાતુર નરનારીઓનાં ટોળેટોળાં દીન વેશે અને સજળ નયને નગરના દરવાજા તરફ ચાલ્યાં જાય છે.
ચર : હે મહારાજ, વિપ્રગણ, અગ્નિહોત્ર, અને દેવ-ઉપાસનાનો ત્યાગ કરીને, સંધ્યાર્ચના છોડીને પાંડવોની પ્રતીક્ષા કરતા ચૌટે આવીને ઊભા છે. નગરજનો કોઈ ઘરમાં નથી, દુકાનો બધી બંધ છે. સંધ્યા થઈ છે તોયે હે પ્રભુ, ભૈરવના મંદિરમાં નથી વાગતાં શંખ-ઘંટા કે નથી વાગતી સંધ્યાભેરી, કે નથી પેટતા દીપ. શોકાતુર નરનારીઓનાં ટોળેટોળાં દીન વેશે અને સજળ નયને નગરના દરવાજા તરફ ચાલ્યાં જાય છે.
દુર્યોધન : તેમને ખબર નથી કે દુર્યોધન જાગ્યો છે. ઓ મૂઢ અભાગીઓ, આજે તમારો કાળ ઘેરાયો છે. આજે રાજા અને પ્રજા વચ્ચે ઘનિષ્ઠ પરિચય થશે. જોઉં તો ખરો કે પ્રજાની આ પરમ ઉદ્ધતાઈ — નિર્વિષ સર્પના વ્યર્થ ફૂંફાડા—નિરસ્ત્ર દર્પના હુંકાર કેટલા દિવસ રહે છે?
દુર્યોધન : તેમને ખબર નથી કે દુર્યોધન જાગ્યો છે. ઓ મૂઢ અભાગીઓ, આજે તમારો કાળ ઘેરાયો છે. આજે રાજા અને પ્રજા વચ્ચે ઘનિષ્ઠ પરિચય થશે. જોઉં તો ખરો કે પ્રજાની આ પરમ ઉદ્ધતાઈ — નિર્વિષ સર્પના વ્યર્થ ફૂંફાડા—નિરસ્ત્ર દર્પના હુંકાર કેટલા દિવસ રહે છે?
(પ્રતિહારીનો પ્રવેશ)
<center>(પ્રતિહારીનો પ્રવેશ)</center>
પ્રતિહારી : મહારાજ, મહારાણી ગાંધારી આપને ચરણે દર્શનની પ્રાર્થના કરે છે.
પ્રતિહારી : મહારાજ, મહારાણી ગાંધારી આપને ચરણે દર્શનની પ્રાર્થના કરે છે.
ધૃતરાષ્ટ્ર : હું તેમની જ રાહ જોઉં છું.  
ધૃતરાષ્ટ્ર : હું તેમની જ રાહ જોઉં છું.  
દુર્યોધન : પિતાજી, હું જાઉં ત્યારે.
દુર્યોધન : પિતાજી, હું જાઉં ત્યારે.
[ જાય છે. ]
{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}[ જાય છે. ]
ધૃતરાષ્ટ્ર :  ભાગ અરે આ પુણ્યભીત, સાધ્વી જનનીની ઉગામેલા વજ્ર સમી દૃષ્ટિ તું શી રીતે સહન કરવાનો હતો! મારી તને શરમ નથી.
ધૃતરાષ્ટ્ર :  ભાગ અરે આ પુણ્યભીત, સાધ્વી જનનીની ઉગામેલા વજ્ર સમી દૃષ્ટિ તું શી રીતે સહન કરવાનો હતો! મારી તને શરમ નથી.
[ગાંધારીનો પ્રવેશ ]
{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}[ગાંધારીનો પ્રવેશ ]
ગાંધારી : આપના શ્રીચરણમાં મારે નિવેદન કરવાનું છે. આટલી વિનંતી રાખો, નાથ.
