ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ/ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1,199: Line 1,199:
જે અંધ શક્તિઓને હું કાબૂમાં ન રાખી શકું  
જે અંધ શક્તિઓને હું કાબૂમાં ન રાખી શકું  
તેને છેડવાનું સાહસ કરવામાં હું માનતો નથી.</poem>
તેને છેડવાનું સાહસ કરવામાં હું માનતો નથી.</poem>
}}
{{Role
|role_name = {{Color|Red|સૂત્રધાર}}
}}
{{Story
|story = <poem>: પાંચમી ફેબ્રુઆરીએ ચોરી ચોરામાં
એક ઝનૂની ટોળાએ બાવીસ પોલિસોને જીવતા બાળી નાંખ્યા.</poem>
}}
{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી:}}
}}
{{Story
|story = <poem>ચોરી ચોરાના દુ:ખદ બનાવો
આવનારા દિવસો પ્રતિ અંગુલિનિર્દેશ કરે છે.
જો સાવચેતીનાં સખત પગલાં નહીં લેવામાં આવે
તો ભારત સહેલાઈથી આ જ માર્ગે પ્રયાણ કરશે.
આપણે સ્વાતંત્ર્યના સામ્રાજ્યમાં પ્રવેશ કરવો હોય
તો સત્ય અને અહિંસાને અંતરમાં ઊતારવા પડશે.
વધુ પ્રગતિ કે પછી વધુ અધોગતિને અટકાવવા માટે સામુદાયિક સવિનય ભંગની ચળવળને મુલત્વી રાખવાનું
અને આવેગ અને ઉશ્કેરાટનું શમન અનિવાર્ય છે.
હું આશા રાખું છું કે
મારા આ પગલાથી કોઈ પણ કૉંગ્રેસી નિરાશ નહીં થાય પણ અવાસ્તવિકતા અને રાષ્ટ્રીય પાપના બોજામાંથી મુક્તિ અનુભવશે.</poem>
}}


{{Role
|role_name = {{Color|Red|સૂત્રધાર}}
}}
}}
{{Story


|story = <poem>માર્ચની દસમીએ ગાંધીજીની ધરપકડ કરવામાં આવી
અને તેમના પર મુકદ્દમો ચલાવીને
તેમને છ વર્ષની જેલ ફરમાવવામાં આવી.
ગાંધીજી જ્યારે જેલમાં હતા
ત્યારે લગભગ બે વર્ષ માટે
રાષ્ટ્રીય આંદોલનો સ્થગિત થઈ ગયાં
અને સ્વાભાવિક રીતે જ આ ચર્ચામાં પણ વિક્ષેપ પડ્યો. ફેબ્રુઆરી ૧૯૨૪માં ગાંધીજી જેલમાંથી છૂટ્યા અને…</poem>
}}


{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}}
}}
{{Story


|story = <poem>(તારથી) અમને સૌને ખૂબ આનંદ થયો.
(કાગળ) પ્રિય મહાત્માજી,
તમને જેલમાંથી મળેલી મુક્તિની વધામણી આપવામાં મારે સમય નથી બગાડવો
પણ જ્યારે તમારા સ્વાસ્થ્ય અને શાંતિમાં ખલેલ પહોંચાડવાની બીજાઓને મળતી અબાધિત સ્વતંત્રતાના ચિન્હો દેખાય
ત્યારે હું શાંત કે નિષ્ક્રિય ન બેસી શકું.
આ કટોકટીના સમયે
હું ચાર્લીને તમારી પાસે મોકલી આપું છું.
તે તેની આગવી રીતે તમને સાથ આપશે અને મદદ કરશે.</poem>
}}


{{Role
|role_name = {{Color|Red|સૂત્રધાર}}
}}
{{Story
|story = <poem>આ થઈ અંગત વાત.
માર્ચથી જુલાઈ ૧૯૨૪માં રવીન્દ્રનાથ
ચીન અને જાપાન ગયા હતા.
નવેમ્બરમાં આર્જેન્ટીના પહોંચતા જ
એક અખબારી મુલાકાતમાં તેમણે કહ્યું,</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }}
}}
{{Story
|story = <poem>ગાંધી સાથે ત્રણ વર્ષ પહેલાં થયેલી
એક વેદનાપૂર્ણ ચર્ચા પછી
અમારા બંનેના રસ્તા જુદા થઈ ગયા છે
અને અમારા કાર્યક્રમો ભિન્ન દિશામાં ચાલી રહ્યા છે.
ગાંધી માત્ર હિંસા જ છે. …
મારી યુરોપની યાત્રા દરમિયાન
હું બધે જ ગાંધીને ભારતના એક વિચક્ષણ પ્રતિનિધિ તરીકે સન્માનતો હતો.
પણ આ ગૌરવ સભર યાત્રા પછી સ્વદેશ પાછા ફરીને મેં જોયું કે મારી આશા પર પાણી ફરી વળ્યું હતું.
મારા જીવનનો આ અત્યંત પીડાદાયી અનુભવ હતો.
મેં જોયું કે ગાંધીના શબ્દોથી ઉશ્કેરાયેલી સમષ્ટિને
જે કાંઈ પણ યુરોપિયન હોય તે ખપતું ન હતું.
તેનાથી હિંસામાં પ્રાણ પૂરાતો હતો.
અમે બંને મળ્યા અને ચર્ચા કરી.
મેં તેમને પૂછ્યું કે
આપણે પાશવી શક્તિનું પ્રતિનિધિત્વ કરીએ છીએ કે મગજનું?
ગાંધીએ મને જણાવ્યું કે જે કાંઈ યુરોપિયન હોય,
વિજ્ઞાન, વર્તણૂંક ઇત્યાદિ જે કાંઈ યુરપનું હોય,
તે બધાંનો વિનાશ કરવો જ પડશે.
તે ચર્ચા લાંબી ચાલી અને વેદનાપૂર્ણ હતી.
અંતે મેં કહ્યું કે તમારા કાર્યક્રમો રાજકીય છે
અને હું રાજકારણી નથી પણ કવિ અને કેળવણીકાર છું.
આ સંવાદ પછી મેં એક સભાને સંબોધી
જેમાં મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો કે
હું શા માટે ગાંધીના કાર્યક્રમો સાથે સંમત નથી થતો.
આ સભામાં વિશાળ મેદની હતી.
મેં પ્રેમથી અને લાગણીપૂર્વક
લંબાણથી હિંસામાં રહેલી વિસંગતિ સમજાવી
અને માર્ગ બદલવાનું સૂચન કર્યું.
મારા શબ્દોનું મૃત:પ્રાય મૌનથી સ્વાગત થયું.
એ વિશાળ મેદનીમાંથી મારા શબ્દોનેે
એક પણ તાળીએ વધાવ્યા નહીં.
ફરી એક વાર મને લાગ્યું કે
મારા પોતાના દેશમાં હું એકલો પડી ગયો છું.</poem>
}}
{{Role
|role_name = {{Color|Red|સૂત્રધાર}}
}}
{{Story
|story = <poem>ફેબ્રુઆરી ૧૯૨૫માં રવીન્દ્રનાથ ભારત પાછા ફર્યા.
ફરીથી જાહેરમાં ચર્ચાનો આરંભ થાય તે પહેલાં,
મે ૧૯૨૫માં ગાંધીજીએ શાંતિનિકેતનની મુલાકાત લીધી.
રવીન્દ્રનાથે તેમનું હાર્દિક અને કલામય સ્વાગત કર્યું.</poem>
}}






26,604

edits

Navigation menu