કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/કવિ અને કવિતાઃ સુન્દરમ્: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 2: Line 2:
{{Heading|કવિ અને કવિતાઃ સુન્દરમ્| સુન્દરમ્}}
{{Heading|કવિ અને કવિતાઃ સુન્દરમ્| સુન્દરમ્}}
{{Poem2Open}}
{{Poem2Open}}
<center>૧</center>
<center>''''''</center>
પરમ કાવ્યતેજે ઝળહળતા કવિ સુન્દરમ્‌નો જન્મ તા. ૨૨-૩-૧૯૦૮ના રોજ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયાંમાતર ગામમાં થયો હતો. ‘સુન્દરમ્’ ઉપરાંતનાં ઉપનામો ‘કોયા ભગત’, ‘ત્રિશૂળ’, ‘મરીચિ’. મૂળ નામ ત્રિભુવનદાસ લુહાર. પિતાનું નામ પુરુષોત્તમદાસ લુહાર. સાત ચોપડી સુધી માતરની શાળામાં અભ્યાસ. ત્યારબાદ અંગ્રેજી પાંચ ધોરણ સુધી આમોદની શાળામાં અને એક વરસ ભરૂચની છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં. ભરૂચમાંથી વિનીત થઈ ૧૯૨૯માં સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથે ‘ભાષાવિશારદ’ની ઉપાધિ મેળવી, ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક થયા. એ જ વર્ષે સોનગઢ ગુરુકુળમાં અધ્યાપન કર્યું. ૧૯૩૫થી ૧૯૪૫ સુધી અમદાવાદની નારીસંસ્થા જ્યોતિસંઘમાં કામ કર્યું. ૧૯૪૫થી શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં સપરિવાર સ્થાયી થયા. ઑગસ્ટ ૧૯૪૭થી ‘દક્ષિણા’ના તંત્રી થયા. ૧૯૭૦માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ થયા. ૧૯૭૪માં આફ્રિકા, ઝાંબિયા, કેન્યા, મોરેશ્યસનો પ્રવાસ કર્યો. ૧૯૭૫માં સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભવિદ્યાનગર યુનિવર્સિટી દ્વારા ડૉક્ટર ઑફ લિટરેચરની માનદ ઉપાધિ પ્રાપ્ત થઈ.
પરમ કાવ્યતેજે ઝળહળતા કવિ સુન્દરમ્‌નો જન્મ તા. ૨૨-૩-૧૯૦૮ના રોજ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયાંમાતર ગામમાં થયો હતો. ‘સુન્દરમ્’ ઉપરાંતનાં ઉપનામો ‘કોયા ભગત’, ‘ત્રિશૂળ’, ‘મરીચિ’. મૂળ નામ ત્રિભુવનદાસ લુહાર. પિતાનું નામ પુરુષોત્તમદાસ લુહાર. સાત ચોપડી સુધી માતરની શાળામાં અભ્યાસ. ત્યારબાદ અંગ્રેજી પાંચ ધોરણ સુધી આમોદની શાળામાં અને એક વરસ ભરૂચની છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં. ભરૂચમાંથી વિનીત થઈ ૧૯૨૯માં સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથે ‘ભાષાવિશારદ’ની ઉપાધિ મેળવી, ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક થયા. એ જ વર્ષે સોનગઢ ગુરુકુળમાં અધ્યાપન કર્યું. ૧૯૩૫થી ૧૯૪૫ સુધી અમદાવાદની નારીસંસ્થા જ્યોતિસંઘમાં કામ કર્યું. ૧૯૪૫થી શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં સપરિવાર સ્થાયી થયા. ઑગસ્ટ ૧૯૪૭થી ‘દક્ષિણા’ના તંત્રી થયા. ૧૯૭૦માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ થયા. ૧૯૭૪માં આફ્રિકા, ઝાંબિયા, કેન્યા, મોરેશ્યસનો પ્રવાસ કર્યો. ૧૯૭૫માં સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભવિદ્યાનગર યુનિવર્સિટી દ્વારા ડૉક્ટર ઑફ લિટરેચરની માનદ ઉપાધિ પ્રાપ્ત થઈ.