ગાંધારી : આપના શ્રીચરણમાં મારે નિવેદન કરવાનું છે. આટલી વિનંતી રાખો, નાથ.
ધૃતરાષ્ટ્ર : પ્રિયાની પ્રાર્થના કદી અપૂર્ણ રહે ખરી?
ધૃતરાષ્ટ્ર : પ્રિયાની પ્રાર્થના કદી અપૂર્ણ રહે ખરી?
Line 64: Line 64:
ગાંધારી : સો ગણી વેદના, હે નાથ, શું મને નથી થતી? પ્રભુ, જેને દંડ દેવાતો હોય તેની સાથે દંડ દેનાર સમાન આઘાતથી રડતો હોય તે સર્વશ્રેષ્ઠ ન્યાય છે. જેને માટે પ્રાણને કશી વ્યથા થતી નથી તેવાને દંડ દેવો એ પ્રબળનો અત્યાચાર છે. જે દંડવેદના પુત્રને દઈ શકતા નથી તે કોઈને પણ દેશો નહિ. જે તમારો પુત્ર નથી તેને પણ પિતા છે, હે ન્યાયાધીશ, તેની આગળ તમે મહા અપરાધી ઠરશો. મેં સાંભળ્યુ છે કે આપણે બધાં જ વિશ્વવિધાતાનાં સંતાન છીએ, તે નારાયણ સદા પોતાને હાથે પુત્રોના ન્યાય તોળે છે, વ્યથા આપે છે, સાથે વ્યથા પામે છે, નહિ તો ન્યાય તોળવાનો તેમને અધિકાર જ ન રહે. હું તો મૂઢ નારી છું. મને તો મારા અંતરમાં આ શાસ્ત્ર મળેલું છે. હે મહારાજ, તમે પાપી પુત્રને અવિચારીપણે ક્ષમા કરશો તો આજ સુધી જે અસંખ્ય અપરાધી માણસોને તમે પાર વગરની સજા કરી છે તે બધી સજા, કરનાર રાજા ઉપર આવીને ઊતરશે, તમારા ન્યાયના ફેંસલા નિર્દયતારૂપે પાપ બનીને તમને કલંકિત કરશે. પાપી દુર્યોધનનો ત્યાગ કરો.
ગાંધારી : સો ગણી વેદના, હે નાથ, શું મને નથી થતી? પ્રભુ, જેને દંડ દેવાતો હોય તેની સાથે દંડ દેનાર સમાન આઘાતથી રડતો હોય તે સર્વશ્રેષ્ઠ ન્યાય છે. જેને માટે પ્રાણને કશી વ્યથા થતી નથી તેવાને દંડ દેવો એ પ્રબળનો અત્યાચાર છે. જે દંડવેદના પુત્રને દઈ શકતા નથી તે કોઈને પણ દેશો નહિ. જે તમારો પુત્ર નથી તેને પણ પિતા છે, હે ન્યાયાધીશ, તેની આગળ તમે મહા અપરાધી ઠરશો. મેં સાંભળ્યુ છે કે આપણે બધાં જ વિશ્વવિધાતાનાં સંતાન છીએ, તે નારાયણ સદા પોતાને હાથે પુત્રોના ન્યાય તોળે છે, વ્યથા આપે છે, સાથે વ્યથા પામે છે, નહિ તો ન્યાય તોળવાનો તેમને અધિકાર જ ન રહે. હું તો મૂઢ નારી છું. મને તો મારા અંતરમાં આ શાસ્ત્ર મળેલું છે. હે મહારાજ, તમે પાપી પુત્રને અવિચારીપણે ક્ષમા કરશો તો આજ સુધી જે અસંખ્ય અપરાધી માણસોને તમે પાર વગરની સજા કરી છે તે બધી સજા, કરનાર રાજા ઉપર આવીને ઊતરશે, તમારા ન્યાયના ફેંસલા નિર્દયતારૂપે પાપ બનીને તમને કલંકિત કરશે. પાપી દુર્યોધનનો ત્યાગ કરો.
