ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ/ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 15: Line 15:
ઢળતી સાંજે જીવલેણ અંતરેથી છૂટેલી ત્રણ ગોળી.</Poem>
ઢળતી સાંજે જીવલેણ અંતરેથી છૂટેલી ત્રણ ગોળી.</Poem>


<p>(ત્રણ ગોળીબારના અવાજ-મધ્યમાં સૂત્રધાર પર પ્રકાશ)</p>
(ત્રણ ગોળીબારના અવાજ-મધ્યમાં સૂત્રધાર પર પ્રકાશ)</Poem>


}}
}}


{{Role
{{Role
|role_name = {{Color|Pink|સૂત્રધાર}}
|role_name = {{Color|Red|સૂત્રધાર}}
}}
}}
{{Story
{{Story
Line 156: Line 156:


{{Role
{{Role
|role_name = {{Color|Pink|સૂત્રધાર}}
|role_name = {{Color|Red|સૂત્રધાર}}
}}
}}
{{Story
{{Story
Line 214: Line 214:


{{Role
{{Role
|role_name = {{Color|Pink|સૂત્રધાર:}}
|role_name = {{Color|Red|સૂત્રધાર:}}
}}
}}
{{Story  
{{Story  
Line 282: Line 282:


{{Role
{{Role
|role_name = {{Color|Pink|સૂત્રધાર:}}
|role_name = {{Color|Red|સૂત્રધાર:}}
}}
}}
{{Story  
{{Story  
Line 319: Line 319:


{{Role
{{Role
|role_name = {{Color|Pink|સૂત્રધાર:  }}
|role_name = {{Color|Red|સૂત્રધાર:  }}
}}
}}
{{Story  
{{Story  
Line 357: Line 357:


{{Role
{{Role
|role_name = {{Color|Pink|સૂત્રધાર:}}
|role_name = {{Color|Red|સૂત્રધાર:}}
}}
}}
{{Story  
{{Story  
Line 392: Line 392:


{{Role
{{Role
|role_name = {{Color|Pink|સૂત્રધાર: }}
|role_name = {{Color|Red|સૂત્રધાર: }}
}}
}}
{{Story  
{{Story  
Line 462: Line 462:


{{Role
{{Role
|role_name = {{Color|Pink|સૂત્રધાર:}}
|role_name = {{Color|Red|સૂત્રધાર:}}
}}
}}
{{Story  
{{Story  

Revision as of 08:24, 28 January 2022


ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ
(રંગમંચ પર સંપૂર્ણ અંધકાર)
સૂત્રધાર

જાન્યુઆરી ત્રીસ, ઓગણીસસો અડતાલીસ.
ઢળતી સાંજે જીવલેણ અંતરેથી છૂટેલી ત્રણ ગોળી.

(ત્રણ ગોળીબારના અવાજ-મધ્યમાં સૂત્રધાર પર પ્રકાશ)</Poem>
સૂત્રધાર

દિલ્હીના બિરલા હાઉસના બાગમાં
ગોળી ઝીલનારના અંતિમ શબ્દો હતા હે રામ.
જેણે અંગ્રેજોની હકૂમતમાંથી ભારતને મુક્તિ અપાવવા માટે જીવન સમર્પણ કર્યું હતું
તે ભારતમાતાના સપૂતનો અંત આવો હતો.

બીજા ભારતમાતાના સપૂત
જેણે જગતના બૌદ્ધિક વર્તુળમાં
ભારતનું ગૌરવ પ્રસ્થાપિત કર્યું હતું
તેણે તેની ચેતનાની અંતિમ ક્ષણોમાં આ શબ્દો લખાવ્યા હતા

તારી સૃષ્ટિના પથ પર
તેં વિચિત્ર, છેતરામણી જાળ બિછાવી છે,
હે છલનામયી.
જે અનાયાસે છલના સહી લે છે,
તેને તારા જ હાથે મળે છે
અક્ષય શાંતિનો અધિકાર.

