એકોત્તરશતી/૬૩. યાબાર દિને

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જવાના દિવસે (યાબાર દિને)

થાય છે કે જવાના દિવસે આ વાત કહેતો જાઉં: જે જોયું છે, જે પામ્યો છું, તેનો જોટો નથી. આ જ્યોતિસમુદ્રમાં જે શતદલ પદ્મ શોભે છે તેના મધુનું પાન કર્યું છે, એથી હું ધન્ય છું, જવાના દિવસે આ વાત જણાવતો જાઉ. વિશ્વરૂપના ક્રીડાગૃહમાં કેટલુંય હું રમ્યો!-—બંને આંખો ખાલીને અપરૂપને નીરખ્યું! જે (પ્રભુ)નો સ્પર્શ સરખો થઈ શકતો નથી તે (મારા) આખા દેહમાં પકડાયા. અહીં જ જો પૂરું કરી દેવું હોય તો તે ભલે પૂરું કરી દેતા. જવાના સમયે આ વાત જણાવતો જાઉં. ૫ ઓગસ્ટ, ૧૯૧૦ ‘ગીતાંજલિ’

(અનુ. ઉમાશંકર જોશી)