ધૃતરાષ્ટ્ર : પ્રિયે, સંહરી લો, સંહરી લો તમારી વાણી. મોહપાશને હું તોડી શકતો નથી, ધર્મની વાતો, માત્ર આવી આવીને વ્યર્થ સુકઠોર વ્યથા જન્માવે છે. પાપી પુત્ર વિધાતાને ત્યાજ્ય છે, એટલે હું તેને નહિં ત્યજી શકું, હું જ એક એનો છું. જે પુત્રે ઉન્મત્ત તરંગોમાં ઝંપલાવ્યું છે તેને છોડી જતાં મારો જીવ કેમ ચાલે? તેના ઉદ્ધારની આશા છોડી દઉં તોયે તેને પ્રાણપણે છાતી સરસો દાબી રાખું, તેની સાથે એક પાપમાં ઝંપલાવીને પડું, એક જ વિનાશને તળિયે ડૂબીને બેધડક મરું, તેની દુર્ગતિમાં ભાગ પડાવું, તેની દુર્ગતિનાં અર્ધાં ફળ ભોગવું, એ જ મારુ સાંત્વન છે. હવે કંઈ ન્યાય તોળવાનો વખત નથી, નથી કશો ઉપાય, નથી કશો માર્ગ, બનવાનું હતું તે બની ગયું, જે પરિણામ આવવાનું હશે તે આવશે.
ધૃતરાષ્ટ્ર : પ્રિયે, સંહરી લો, સંહરી લો તમારી વાણી. મોહપાશને હું તોડી શકતો નથી, ધર્મની વાતો, માત્ર આવી આવીને વ્યર્થ સુકઠોર વ્યથા જન્માવે છે. પાપી પુત્ર વિધાતાને ત્યાજ્ય છે, એટલે હું તેને નહિં ત્યજી શકું, હું જ એક એનો છું. જે પુત્રે ઉન્મત્ત તરંગોમાં ઝંપલાવ્યું છે તેને છોડી જતાં મારો જીવ કેમ ચાલે? તેના ઉદ્ધારની આશા છોડી દઉં તોયે તેને પ્રાણપણે છાતી સરસો દાબી રાખું, તેની સાથે એક પાપમાં ઝંપલાવીને પડું, એક જ વિનાશને તળિયે ડૂબીને બેધડક મરું, તેની દુર્ગતિમાં ભાગ પડાવું, તેની દુર્ગતિનાં અર્ધાં ફળ ભોગવું, એ જ મારુ સાંત્વન છે. હવે કંઈ ન્યાય તોળવાનો વખત નથી, નથી કશો ઉપાય, નથી કશો માર્ગ, બનવાનું હતું તે બની ગયું, જે પરિણામ આવવાનું હશે તે આવશે.
