કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૨. પિતા—: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૨. પિતા—| નિરંજન ભગત}} <poem> પિતા, મરણનેય તેં પરમ મિત્ર માન્યો...")
 
No edit summary
 
Line 23: Line 23:
</poem>
</poem>
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૫૮)}}
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૫૮)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૧. ધરતીની પ્રીત|૧૧. ધરતીની પ્રીત]]
|next =[[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૩. હરી ગયો|૧૩. હરી ગયો]]
}}

Latest revision as of 10:57, 3 September 2021

૧૨. પિતા—

નિરંજન ભગત

પિતા, મરણનેય તેં પરમ મિત્ર માન્યો હતો!
તને જીવન જ્યાહરે પુનિત પૂર્ણ લાગ્યું ન’તું,
તદા સતત મૃત્યુનું શરણ તેં ન માગ્યું હતું?
પિતા, મરણનેય તેં જીવનમંત્ર જાણ્યો હતો!

તને પ્રબલ એક આશ હતી એ જ કેઃ ‘છો મરું,
પરંતુ નિજ દેહનાં જ બસ પંચ તે ભૂતને
કરું નહિ સુધન્ય, કિન્તુ મુજ આત્મના ઋતને
કરું પ્રગટ, વિશ્વના સકલ રોમરોમે ધરું!’

અને કરુણ અંતના જીવનની બની એ વ્યથા!
પરંતુ પ્રિય મૃત્યુએ સદય થૈ મિટાવી, પિતા,
જલાવી તવ દેહનાં સકલ બંધનોની ચિતા!
— અમે નિજ કલંકની શીદ મિટાવશું રે કથા?

નહીં, ઘટમહીં તને કદીય તે ન ઝાલ્યો જતો,
વિરાટમય તું ભલે અભયમુક્ત ચાલ્યો જતો!

૧૨-૨-૧૯૪૮

(બૃહદ છંદોલય, પૃ. ૫૮)