Line 8: Line 8:
સુન્દરમ્ પાસેથી ‘કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો’ (૧૯૩૩), ‘કાવ્યમંગલા’ (૧૯૩૩), ‘વસુધા’ (૧૯૩૯), ‘યાત્રા’ (૧૯૫૧), ‘વરદા’ (૧૯૯૦), ‘મુદિતા’ (૧૯૯૧), ‘ઉત્કંઠા’ (૧૯૯૨), ‘અનાગત’ (૧૯૯૩), ‘ઈશ’ (૧૯૯૫), ‘પલ્લવિતા’ (૧૯૯૫), ‘મહાનદ’ (૧૯૯૫), ‘પ્રભુપદ’ (૧૯૯૭), ‘અગમનિગમા’ (૧૯૯૭), ‘પ્રિયાંકા’ (૧૯૯૭), ‘નયા પૈસા’ (૧૯૯૮), ‘ચક્રદૂત’ (૧૯૯૯), ‘લોકલીલા’ (૨૦૦૦), ‘મનની મર્મર’ (૨૦૦૩), ‘ધ્રુવયાત્રા’ (૨૦૦૩), ‘ધ્રુવચિત્ત’ (૨૦૦૪), ‘ધ્રુવપદે’ (૨૦૦૪), ‘શ્રી માતાજીના સાન્નિધ્યમાં’ (૨૦૦૫) કાવ્યસંગ્રહો મળ્યા છે.
સુન્દરમ્ પાસેથી ‘કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો’ (૧૯૩૩), ‘કાવ્યમંગલા’ (૧૯૩૩), ‘વસુધા’ (૧૯૩૯), ‘યાત્રા’ (૧૯૫૧), ‘વરદા’ (૧૯૯૦), ‘મુદિતા’ (૧૯૯૧), ‘ઉત્કંઠા’ (૧૯૯૨), ‘અનાગત’ (૧૯૯૩), ‘ઈશ’ (૧૯૯૫), ‘પલ્લવિતા’ (૧૯૯૫), ‘મહાનદ’ (૧૯૯૫), ‘પ્રભુપદ’ (૧૯૯૭), ‘અગમનિગમા’ (૧૯૯૭), ‘પ્રિયાંકા’ (૧૯૯૭), ‘નયા પૈસા’ (૧૯૯૮), ‘ચક્રદૂત’ (૧૯૯૯), ‘લોકલીલા’ (૨૦૦૦), ‘મનની મર્મર’ (૨૦૦૩), ‘ધ્રુવયાત્રા’ (૨૦૦૩), ‘ધ્રુવચિત્ત’ (૨૦૦૪), ‘ધ્રુવપદે’ (૨૦૦૪), ‘શ્રી માતાજીના સાન્નિધ્યમાં’ (૨૦૦૫) કાવ્યસંગ્રહો મળ્યા છે.


<center>૨</center>
<center>''''''</center>
ઘોડિયાના લયની સાથે બાળપણમાં માએ ગાયેલાં હાલરડાં એમના કાનમાં રેડાતાં ગયાં. પીધાં હશે એમણે એ હાલરડાં ધાવણની જેમ. તેમના ડગમગ પગ ટપ ટપ દોડતા થયા, ‘ચકોર કાન સાંભળતા થયા’ ત્યારથી લગ્નગીતો, ભજનિકોનાં — ભજનમંડળનાં ભજનો, મરસિયા વગેરેનાં લય અને ગુંજન એમની ચેતનામાં ઊતરતા ગયા.