[જાય છે]
{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}[જાય છે]
ગાંધારી : ઓ મારા અશાંત હૃદય, તું શાંત થા. વિધિના વિધાનની નતમસ્તકે ધીરજપૂર્વક પ્રતીક્ષા કર્યા કર. સુદીર્ઘ રાત્રિ પછી જે દિવસે કાળ એકાએક જાગી ઊઠે છે, પોતાની ભૂલો સુધારે છે, તે દિવસ દારુણ દુ:ખનો હોય છે. જેમ દુઃસહ ઉત્તાપથી ઊંઘમાં પડેલો વાયુ સ્થિર ગતિહીન બની જાય છે, અને એકાએક વાવાઝોડારૂપે જાગી ઊઠે છે, પોતાની જાત ઉપર આક્રમણ કરે છે, અંધ વીંછીની પેઠે ભયંકર પૂંછડી વતી પોતાને જ માથે અવિરત દીપ્ત વજ્ર જેવો ડંખ મારે છે, તેમ કાલ જ્યારે જાગે છે ત્યારે ભયથી બધા તેને અકાલ કહે છે. હે રમણી, તારું માથું ઝુકાવી દે, ઝુકાવી દે, અને તે મહાકાલને પ્રણામ કર, તેના રથચક્રનો ધ્વનિ દૂર રુદ્રલોકમાંથી વજ્ર જેવા ઘર્ઘરનાદ કરતો સંભળાય છે. તારું આર્ત જર્જર હૃદય તેની તળે બિછાવી રાખ. મૂંગે મોઢે નિમેષહીન નયને છિન્ન સિક્ત હત્પિંડના રક્ત શતદલની અંજલી રચીને જાગતી બેસી રહે. ત્યાર પછી જ્યારે ગગનમાં ધૂળ ઊડશે, ધરણી કંપી ઊઠશે, આકાશમાં એકાએક ક્રન્દનધ્વનિ જાગશે, ત્યારે હે રમણી, હે અનાથા, હે વીરવધૂ, હે વીરમાતા, એ હાહાકાર વચ્ચે તું ધીરજપૂર્વક અવનત શિરે આંખો મીંચીને ધૂળમાં લોટી પડજે. ત્યાર પછી નમો નમઃ સુનિશ્રિત પરિણામ. નિર્વાક, નિર્મમ, દારુણ કરુણ શાંતિને નમસ્કાર હજો. નમસ્કાર હજો કલ્યાણ કઠોર કાંત સ્વરૂપને, સ્નિગ્ધતમ ક્ષમાને. વિદ્વેષના ભીષણ નિર્વાણને નમસ્કાર હજો. સ્મશાનની ભસ્મ લેપેલી પરમ મુક્તિને નમસ્કાર હજો.
ગાંધારી : ઓ મારા અશાંત હૃદય, તું શાંત થા. વિધિના વિધાનની નતમસ્તકે ધીરજપૂર્વક પ્રતીક્ષા કર્યા કર. સુદીર્ઘ રાત્રિ પછી જે દિવસે કાળ એકાએક જાગી ઊઠે છે, પોતાની ભૂલો સુધારે છે, તે દિવસ દારુણ દુ:ખનો હોય છે. જેમ દુઃસહ ઉત્તાપથી ઊંઘમાં પડેલો વાયુ સ્થિર ગતિહીન બની જાય છે, અને એકાએક વાવાઝોડારૂપે જાગી ઊઠે છે, પોતાની જાત ઉપર આક્રમણ કરે છે, અંધ વીંછીની પેઠે ભયંકર પૂંછડી વતી પોતાને જ માથે અવિરત દીપ્ત વજ્ર જેવો ડંખ મારે છે, તેમ કાલ જ્યારે જાગે છે ત્યારે ભયથી બધા તેને અકાલ કહે છે. હે રમણી, તારું માથું ઝુકાવી દે, ઝુકાવી દે, અને તે મહાકાલને પ્રણામ કર, તેના રથચક્રનો ધ્વનિ દૂર રુદ્રલોકમાંથી વજ્ર જેવા ઘર્ઘરનાદ કરતો સંભળાય છે. તારું આર્ત જર્જર હૃદય તેની તળે બિછાવી રાખ. મૂંગે મોઢે નિમેષહીન નયને છિન્ન સિક્ત હત્પિંડના રક્ત શતદલની અંજલી રચીને જાગતી બેસી રહે. ત્યાર પછી જ્યારે ગગનમાં ધૂળ ઊડશે, ધરણી કંપી ઊઠશે, આકાશમાં એકાએક ક્રન્દનધ્વનિ જાગશે, ત્યારે હે રમણી, હે અનાથા, હે વીરવધૂ, હે વીરમાતા, એ હાહાકાર વચ્ચે તું ધીરજપૂર્વક અવનત શિરે આંખો મીંચીને ધૂળમાં લોટી પડજે. ત્યાર પછી નમો નમઃ સુનિશ્રિત પરિણામ. નિર્વાક, નિર્મમ, દારુણ કરુણ શાંતિને નમસ્કાર હજો. નમસ્કાર હજો કલ્યાણ કઠોર કાંત સ્વરૂપને, સ્નિગ્ધતમ ક્ષમાને. વિદ્વેષના ભીષણ નિર્વાણને નમસ્કાર હજો. સ્મશાનની ભસ્મ લેપેલી પરમ મુક્તિને નમસ્કાર હજો.
