કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/ ૧૩. કૃષ્ણ-રાધા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 22: Line 22:
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૩૧)}}
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૩૧)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/ ૧૨. સાંઈ| ૧૨. સાંઈ]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/ ૧૪. કાળ| ૧૪. કાળ]]
}}

Latest revision as of 07:08, 21 September 2021


૧૩. કૃષ્ણ-રાધા

પ્રિયકાન્ત મણિયાર

આ નભ ઝૂક્યું તે કાનજી
ને ચાંદની તે રાધા રે.
આ સરવર જલ તે કાનજી
ને પોયણી તે રાધા રે.
આ બાગ ખીલ્યો તે કાનજી
ને લ્હેરી જતી તે રાધા રે.
આ પરવત શિખર કાનજી
ને કેડી ચડે તે રાધા રે.
આ ચાલ્યાં ચરણ તે કાનજી
ને પગલી પડે તે રાધા રે.
આ કેશ ગૂંથ્યા તે કાનજી
ને સેંથી પૂરી તે રાધા રે.
આ દીપ જલે તે કાનજી
ને આરતી તે રાધા રે.
આ લોચન મારાં કાનજી
ને નજરું જુએ તે રાધા રે!

(આ નભ ઝૂક્યું, પૃ. ૩૧)