કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૪૩. કાંઈ શું વળે?
Revision as of 10:22, 11 November 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૩. કાંઈ શું વળે?|}} <poem> મનમાં મિતાઈ, ઝીણું ઝીણું બળે, :: આમ ન કર્યું હોત તો! ::: હવે કાંઈ કર્યે શું વળે? આપણું કર્યું કાંઈ ન ચાલે, :::: જાણી લીધું, ભાઈ! સાત પતાળે માછલી પોઢી :::: આવે તીર તણા...")
૪૩. કાંઈ શું વળે?
મનમાં મિતાઈ, ઝીણું ઝીણું બળે,
આમ ન કર્યું હોત તો!
હવે કાંઈ કર્યે શું વળે?
આપણું કર્યું કાંઈ ન ચાલે,
જાણી લીધું, ભાઈ!
સાત પતાળે માછલી પોઢી
આવે તીર તણાઈ.
માધવ સાથે મમતા મારી,
માધવ માથે રોષ,
દોષ દઈને છૂટવા ચાહું,
કોનો કાઢું દોષ?
(સંગતિ, પૃ. ૧૨૫)