[દુર્યોધનની મહારાણી ભાનુમતીને પ્રવેશ ]
<center>[દુર્યોધનની મહારાણી ભાનુમતીને પ્રવેશ ]</center>
ભાનુમતી : (દાસીઓ પ્રત્યે) ઇન્દુમુખી, પરભૃતે, માલ્યવસ્ત્ર અલંકાર માથે ઉપાડી લો.
ભાનુમતી : (દાસીઓ પ્રત્યે) ઇન્દુમુખી, પરભૃતે, માલ્યવસ્ત્ર અલંકાર માથે ઉપાડી લો.
ગાંધારી: બેટા, ધીરી, ધીરી. પૌરવભવનમાં આજે શાનો મહોત્સવ છે? નવાં વસ્ત્રો અને અલંકારો સજીને ક્યાં જાય છે વહુ?  
ગાંધારી: બેટા, ધીરી, ધીરી. પૌરવભવનમાં આજે શાનો મહોત્સવ છે? નવાં વસ્ત્રો અને અલંકારો સજીને ક્યાં જાય છે વહુ?  
Line 75: Line 75:
ભાનુમતી : માતા, આપણે ક્ષત્રિય સ્ત્રીઓ છીએ, દુર્ભાગ્યથી કદી ડરીએ નહિ. કદી જય, કદી પરાજય, ક્ષત્રિય મહિમાનો સૂર્ય તો કદી મધ્યાહ્ન ગગનમાં ચડે છે તો કદી અસ્તાચળે ઊતરે છે. હે માડી, આપણે ક્ષત્રવીરાંગના એ સંભારીને શંકાના પેટમાં રહેવા છતાં ક્ષણભર પણ સંકટથી ડરતી નથી. કોઈ વાર પડતા દહાડા આવ્યા, કોઈ આફત ઊતરી આવી, તો તે વખતે વિમુખ ભાગ્યનો ઉપહાસ કરતાં કરતાં કેવી રીતે મરવું તે પણ મને આવડે છે, અને જીવવું કેમ તે પણ આપના શ્રીચરણની સેવા કરીને મેં શીખી લીધું છે.  
ભાનુમતી : માતા, આપણે ક્ષત્રિય સ્ત્રીઓ છીએ, દુર્ભાગ્યથી કદી ડરીએ નહિ. કદી જય, કદી પરાજય, ક્ષત્રિય મહિમાનો સૂર્ય તો કદી મધ્યાહ્ન ગગનમાં ચડે છે તો કદી અસ્તાચળે ઊતરે છે. હે માડી, આપણે ક્ષત્રવીરાંગના એ સંભારીને શંકાના પેટમાં રહેવા છતાં ક્ષણભર પણ સંકટથી ડરતી નથી. કોઈ વાર પડતા દહાડા આવ્યા, કોઈ આફત ઊતરી આવી, તો તે વખતે વિમુખ ભાગ્યનો ઉપહાસ કરતાં કરતાં કેવી રીતે મરવું તે પણ મને આવડે છે, અને જીવવું કેમ તે પણ આપના શ્રીચરણની સેવા કરીને મેં શીખી લીધું છે.  