પોતાની અંતિમ ક્ષણોમાં એક યાદ કરે છે ઈશ્વરને
તો બીજો પોતાના ઈશ્વરને છલનામયી કહીને પણ
તેના પુરસ્કાર તરીકે અક્ષય શાંતિ ઉપર પોતાનો અધિકાર છે તેમ માને છે.

મિત્રો, આજે મારે તમારી સાથે વાત કરવી છે
ભારતમાતાના આ બે સન્માનીય સંતાનોની –
એક સંત અને બીજો કવિ,
એક ભારતની પશ્ચિમે આવેલા ગુજરાતનો
અને બીજો પૂર્વના બંગાળનો,
એક બીજાને ગુરુદેવ કહેતો અને બીજો પહેલાને મહાત્મા!
પરસ્પર વચ્ચેનો સ્નેહ અને સન્માન
મિત્રોમાં પણ ભાગ્યે જ જોવા મળે
અને તેમની વચ્ચેના મતભેદો
પ્રતિસ્પર્ધીઓ વચ્ચે પણ જવલ્લે જ જોવા મળે!

રવીન્દ્રનાથ ટાગોર ઇતિહાસને
એક વિચક્ષણ વિદ્વાનની દૃષ્ટિથી જોતા હતા.
તેમણે પોતાના જન્મના સમયને
બંગાળના જીવનમાં વહી રહેલા ત્રણ પ્રવાહોના
સંગમના સમય તરીકે બિરદાવ્યો છે.
આ ત્રણ પ્રવાહો
સાહિત્ય, ધર્મ અને રાજકારણના ક્ષેત્રમાં વહી રહ્યા હતા.
આ ત્રણે ક્ષેત્રોમાં
અંગ્રેજોને લીધે પાશ્ચાત્ય અસરનો અગત્યનો ફાળો હતો.
ટાગોર પરિવાર ભારતીય સંસ્કૃતિ અને વિચારધારામાં
તરબોળ હોવા છતાં
અજુગતી રૂઢિનું તર્કસંગત આધુનિક પાશ્ચાત્ય વિચારોથી મૂલ્યાંકન કરી શકે તેટલો સંસ્કાર સંપન્ન હતો.
આ ત્રણેય પ્રવાહોની અસર સમગ્ર સમાજ પર હોવા છતાં રવીન્દ્રનાથ કદાચ એકમાત્ર વ્યક્તિ હશે
જેમની આગવી અને ન ભૂંસાય તેવી છાપ
આ ત્રણેય ક્ષેત્રોમાં આજે પણ જોઈ શકાય છે.
આ છે રવીન્દ્રનાથની મહત્તા.

આ જ સમયના ગાંધીજીના ગુજરાતમાં જુદી જ પરિસ્થિતિ હતી.
અનેક રજવાડાના રાજ્યમાં સમાજ વાણિજ્યપ્રધાન હતો.
સામાજિક સુધારાના ક્ષેત્ર સિવાય પશ્ચિમના વિચારોએ
ગુજરાતમાં પગપેસારો કરવાનો હજી બાકી હતો.
ગાંધીજી એક રજવાડાના દીવાનના પરિવારમાં જન્મ્યા હતા.
તેમના બાળપણ અને કિશોરકાળમાં કાંઈ નોંધનીય ન હતું.
સાચું અને ખોટું, સદાચાર અને દુરાચાર, પાપ અને પુણ્યના રૂઢિગત ખ્યાલોથી તેમનાં નૈતિક મૂલ્યો ઘડાયાં હતાં.
તેમની મર્મગ્રાહી પ્રકૃતિને કારણે
તે આજીવન તેને વળગી રહ્યા હતા.
કાયદાના અભ્યાસ માટે રવીન્દ્રનાથની જેમ જ
તે પણ વિલાયત ગયા હતા
પણ તેઓ બૅરીસ્ટરની ઉપાધિ મેળવીને પાછા ફર્યા હતા.
સ્વદેશમાં ઉજળી તકનો અભાવ લાગવાથી
તેઓ દક્ષિણ આફ્રિકા ગયા હતા.
ત્યાંના વસવાટ દરમિયાન તેમને મળ્યું જીવનનું ધ્યેય
જેની સાધનામાં તેમણે સમગ્ર જીવન સમર્પિત કરી દીધું.
ત્યાંના દમનગ્રસ્ત અને શરમજનક વાતાવરણમાં
તેમના વ્યક્તિત્વમાં સૂષુપ્ત ખાસિયતો ખીલી ઊઠી.
સ્વરાજ-રાજકીય સ્વાતંત્ર્યને પોતાના જીવનનું ધ્યેય માન્યું.
પોતે માનેલા નૈતિક મૂલ્યોના આધારે મૂલ્યાંકન કર્યા પછી
તેમની સમગ્ર પ્રવૃત્તિનો પ્રવાહ આ જ દિશામાં વહેતો.
નૈતિકતા અને રાષ્ટ્રનું ઉત્થાન –
આ બંને તેમની બધી જ પ્રવૃત્તિના આધારસ્તંભ હતા.

