કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૨૮. લાગે રે નવાઈ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૮. લાગે રે નવાઈ|પ્રહ્લાદ પારેખ}} <poem> લાગે રે નવાઈ, એની મને લ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 31: | Line 31: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૨૭. ઘાસ અને હું | ||
|next = | |next = ૨૯. આપણે ભરોસે | ||
}} | }} |
Latest revision as of 04:12, 25 June 2022
૨૮. લાગે રે નવાઈ
પ્રહ્લાદ પારેખ
લાગે રે નવાઈ, એની મને લાગે રે નવાઈ !
હાથી ઉપર છાલકાં, ગધ્ધા અંબાડી લઈ જાય !
દેવ બન્યા, દ્વારપાળ હતા જે; એનાં ગીત ગવાય;
હોય ધરાણા એને ધાન મળે ને ભૂખ્યા આંટા ખાય,
એની મને લાગે રે નવાઈ !
વ્યંડળ તો વરરાજા થાય, એની જાન મહીં સહુ જાય;
ઓલી કન્યા તો રહ રહ રુએ, એની હીબકે છાતી ભરાય,
એની મને લાગે રે નવાઈ !
ફૂલ કરે આજ મૂળની વાત : એ તો તિમિરમાં અથડાય !
ભોંયની ભીતર એ ભળે, મારી ગગન પહોંચી કાય !
એની મને લાગે રે નવાઈ !
હાથીને મણ, કીડીને કણ; એવું, ભાઈ, મનાય :
કીડી કેરા કણને, જોઉં છું, હાથી તાણી જાય !
એની મને લાગે રે નવાઈ !
શબનાં સરઘસ નીકળે, નહિ લે જીવતાં કેરી ભાળ;
પૂતળાં કેરી પૂજા થાતી ને માનવ ઠેબાં ખાય !
એની મને લાગે રે નવાઈ !
(બારી બહાર, પૃ. ૧૨૬)