ગાંધારી : બેટા, અમંગળ તારી એકલીનું નથી. તે જ્યારે પોતાના લાવલશ્કર સાથે ભૂખ શમાવે છે ત્યારે હાહાકાર ઊઠે છે, કેટલાય વીરોના રક્તના પ્રવાહમાં વિધવાની અશ્રુધારા આવી આવીને પડે છે, વધૂના હાથ પરથી સેંકડો અલંકારો ખરી પડે છે—ઝંઝાવાતથી આમ્રકુંજવનમાં જાણે મંજરી. વત્સે, બાંધેલો સેતુ તોડીશ નહિ. રમતને બહાને ઘરમાં વિપ્લવનો કેતુ ખડો કરીશ નહિ. આજે આનંદનો દિવસ નથી, સ્વજનના દુર્ભાગ્ય ઉપર અંગે અંગે શણગાર સજીને ગર્વ કરીશ નહિ, મા. આજથી સુસંયત થઈને શુદ્ધ ચિત્તે ઉપવાસવ્રતનું આચરણ કર, વેણી ખોલી નાખીને શાંત મને દેવતાની અર્ચના કર. બેટા, આ પાપ-સૌભાગ્યને દિવસે ગર્વ અને અહંકારથી વિધાતાને ક્ષણે ક્ષણે લજ્જા દઈશ નહિ. કાઢી નાખ આ અલંકારો અને નવું રક્તાંબર, થંભાવી દે ઉત્સવનાં વાજાં અને રાજઆડંબર. પુત્રી, અગ્નિગૃહમાં જા, પુરોહિતને બોલાવ, શુદ્ધસત્ત્વચિત્તે કાળની પ્રતીક્ષા કર.
ગાંધારી : બેટા, અમંગળ તારી એકલીનું નથી. તે જ્યારે પોતાના લાવલશ્કર સાથે ભૂખ શમાવે છે ત્યારે હાહાકાર ઊઠે છે, કેટલાય વીરોના રક્તના પ્રવાહમાં વિધવાની અશ્રુધારા આવી આવીને પડે છે, વધૂના હાથ પરથી સેંકડો અલંકારો ખરી પડે છે—ઝંઝાવાતથી આમ્રકુંજવનમાં જાણે મંજરી. વત્સે, બાંધેલો સેતુ તોડીશ નહિ. રમતને બહાને ઘરમાં વિપ્લવનો કેતુ ખડો કરીશ નહિ. આજે આનંદનો દિવસ નથી, સ્વજનના દુર્ભાગ્ય ઉપર અંગે અંગે શણગાર સજીને ગર્વ કરીશ નહિ, મા. આજથી સુસંયત થઈને શુદ્ધ ચિત્તે ઉપવાસવ્રતનું આચરણ કર, વેણી ખોલી નાખીને શાંત મને દેવતાની અર્ચના કર. બેટા, આ પાપ-સૌભાગ્યને દિવસે ગર્વ અને અહંકારથી વિધાતાને ક્ષણે ક્ષણે લજ્જા દઈશ નહિ. કાઢી નાખ આ અલંકારો અને નવું રક્તાંબર, થંભાવી દે ઉત્સવનાં વાજાં અને રાજઆડંબર. પુત્રી, અગ્નિગૃહમાં જા, પુરોહિતને બોલાવ, શુદ્ધસત્ત્વચિત્તે કાળની પ્રતીક્ષા કર.
[ ભાનુમતી જાય છે. ]
{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}[ ભાનુમતી જાય છે. ]
[દ્રૌપદી સાથે પાંચ પાંડવોનો પ્રવેશ ]
<center>[દ્રૌપદી સાથે પાંચ પાંડવોનો પ્રવેશ ]</center>
યુધિષ્ઠિર : વિદાય વેળાએ આશીર્વાદ માગવાને આવ્યાં છીએ, માતા.  
યુધિષ્ઠિર : વિદાય વેળાએ આશીર્વાદ માગવાને આવ્યાં છીએ, માતા.  