કવિ રવીન્દ્રનાથનું વ્યક્તિત્વ
તેમના શૈશવના વાતાવરણમાં કેળવાયું અને પોષાયું
જ્યારે ગાંધીજીનું વ્યક્તિત્વ
પ્રતિકુળ અને દમનગ્રસ્ત સંજોગોમાંથી ઉપસ્યું.
આ એક નોંધનીય રસપ્રદ હકીકત છે.

પોતાનું અડધું આયુષ્ય વીતી ગયા પછી
તેઓ એકબીજાને મળ્યા હતા.
પ્રથમ મુલાકાતના સમયે બંને
આખાય જગતમાં સુવિખ્યાત હતા.

તેમના જીવનકાળ દરમિયાન
ભારતને પહેલીવાર પોતાનું આગવું વ્યક્તિત્વ પ્રાપ્ત થયું હતું.ભારતની કચડાયેલી સમષ્ટિ
સદીઓની મૃત:પ્રાય અવસ્થામાંથી જાગૃત થઈ હતી.
આ પ્રાણપૂરક જાગૃતિના સંચારક ગાંધીજી હતા
એ વાત નિર્વિવાદ છે.
પણ રવીન્દ્રનાથ તેમના મહાન સંત્રી હતા
એ હકીકત ખુદ ગાંધીજીએ જ નોંધેલી છે.
પ્રસંગોપાત રવીન્દ્રનાથે ગાંધીજીના વિચારો અને સિદ્ધાંતોનો સ્પષ્ટ અને સખત વિરોધ કરેલો છે એ પણ નોંધવું ઘટે.

તેમની વચ્ચેની ચર્ચા
વ્યક્તિ અને સમષ્ટિ, સાધક અને સિદ્ધ વચ્ચેની ચર્ચા હતી.
એક માનતા હતા કે કલ્યાણનું માધ્યમ વ્યક્તિ છે
તો બીજા માનતા કે સમષ્ટિ છે!
આ વાત છે સમયના પ્રવાહમાં ખોવાઈ ગયેલા
ઇતિહાસના આ અદ્ભુત પ્રકરણની.

ચાલો એમને જ પૂછીએ કે પ્રથમ મુલાકાતનું એમને સ્મરણ છે.
ગાંધીજી, આપને યાદ છે કે
આપ રવીન્દ્રનાથને પહેલી વાર ક્યારે અને ક્યાં મળ્યા હતા?

ગાંધીજી:

મને ચોક્કસ યાદ નથી આવતું પણ ૧૯૦૧માં હોઈ શકે.
તે સમયે હું દક્ષિણ આફ્રિકાથી
કૉંગ્રેસના અધિવેશન માટે કલકત્તા આવ્યો હતો.
ત્યાંના ભારતીય રહેવાસીઓની પરિસ્થિતિ
મારે રજૂ કરવી હતી.
ત્યારે હું ગુરુદેવના પિતા, મહર્ષિ દેવેન્દ્રનાથને મળવા ગયો હતો પણ તેમની તબિયત અસ્વસ્થ હોવાથી
તેમને મળી શક્યો ન હતો.
હવે મને કહેવામાં આવે છે કે તે વખતે
સરલાદેવી ચૌધરાણીએ એક સમૂહગાનનું સંચાલન કર્યું હતું. પણ તેમને પણ હું તે સમયે મળ્યો હોઉં એવું યાદ નથી.