ઘોડિયાના લયની સાથે બાળપણમાં માએ ગાયેલાં હાલરડાં એમના કાનમાં રેડાતાં ગયાં. પીધાં હશે એમણે એ હાલરડાં ધાવણની જેમ. તેમના ડગમગ પગ ટપ ટપ દોડતા થયા, ‘ચકોર કાન સાંભળતા થયા’ ત્યારથી લગ્નગીતો, ભજનિકોનાં — ભજનમંડળનાં ભજનો, મરસિયા વગેરેનાં લય અને ગુંજન એમની ચેતનામાં ઊતરતા ગયા.
શાળામાં ધોરણે-ધોરણે ભણવા મળતી કવિતા સાથે એમને મૈત્રી થઈ ને તેઓ કવિતાના પ્રેમમાં પડ્યા. પછી તો શાળાની સાત ચોપડીની દુનિયામાંથી નીકળી અંગ્રેજી શાળાના ‘સાહિત્યરત્ન’ અને ‘કાવ્યમાધુર્ય’થી માંડી ‘બૃહત્ કાવ્યદોહનો’ સુધીની દુનિયામાં પહોંચ્યા. ભરૂચમાં અંગ્રેજી સાતમા ધોરણના અભ્યાસમાં સંસ્કૃતનો સારો પરિચય થયો, એ પછી એમણે છંદનો વ્યાયામ શરૂ કર્યો. વસંતતિલકાથી શરૂ કરી શિખરિણી, મંદાક્રાન્તા, દ્રુતવિલંબિત, લલિત, તોટક, ભુજંગી, શાર્દૂલ સુધીના છંદો, દરેકની નીચે લઘુ-ગુરુનાં ચિહ્ન કરીને, પાકા કરતા ગયા. ભરૂચમાં એમને વિશ્વનાથ મ. ભટ્ટનું માર્ગદર્શન મળેલું ને ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં તેમને કાકાસાહેબ, રામનારાયણ વિ. પાઠક, રસિકલાલ પરીખ જેવા અધ્યાપકોનો સત્સંગ મળ્યો. ને સાથે ગૂજરાત વિદ્યાપીઠમાં તેમને સમૃદ્ધ ગ્રંથાલય મળ્યું. ને એમણે ‘કાવ્યસમુચ્ચય’ના મહાદ્વારમાં થઈ આખી કાવ્યસૃષ્ટિની ઝાંખી મેળવી અને સંસ્કૃતના અધ્યયનથી તો મહાકાવ્યના ‘વિરાટપર્વ’ આદિ સાગરો-મહાસાગરોમાં પહોંચ્યા, અંગ્રેજી કવિતામાંય, ચોસરથી માંડી શૅક્સપિયર, મિલ્ટન, કીટ્સ, શેલી, ટેનિસન વગેરેની કાવ્યસૃષ્ટિમાં વિહરવાનું બન્યું.
શાળામાં ધોરણે-ધોરણે ભણવા મળતી કવિતા સાથે એમને મૈત્રી થઈ ને તેઓ કવિતાના પ્રેમમાં પડ્યા. પછી તો શાળાની સાત ચોપડીની દુનિયામાંથી નીકળી અંગ્રેજી શાળાના ‘સાહિત્યરત્ન’ અને ‘કાવ્યમાધુર્ય’થી માંડી ‘બૃહત્ કાવ્યદોહનો’ સુધીની દુનિયામાં પહોંચ્યા. ભરૂચમાં અંગ્રેજી સાતમા ધોરણના અભ્યાસમાં સંસ્કૃતનો સારો પરિચય થયો, એ પછી એમણે છંદનો વ્યાયામ શરૂ કર્યો. વસંતતિલકાથી શરૂ કરી શિખરિણી, મંદાક્રાન્તા, દ્રુતવિલંબિત, લલિત, તોટક, ભુજંગી, શાર્દૂલ સુધીના છંદો, દરેકની નીચે લઘુ-ગુરુનાં ચિહ્ન કરીને, પાકા કરતા ગયા. ભરૂચમાં એમને વિશ્વનાથ મ. ભટ્ટનું માર્ગદર્શન મળેલું ને ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં તેમને કાકાસાહેબ, રામનારાયણ વિ. પાઠક, રસિકલાલ પરીખ જેવા અધ્યાપકોનો સત્સંગ મળ્યો. ને સાથે ગૂજરાત વિદ્યાપીઠમાં તેમને સમૃદ્ધ ગ્રંથાલય મળ્યું. ને એમણે ‘કાવ્યસમુચ્ચય’ના મહાદ્વારમાં થઈ આખી કાવ્યસૃષ્ટિની ઝાંખી મેળવી અને સંસ્કૃતના અધ્યયનથી તો મહાકાવ્યના ‘વિરાટપર્વ’ આદિ સાગરો-મહાસાગરોમાં પહોંચ્યા, અંગ્રેજી કવિતામાંય, ચોસરથી માંડી શૅક્સપિયર, મિલ્ટન, કીટ્સ, શેલી, ટેનિસન વગેરેની કાવ્યસૃષ્ટિમાં વિહરવાનું બન્યું.