ગાંધારી : હે વત્સગણ, સૌભાગ્યનો દિનમણિ દુઃખરાત્રિનું અવસાન થતાં બમણો ઉજ્જ્વળ થઈને ઊગશે. હે મારા દુ:ખવ્રતી પુત્રો, તમે વાયુમાંથી બળ, સૂર્યમાંથી તેજ, પૃથ્વીમાંથી ધૈર્ય અને ક્ષમા પામજો. દૈન્યમાં લક્ષ્મી દીન છૂપે રૂપે નિરંતર ગુપ્ત રીતે તમારી પાછળ ફરતી રહો, અને તમારે માટે દુ:ખમાંથી અક્ષય સંપત્તિનો સંચય કરો, તમારો દેશવટો સદા નિર્ભય હો, વગર પાપે આવી પડેલા આ દુઃખભોગ તમારા અંતરમાં વહ્નિશિખાથી તપેલા દીપ્ત સુવર્ણ સમું જ્વલંત તેજ પેદા કરો. એ મહાદુ:ખ જ તમને મહાન સહાયરૂપ થઈ પડશે. ઓ દુ:ખના તો ધર્મરાજ વિધાતા તમારા ઋણી થઈને રહેશે, અને તેઓ જ્યારે પોતાને હાથે આત્મઋણ ફેડશે ત્યારે જગતમાં દેવ કે માનવમાંથી કોણ તમારા માર્ગમાં આડું ઊભું રહે એમ છે? પુત્રથીયે વધુ એવા હે પુત્રો, મારા પુત્રે જે કંઈ અપરાધ કર્યા છે તે બધા મારા આશીર્વાદથી ફોક થઈ જાઓ. અન્યાય પીડન ગભીર કલ્યાણ–સિંધુનું મંથન કરો.
ગાંધારી : હે વત્સગણ, સૌભાગ્યનો દિનમણિ દુઃખરાત્રિનું અવસાન થતાં બમણો ઉજ્જ્વળ થઈને ઊગશે. હે મારા દુ:ખવ્રતી પુત્રો, તમે વાયુમાંથી બળ, સૂર્યમાંથી તેજ, પૃથ્વીમાંથી ધૈર્ય અને ક્ષમા પામજો. દૈન્યમાં લક્ષ્મી દીન છૂપે રૂપે નિરંતર ગુપ્ત રીતે તમારી પાછળ ફરતી રહો, અને તમારે માટે દુ:ખમાંથી અક્ષય સંપત્તિનો સંચય કરો, તમારો દેશવટો સદા નિર્ભય હો, વગર પાપે આવી પડેલા આ દુઃખભોગ તમારા અંતરમાં વહ્નિશિખાથી તપેલા દીપ્ત સુવર્ણ સમું જ્વલંત તેજ પેદા કરો. એ મહાદુ:ખ જ તમને મહાન સહાયરૂપ થઈ પડશે. ઓ દુ:ખના તો ધર્મરાજ વિધાતા તમારા ઋણી થઈને રહેશે, અને તેઓ જ્યારે પોતાને હાથે આત્મઋણ ફેડશે ત્યારે જગતમાં દેવ કે માનવમાંથી કોણ તમારા માર્ગમાં આડું ઊભું રહે એમ છે? પુત્રથીયે વધુ એવા હે પુત્રો, મારા પુત્રે જે કંઈ અપરાધ કર્યા છે તે બધા મારા આશીર્વાદથી ફોક થઈ જાઓ. અન્યાય પીડન ગભીર કલ્યાણ–સિંધુનું મંથન કરો.