રવીન્દ્રનાથ:
તે સમયે હું કૉંગ્રેસની સ્વાગત સમિતિનો સભ્ય હતો પણ મહાત્માજીને મળ્યાનું મને સ્મરણ નથી.
સૂત્રધાર

૧૯૦૧માં રવીન્દ્રનાથની વય હતી ૪૦ અને ગાંધીજીની ૩૨.
બંને પોતાની પ્રવૃત્તિના ક્ષેત્રની બહાર ખાસ જાણીતા ન હતા.
બંગાળના સાહિત્ય-વર્તુળની બહાર રવીન્દ્રનાથને
અને દક્ષિણ આફ્રિકાના ભારતીય રહેવાસીઓની બહાર ગાંધીજીને ઓળખનારા ઓછા જ હશે.
ડિસેમ્બર ૧૯૧૩માં રવીન્દ્રનાથના બે મિત્રો,
ચાર્લી એન્ડ્રુઝ અને વિલિ પિયરસન
ગાંધીજીને મદદરૂપ થવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા.
તેમની વિદાયના બે દિવસ પહેલાં
કોલકતાના ટાઉન હૉલમાં રવીન્દ્રનાથ અને બીજાઓએ
દક્ષિણ આફ્રિકાના ભારતીય રહેવાસીઓની પરિસ્થિતિનો
વિચાર કરવા માટે એક સભાનું આયોજન કર્યું હતું.
ઍન્ડ્રુઝ બંનેની વિચારશ્રેણીમાં રહેલું સામ્ય તરત જ જોઈ શક્યા.
તેમણે રવીન્દ્રનાથને જાન્યુઆરી ૧૯૧૪માં લખ્યું,

મને શ્રી ગાંધીનો દૃષ્ટિકોણ સમજવા અને સ્વીકારવામાં
કોઈ જ તકલીફ પડી નહીં
કારણ કે તેમનામાં અને તમારામાં ખાસ કોઈ તફાવત નથી.
બંને માનો છો,
સાચા સ્વાતંત્ર્યમાં, આધ્યાત્મિક શક્તિ પર આધાર રાખવામાં, દુન્યવી શક્તિ સામે નિર્ભય અભિગમમાં
અને સમષ્ટિ પ્રતિ સદ્ભાવ અને સહાનુભૂતિમાં.

આને બંને માહાનુભાવોનું સચોટ મૂલ્યાંકન કહી શકાય.

૧૯૧૪માં જ્યારે ગાંધીજીએ પોતાનો ફીનીક્સ આશ્રમ બંધ કરીને ભારત પાછા ફરવાનો નિર્ણય કર્યો
ત્યારે ચાર્લી ઍન્ડ્રુઝે સૂચન કર્યું કે
ભારતમાં કાયમી વ્યવસ્થા થાય ત્યાં સુધી
તેમના અંતેવાસીઓએ ગુરુદેવના શાંતિનિકેતનમાં રહેવું.
અને આમ નવેમ્બર ૧૯૧૪માં
ફીનીક્સના છોકરાઓ શાંતિનિકેતન પહોંચ્યા.

રવીન્દ્રનાથ:

મેં ચાર્લી ઍન્ડ્રુઝને લખ્યું,
ફીનીક્સના છોકરાઓમાં શિસ્ત છે જ્યારે હોવા જોઈએ આદર્શો.
તેઓ કેળવાયા છે આજ્ઞાંકિત થવા માટે
જે માણસ માટે ઉચિત નથી.
આજ્ઞાપાલનની મહત્તા તેમાં રહેલી બલિદાનની ભાવનામાં છે.
તે સિવાય આજ્ઞાપાલનમાં હું કોઈ બીજો ગુણ જોતો નથી.
આ છોકરાઓ આકાંક્ષા સેવવાનું ભૂલી જશે એમ મને લાગે છે અને આકાંક્ષા જ સિદ્ધિના મૂળમાં રહેલી છે.

