એકોત્તરશતી/૬૩. યાબાર દિને

From Ekatra Wiki
Revision as of 16:16, 29 March 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જવાના દિવસે (યાબાર દિને))}} {{Poem2Open}} થાય છે કે જવાના દિવસે આ વાત કહેતો જાઉં: જે જોયું છે, જે પામ્યો છું, તેનો જોટો નથી. આ જ્યોતિસમુદ્રમાં જે શતદલ પદ્મ શોભે છે તેના મધુનું પાન કર્યું...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


જવાના દિવસે (યાબાર દિને))

થાય છે કે જવાના દિવસે આ વાત કહેતો જાઉં: જે જોયું છે, જે પામ્યો છું, તેનો જોટો નથી. આ જ્યોતિસમુદ્રમાં જે શતદલ પદ્મ શોભે છે તેના મધુનું પાન કર્યું છે, એથી હું ધન્ય છું, જવાના દિવસે આ વાત જણાવતો જાઉ. વિશ્વરૂપના ક્રીડાગૃહમાં કેટલુંય હું રમ્યો!-—બંને આંખો ખાલીને અપરૂપને નીરખ્યું! જે (પ્રભુ)નો સ્પર્શ સરખો થઈ શકતો નથી તે (મારા) આખા દેહમાં પકડાયા. અહીં જ જો પૂરું કરી દેવું હોય તો તે ભલે પૂરું કરી દેતા. જવાના સમયે આ વાત જણાવતો જાઉં.

(અનુ. ઉમાશંકર જોશી)