કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/ ૧૩. કૃષ્ણ-રાધા: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૩૧)}} | {{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૩૧)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/ ૧૨. સાંઈ| ૧૨. સાંઈ]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/ ૧૪. કાળ| ૧૪. કાળ]] | |||
}} |
Latest revision as of 07:08, 21 September 2021
૧૩. કૃષ્ણ-રાધા
પ્રિયકાન્ત મણિયાર
આ નભ ઝૂક્યું તે કાનજી
ને ચાંદની તે રાધા રે.
આ સરવર જલ તે કાનજી
ને પોયણી તે રાધા રે.
આ બાગ ખીલ્યો તે કાનજી
ને લ્હેરી જતી તે રાધા રે.
આ પરવત શિખર કાનજી
ને કેડી ચડે તે રાધા રે.
આ ચાલ્યાં ચરણ તે કાનજી
ને પગલી પડે તે રાધા રે.
આ કેશ ગૂંથ્યા તે કાનજી
ને સેંથી પૂરી તે રાધા રે.
આ દીપ જલે તે કાનજી
ને આરતી તે રાધા રે.
આ લોચન મારાં કાનજી
ને નજરું જુએ તે રાધા રે!
(આ નભ ઝૂક્યું, પૃ. ૩૧)