કંકાવટી/​​મુનિવ્રત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|મુનિવ્રત|}} {{Poem2Open}} વ્રત કરનારી આખો દિવસ અબોલ રહે. સાંજે આકાશ...")
 
No edit summary
 
Line 21: Line 21:
</poem>
</poem>
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav
|previous = ​​બીજ માવડી
|previous = ​​[[કંકાવટી/​​બીજ માવડી|​બીજ માવડી]]
|next = ગણાગોર
|next = [[કંકાવટી/​​ગણાગોર|​​ગણાગોર]]
}}
}}

Latest revision as of 11:44, 24 January 2022

મુનિવ્રત

વ્રત કરનારી આખો દિવસ અબોલ રહે. સાંજે આકાશમાં તારા ટમકે, તેને દીઠયે મુનિરત છૂટે. પણ છૂટે ક્યારે? કવિતા ગાય ત્યારે. ઊગતા તારા જ્યારે દેખાય, ગામમાં દેવદેરાંમાં ઝાલરના ઝણકાર થાય, દેવ-નગારાં ઘોરી ઊઠે છે, ત્યારે કન્યા બોલવા લાગે:

અંટ વાગે
ઘંટ વાગે
ઝાલરનો ઝણકાર વાગે
આકાશે ઊગ્યા તારા
બોલે મુનિવાળા!
 
કોઈ કોઈ ઠેકાણે વળી આમ બોલાય છે:
ઝાલર ઝણકી
કાંસી રણકી
ઊગ્યા તારા
મુનિ મારા
મુનિયાંનાં વ્રત છૂટ્યાં
બોલો મુનિ રામ રામ.