Line 19: Line 19:
સુન્દરમ્ અને ઉમાશંકરની સર્જનયાત્રા પણ સાથે સાથે ચાલી. કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠે આ બે કવિઓ વિશે નોંધ્યું છે — “આ બંને સારસ્વત — સહોદરો’નું કાર્ય કેટલીક રીતે સમાંતરે, પરસ્પરને પ્રેરક-પૂરક ને પોષક થાય એ રીતેય ચાલ્યું.”
સુન્દરમ્ અને ઉમાશંકરની સર્જનયાત્રા પણ સાથે સાથે ચાલી. કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠે આ બે કવિઓ વિશે નોંધ્યું છે — “આ બંને સારસ્વત — સહોદરો’નું કાર્ય કેટલીક રીતે સમાંતરે, પરસ્પરને પ્રેરક-પૂરક ને પોષક થાય એ રીતેય ચાલ્યું.”
શાળામાં જ કવિતાના પ્રેમમાં પડેલા સુન્દરમ્‌ની કાવ્ય-યાત્રા સતત ચાલતી રહી.
શાળામાં જ કવિતાના પ્રેમમાં પડેલા સુન્દરમ્‌ની કાવ્ય-યાત્રા સતત ચાલતી રહી.
<center>૩<center>
<center>''''''<center>
સુન્દરમ્‌ની કવિતા વિશે ચંદ્રકાન્ત શેઠે નોંધ્યું છેઃ
સુન્દરમ્‌ની કવિતા વિશે ચંદ્રકાન્ત શેઠે નોંધ્યું છેઃ
“બાળલીલાની છોળો ઉડાવતી, પ્રણયલીલાના ફાગ મચાવતી, રંગદર્શિતાનો રોમાંચ પ્રગટ કરતી અને ગાંધીયુગીન ભાવનાઓનો રસ ચડાવતી, લોકલીલાની કરુણ — કરુણાસભર વાસ્તવદર્શિતાને પ્રત્યક્ષ કરતી અને છેવટે આધ્યાત્મિક સમ પર વળી વળીને આવીને સ્થિર થતી એમની કવિતા ગુજરાતી કવિતાની અનન્ય સિદ્ધિ અને સમૃદ્ધિ છે.”
“બાળલીલાની છોળો ઉડાવતી, પ્રણયલીલાના ફાગ મચાવતી, રંગદર્શિતાનો રોમાંચ પ્રગટ કરતી અને ગાંધીયુગીન ભાવનાઓનો રસ ચડાવતી, લોકલીલાની કરુણ — કરુણાસભર વાસ્તવદર્શિતાને પ્રત્યક્ષ કરતી અને છેવટે આધ્યાત્મિક સમ પર વળી વળીને આવીને સ્થિર થતી એમની કવિતા ગુજરાતી કવિતાની અનન્ય સિદ્ધિ અને સમૃદ્ધિ છે.”