કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૪૮. લોહીની સગાઈ

From Ekatra Wiki
Revision as of 09:22, 14 November 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
૪૮. લોહીની સગાઈ[1]



કહે છે કોણ આ ધરતી અમારે મન પરાઈ છે,
અમારા દેહમાં એની જ તો ખુશ્બૂ લપાઈ છે;
ખરેખર તો હવે કૈ રંગમાં આવ્યા છે સંબંધો,
વતન સાથે અમારે ‘શૂન્ય’ લોહીની સગાઈ છે.

(શૂન્યનો વૈભવ, પૃ. ૪૭૭)

  1. કોમી રમખાણો પ્રસંગે