કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૩૭. લો રામ રામ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૭. લો રામ રામ| }} <poem> વિરહમાં ક્યારેક ઘેલા મનને બહેલાવું છું આમ, દ્વાર ખખડાવું છું મારાં લઈને હું મારું જ નામ. આભ-ધરતી બેઉ ચોળે છે લલાટે ગર્વથી, પ્રેમીઓની ભસ્મનો પણ છે બહુ ઊંચો...")
 
No edit summary
 
Line 24: Line 24:
{{Right|(શૂન્યનો વૈભવ, પૃ. ૩૭૦)}}
{{Right|(શૂન્યનો વૈભવ, પૃ. ૩૭૦)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૩૬. ઉકળતો ચરૂ છે
|next = ૩૮. આંખોનું શરણ
}}

Latest revision as of 10:43, 14 November 2022

૩૭. લો રામ રામ


વિરહમાં ક્યારેક ઘેલા મનને બહેલાવું છું આમ,
દ્વાર ખખડાવું છું મારાં લઈને હું મારું જ નામ.

આભ-ધરતી બેઉ ચોળે છે લલાટે ગર્વથી,
પ્રેમીઓની ભસ્મનો પણ છે બહુ ઊંચો મુકામ.

મોત ને મોતીમાં ઝાઝું ખાસ કૈં અંતર નથી;
મરજીવા તારી લગનને રૂપની લાખો સલામ.

પ્યાસ કેવી છે સમંદરની નથી એને ખબર,
સાવ પાણીમાં જવાની છે નદીની દોડધામ.

પ્રેમમાં એ રામ પેદા કર કે તારી જિંદગી,
મોત પહેલાં કહી શકે ખુદ મોતને, લો રામરામ.

કેટલા ભોળા છે આ દુનિયાના લોકો, શું કહું?
શૂન્ય છું જાણ્યા છતાં પૂછે છે મારું નામઠામ.

(શૂન્યનો વૈભવ, પૃ. ૩૭૦)