કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૧૯.૧૯૬૪-૬૫માં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૯.૧૯૬૪-૬૫માં|}} <poem> હવે શાં કાવ્ય લખું ? માણસનો કાન હવે તો ધૂ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૧૯.૧૯૬૪-૬૫માં|}}
{{Heading|૧૯.૧૯૬૪-૬૫માં|રાવજી પટેલ}}


<poem>
<poem>

Latest revision as of 12:00, 17 June 2022


૧૯.૧૯૬૪-૬૫માં

રાવજી પટેલ

હવે શાં કાવ્ય લખું ?
માણસનો કાન હવે તો ધૂળ-ધુમાડો-પથ્થર.
થર થર ધરા ધરુજે...
હથેલીઓમાં શ્વાસ-સીમા જે બચી એટલી સાચી.
સાચું તો ક્યાં છે અંધારું ?
આંખોના ખૂણા છોડીને ભાગ્યું...
આ તો
ગરુડની તોળાઈ રહેલી પાંખ....,
આ તો
છાપાનાં પાનાં પર અધમૂઆં નગર
અક્ષર થઈ વેરાયાં ઝાંખાં-પાંખાં,
ફોડામાં બાળક સંતાતું
એમ સ્ત્રીઓની સામે
પુરુષનું બળ મ્લાન નજરમાં લપી જતું.
બળ્યો, જળ્યો લય ભીંતો કોચે
આખો દેશ અડાયા પર બેઠો છે !
ત્યારે બૉમ્બ પડેલા ગામ સરીખી
સપાટ નિર્જન જીભ (કવિની).
(અંગત, પૃ. ૩૧)