કંકાવટી મંડળ 1/એવરત–જીવરત: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 156: Line 156:
બીજા નવ માસ થયા અને બાઈને તો દીકરી આવી છે. દીકરીને તો પથરો ય પડતો નથી. સાસુ સુવાડે તો ય સૂઈ રહે ને વહુ સુવાડે તો ય સૂઈ રહે છે, સૌ બોલે છે કે —
બીજા નવ માસ થયા અને બાઈને તો દીકરી આવી છે. દીકરીને તો પથરો ય પડતો નથી. સાસુ સુવાડે તો ય સૂઈ રહે ને વહુ સુવાડે તો ય સૂઈ રહે છે, સૌ બોલે છે કે —
“નભાઈ ચુડેલ! ચાર-ચાર દીકરા ભરખીને હવે છોકરીને જિવાડે છે!”
“નભાઈ ચુડેલ! ચાર-ચાર દીકરા ભરખીને હવે છોકરીને જિવાડે છે!”
{{Poem2Close}}
<center>''''''</center>
{{Poem2Open}}
ચાર વરસનાં ચાર વ્રત પૂરાં થયાં છે. બાઈ કહે છે કે “બાઈજી, બાઈજી, મારે તો ગોરણિયું જમાડવી છે. વ્રતનાં ઉજવણાં કરવાં છે.”
સાસુ કહે, “તને ફાવે તેમ કર ને, ભા!”
બાઈ તો નાહી-ધોઈ, નીતરતી લટ મેલી, કંકાવટી ને ચોખા લઈ સડેડા… ટ નદીને સામે કાંઠે દેરે ગઈ છે. જઈને ચાર ચાંદલા કર્યા છે. કરીને બોલી, કે —
{{Poem2Close}}
<poem>
::એવરત જીવરત
::અજૈયા વજૈયા!
::ચારે બેન્યું મારે ઘેર જમવા આવજો.
::ચારેને ગોરણિયું કહી જાઉં છું.
</poem>
{{Poem2Open}}
ઘેર જઈને બાઈએ તો લાપસી રાંધી છે. સાસુ તો આડોશીપાડોશીમાં પૂછી આવી છે કે “બાઈ બાઈ, મારી વહુ કોઈને ગોરણી નોતરી ગઈ છે?”
સૌ કહે કે “ના રે, બાઈ!”
“ત્યારે વાલામૂઈ કોને કહી આવી હશે?”
જમવાનું ટાણું થયું છે. ત્યાં તો ચારેય દેવીઓ ચારેય દીકરાને આંગળીએ વળગાડીને હાલી આવે છે.
સાસુડી તો જોઈ રહી છે! ઓહો શાં રૂપ ને શાં તેજ! આ તે શું, વહુ ગરાસણિયુંને ગોરાણી કહી આવી હશે!
ચારેય માતાજીના પ્રથમ તો પાણીએ પગ ધોયા છે. પછી દૂધે પગ ધોયા છે. અંગૂઠાનાં ચરણામૃત લીધાં છે. ચારેયને કંકુએ પીળેલ છે. પછી જમવા બેસારેલ છે.
ચારેય માતાજી તો જમ્યાંજૂઠ્યાં છે. જાવા તૈયાર થયાં ત્યાં તો ઘોડિયામાંથી છોકરીએ રોવું આદર્યું છે.
ચારેય બેન્યું પૂછે છે કે “ગગી, કેમ રોઈ?”
દીકરી કહે છે કે “સૌને એક ભાઈ ને મારે એકેય નહિ!”
“આ લે ને માડી, તારો ભાઈ!” કહી એવરતે આંગળીએથી દીકરો સોંપ્યો. વળી થોડુંક હાલ્યાં. વળી દીકરી રોઈ. જીવરત માએ પૂછ્યું :
“ગગી, કેમ રોઈ?”
“સહુને બબ્બે ભાઈ ને મારે તો એક જ!”
“આ લે ને બીજો ભાઈ!”
એમ કરીને જીવરતે ભાઈ દીધો છે. વળી આગળ હાલ્યાં ત્યાં દીકરી રોઈ છે.
“ગગી, કેમ રોઈ?”
“સહુને તો ત્રણ-ત્રણ ભાઈને મારે તો બે જ!”
“આ લે ને આ ત્રીજો ભાઈ!”
એમ કહીને અજૈયા માએ ત્રીજો ભાઈ દીધો છે. વળી આગળ હાલે ત્યાં છોકરી રોઈ.
“કેમ રોઈ, માડી?”
“સહુને તો ચચ્ચાર ભાઈ ને મારે તો ત્રણ જ!”
“આ લે, ચોથો ભાઈ!”
એમ કહી વજૈયા માએ તો ચોથો દીકરો આપી દીધો છે. ચારેય જણીઓ ચાર દૂધમલિયા દીકરા દઈને ચાલી નીકળી છે.
બાઈને થાનેલેથી તો ધાવણની ધાર વછૂટી છે. શાથી, પોતાના ચારેય દીકરાને ઉઝેરીને માતાજીએ પાછા દીધા છે.
ગામમાં તો આખી વાતનો ફોડ પડ્યો છે. ધણીને સજીવન કરવા બાઈએ ચાર-ચાર દીકરા ચડાવ્યા’તા! અરે બાઈ! સગાં માવતર દીકરાને ઘમઘોરી રાતે મેલીને હાલ્યાં આવ્યાં’તાં! અને દીકરો જીવ્યો તે તો વહુને પુન્યે.
વહુના વ્રતની તો ‘જે! જે!’ બોલાણી છે. સાસુ-સસરો તો વહુને પાયે પડ્યાં છે.
એવરત-જીવરત ને  અજૈયા-વજૈયા એને ફળ્યાં એવાં સૌને ફળજો!
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits