કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૨૧. સાંભરી આવું તો…: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૧. સાંભરી આવું તો…| }} <poem> જો ક્યારેક હું સાંભરી જાઉં; તો પંખ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૯૨)}} | {{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૯૨)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૦. હમણાં | |||
|next = ૨૨. અડવાભગતની વાણી | |||
}} |
Latest revision as of 08:00, 15 December 2021
૨૧. સાંભરી આવું તો…
જો ક્યારેક હું સાંભરી જાઉં;
તો પંખીડાંને ચણ પૂરજો,
એકાદ વૃક્ષને પાણી પાજો,
ઠાકર-દુવારે દર્શન કરજો
ને ઝાલરનો રણકો મધમીઠો રેલાવી દેજો હવામાં.
છોકરાંઓને ભાગ વહેંચજો,
ગાવડીની ડોક પંપાળજો ને ગલૂડિયાં રમાડજો.
એકાદ સુકાતી નદીને તીરે બેસી
ઢળતી સાંજ ને ડૂબતો સૂરજ નિહાળી લેજો ઘડીક…
જો ક્યારેક હું સાંભરી આવું તો.
૨૬-૨-૭૨
(જળમાં લખવાં નામ, પૃ. ૯૨)