[દ્રૌપદીને આલિંગન કરીને ]  
<center>[દ્રૌપદીને આલિંગન કરીને ] </center>
ધૂળમાં રોળાયલી સુવર્ણલતા, ઓ મારી દીકરી, ઓ મારી રાહુગ્રસ્ત ચંદ્રલેખા, એક વાર માથું ઊંચું કર, મારા બોલ સાંભળ. જેણે તારી અવમાનના કરી છે તેનું અપમાન જગતમાં કાયમ રહેશે, તેનું કલંક અક્ષય બનશે. કાયરતાને હાથે થયેલી સતીની લાંછનારૂપી તારા અપમાનનો રાશિ જગતની બધી કુલાંગનાઓએ વહેંચી લીધો છે. જા બેટા, પતિ સાથે અમલિન મુખે રહી અરણ્યને સ્વર્ગ બનાવજે, દુ:ખને સુખમાં પલટી નાખજે. વહુબેટા, પતિના દુઃખની સુદુઃસહ વ્યથા હૈયે ધારણ કરીને સતીત્વની સાર્થકતાને પામજે. રાજમહેલમાં તો રાતદિવસ હજારો સુખની સામગ્રી હોય છે, વનમાં તું એકલી જ સર્વ સુખ, સર્વ સંગ, સર્વ ઐશ્વર્યરૂપ, સર્વ સાંત્વના અને સર્વ આશ્રયરૂપ, કલાંતિમાં આરામ અને શાંતિ, વ્યાધિમાં શુશ્રૂષા, દુર્દિનમાં શુભ લક્ષ્મી, તમોમયી રાત્રિના આભૂષણરૂપ મૂર્તિમતી ઉષા બની રહેશે, તું એકલી સર્વપ્રીતિ અને સર્વસેવારૂપ, જનની, ગૃહિણી, બનીને સતીત્વના શ્વેતપદ્મ સમી સંપૂર્ણ સૌરભથી શત પાંખડીએ પ્રકુલ્લીને ગૌરવપૂર્વક જાગતી રહેશે.
ધૂળમાં રોળાયલી સુવર્ણલતા, ઓ મારી દીકરી, ઓ મારી રાહુગ્રસ્ત ચંદ્રલેખા, એક વાર માથું ઊંચું કર, મારા બોલ સાંભળ. જેણે તારી અવમાનના કરી છે તેનું અપમાન જગતમાં કાયમ રહેશે, તેનું કલંક અક્ષય બનશે. કાયરતાને હાથે થયેલી સતીની લાંછનારૂપી તારા અપમાનનો રાશિ જગતની બધી કુલાંગનાઓએ વહેંચી લીધો છે. જા બેટા, પતિ સાથે અમલિન મુખે રહી અરણ્યને સ્વર્ગ બનાવજે, દુ:ખને સુખમાં પલટી નાખજે. વહુબેટા, પતિના દુઃખની સુદુઃસહ વ્યથા હૈયે ધારણ કરીને સતીત્વની સાર્થકતાને પામજે. રાજમહેલમાં તો રાતદિવસ હજારો સુખની સામગ્રી હોય છે, વનમાં તું એકલી જ સર્વ સુખ, સર્વ સંગ, સર્વ ઐશ્વર્યરૂપ, સર્વ સાંત્વના અને સર્વ આશ્રયરૂપ, કલાંતિમાં આરામ અને શાંતિ, વ્યાધિમાં શુશ્રૂષા, દુર્દિનમાં શુભ લક્ષ્મી, તમોમયી રાત્રિના આભૂષણરૂપ મૂર્તિમતી ઉષા બની રહેશે, તું એકલી સર્વપ્રીતિ અને સર્વસેવારૂપ, જનની, ગૃહિણી, બનીને સતીત્વના શ્વેતપદ્મ સમી સંપૂર્ણ સૌરભથી શત પાંખડીએ પ્રકુલ્લીને ગૌરવપૂર્વક જાગતી રહેશે.
<br>
<br>
{{સ-મ|||'''(અનુ. નગીનદાસ પારેખ)'''}} <br>
{{સ-મ|||'''(અનુ. નગીનદાસ પારેખ)'''}} <br>
26,604

edits