કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૩૨. ઍકવેરિયમમાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૨. ઍકવેરિયમમાં| નિરંજન ભગત}} <poem> તરે છ માછલી, ન જિંદગી સ્મરે...")
 
No edit summary
 
Line 34: Line 34:
</poem>
</poem>
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૨૦૫)}}
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૨૦૫)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૩૧. ઝૂમાં |૩૧. ઝૂમાં ]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૩૩. ફૉકલેન્ડ રોડ |૩૩. ફૉકલેન્ડ રોડ ]]
}}

Latest revision as of 12:14, 4 September 2021

૩૨. ઍકવેરિયમમાં

નિરંજન ભગત

તરે છ માછલી,
ન જિંદગી સ્મરે છ પાછલી?

અહીં પ્રકાશ,
કિંતુ સૂર્યનો નહીં, નિયૉન-પાશ;
ને સમુદ્રનું જ જલ
પરંતુ અહીં તરંગનું ન બલ.

નેત્રરાંકડી છતાંય પુચ્છવાંકડી,
ન જાણતી કે સૃષ્ટિ સાંકડી
અહીં કઠોર, કાંકરેટ કાચની,
નઠોર, જૂઠ, સૃષ્ટિ આ ન સાચની.

વેંત વેંતમાં જ ગાઉ ગાઉ માપવા
અને ન ક્યાંય પ્હોંચવું,
સદાય વેગમાં જ પંથ કાપવા,
ન થોભવું, ન શોચવું.

મનુષ્ય (કાચ પાર હું સમાં ઘણાં અહીં ફરે
ન કોઈ જેમનાં પ્રદર્શનો ભરે!)
કને જ આ કલા ભણી,
અગમ્ય શી ગણી.

તરે છ માછલી,
ન જિંદગી સ્મરે છ પાછલી!




(બૃહદ છંદોલય, પૃ. ૨૦૫)