કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૪૪. — કે કાગળ હરિ લખે તો બને

Revision as of 07:58, 13 September 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૪. — કે કાગળ હરિ લખે તો બને|રમેશ પારેખ}} <poem> :::— કે કાગળ હરિ લખ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૪૪. — કે કાગળ હરિ લખે તો બને

રમેશ પારેખ

— કે કાગળ હરિ લખે તો બને
અવર લખે તે એકે અક્ષર નથી ઊકલતા મને…

મોરપીંછનો જેના ઉપર પડછાયો ના પડિયો
શું વાંચું એ કાગળમાં જે હોય શાહીનો ખડિયો?
એ પરબીડિયું શું ખોલું જેની વાટ ન હો આંખને…

મીરાં ક્‌હે પ્રભુ, શ્વાસ અમારો કેવળ એક ટપાલી
નિસદિન આવે જાય લઈને થેલો ખાલી ખાલી
ચિઠ્ઠી લખતાંવેંત પહોંચશે સીધી મીરાં કને…

૨૫-૧૦-’૮૨/સોમ
(છ અક્ષરનું નામ, પૃ. ૪૨૧)