થોડા દિવસ બાદ મેં મહાત્માજીને લખ્યું,

પ્રિય શ્રી ગાંધી,
તમારા છોકરાઓને અમારા છોકરાઓ બનવા દેવા માટે
તમારો આભાર માનવા હું આ પત્ર લખી રહ્યો છું.
આપણા બંનેના જીવનની સાધનાની તેઓ જીવંત કડી બનશે.
નિષ્ઠાપૂર્વક તમારો,

સૂત્રધાર:

સાચે જ આ જીવંત કડીથી
એક વિરલ અને આજીવન સંબંધનો પાયો નંખાયો.
બંને જણ પહેલી વાર માર્ચ ૧૯૧૫માં શાંતિનિકેતનમાં મળ્યા.
આ મુલાકાતના સંભારણા તરીકે આજે પણ માર્ચની ૧૦મી શાંતિનિકેતનમાં ગાંધી પુણ્ય દિવસ તરીકે ઉજવાય છે
અને તે દિવસે ગાંધીજીએ શરૂ કરેલો સ્વાશ્રયનો પ્રયોગ
આજે પણ યાદ કરવામાં આવે છે.
તે દિવસે રોપાયેલાં મૈત્રીનાં બીજ
અનેક મતભેદ અને વાદવિવાદના ઝંઝાવાત પાર કરીને
એક આદર અને સન્માનના ગઠબંધન સ્વરૂપે વિકસ્યાં.
આવી મૈત્રી સહકાર્યકર કે સહચર વચ્ચે જ સંભવિત છે.

બંને ભારતવર્ષ અને તેની સંસ્કૃતિને સન્માનની નજરે જોતા.
બંને ભારતમાં થતી અંગ્રેજ વર્તણૂંકથી વ્યથિત હતા.
બંનેને જોઈતું હતું સ્વરાજ.
પણ બંનેના માર્ગ જુદા જ હતા.
એકને માટે સ્વરાજ-રાજકીય સ્વાતંત્ર્ય ધ્યેય હતું, સાધ્ય હતું.
બીજાને માટે તે આત્મશક્તિ જાગૃત કરવાનું સાધન હતું.
વ્યાધિ અંગે એકમત અને ઔષધિ અંગે મતાંતર –
આ સંબંધની આ લાક્ષણિકતા હતી.

૧૯૧૮માં ગાંધીજીની ઇચ્છા હતી કે
હિન્દીનો રાષ્ટ્રભાષા તરીકે સ્વીકાર થાય.

ગાંધીજી:

પ્રિય ગુરુદેવ,
આંતરપ્રાન્તીય વહેવાર માટે તેમ જ રાષ્ટ્રીય કાર્યવાહી માટે
માત્ર હિન્દી જ રાષ્ટ્રભાષા થઈ શકે તેમ તમે નથી માનતા? કૉંગ્રેસના આવતા અધિવેશનમાં
મુખ્યત્વે હિન્દીનો જ ઉપયોગ થવો ન જોઈએ?
મને લાગે છે કે
જો આપણે બહુજન સમાજના સંસર્ગમાં આવવું હોય
અને રાષ્ટ્રસેવકો જો સમગ્ર ભારતમાં
બહુજન સમાજનો સંપર્ક સાધવા માંગતા હોય
તો આ પ્રશ્નને આપણે અગ્રસ્થાન આપવું જોઈએ.
નિષ્ઠાપૂર્વક તમારો,

રવીન્દ્રનાથ:

પ્રિય શ્રી ગાંધી,
ભારતમાં આંતરપ્રાન્તીય વહેવાર માટે
માત્ર હિન્દી જ રાષ્ટ્રભાષા હોઈ શકે એ વાત નિર્વિવાદ છે.
પણ મને લાગે છે કે કૉંગ્રેસમાં એનું આધિપત્ય સ્થાપવા માટે
ઘણો સમય જોઈશે.
મદ્રાસના લોકો માટે એ સાચે જ વિદેશી ભાષા છે.
મોટા ભાગના રાજકારણીઓને માટે
હિન્દીમાં સંતોષપૂર્ણ અભિવ્યક્તિ સંભવિત નથી.
જ્યાં સુધી રાજકારણીઓની એક નવી પેઢી તૈયાર ન થાય
જે આ સમસ્યા પ્રત્યે સજાગ હોય
અને સતત મહાવરાથી એનોે ઉપયોગ સર્વગ્રાહી બનાવે
ત્યાં સુધી રાષ્ટ્રીય કાર્યવાહીમાં હિન્દીનો ઉપયોગ
મરજિયાત રાખવો પડશે.
અત્યંત નિષ્ઠાપૂર્વક તમારો,

સૂત્રધાર:

આ હતો તેમની વચ્ચેના વાદવિવાદનો દોર.
૧૯૧૯ સુધીમાં ગાંધીજીએ
આખા દેશને અહિંસાની અગત્યતા અને અસર સમજાવી દીધી હતી.
રૉલેટ બિલના વિરોધમાં
તેઓ રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ ઉપાડવાની તૈયારીમાં હતા.

ગાંધીજી:

મને બરાબર યાદ છે એ દિવસો.
એપ્રિલની છઠ્ઠી તારીખે હડતાળનું એલાન હતું.
પાંચમીએ મેં ગુરુદેવને લખ્યું,

મને તમારા તરફથી એક સંદેશાની અપેક્ષા છે –
જેઓ આ અગ્નિપરીક્ષામાંથી પસાર થવાના છે
તેમને માટે એક આશા અને પ્રેરણા સભર સંદેશો.
તમે જાણો છો તેમ મારે પ્રચંડ તાકાતનો સામનો કરવાનો છે.
મને તેનો ડર નથી કારણ કે
મારી દૃઢ માન્યતા છે કે તેઓ અસત્યનો સહારો લઈ રહ્યા છે અને જો આપણને સત્યમાં પૂરતી શ્રદ્ધા હોય
તો તેનાથી આપણે તેમને જીતી શકીશું.
દેશના રાજકારણના શુદ્ધિકરણના મારા આ પ્રયાસ અંગે
જ્યાં સુધી મને તમારો ન્યાયપૂર્ણ અભિપ્રાય નહીં મળે
ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. …
મિત્રોના પ્રતિકુળ અભિપ્રાયનું પણ મારે મન મોટું મહત્વ છે કારણ કે તેનાથી હું મારો માર્ગ ન પણ બદલું
તોય તે દીવાદાંડીની ગરજ સારે છે
જેથી હું જીવનના માર્ગમાં આવતા જોખમોથી
સાવધાન રહી શકું.

સૂત્રધાર:

એપ્રિલની ૧૨મી તારીખે
રવીન્દ્રનાથે એક જાહેર પત્રમાં જવાબ આપતાં લખ્યું,

રવીન્દ્રનાથ:

પ્રિય મહાત્માજી,
કોઈ પણ સ્વરૂપમાં તાકાત તર્ક સાથે સુસંગત નથી હોતી.
એ તો આંખે પાટા બાંધીને ગાડી ખેંચતા અશ્વ જેવી હોય છે…
નિષ્ક્રીય પ્રતિકારની શક્તિને નૈતિક ન કહી શકાય,
તેનો ઉપયોગ સત્યને માટે તેમ જ સામે પણ થઈ શકે છે.
જ્યારે સફળતા નજીકમાં જ હોય
ત્યારે બધી જ તાકાતમાં રહેલા જન્મજાત જોખમો વધુ ભયજનક થાય છે કારણ કે ત્યારે તેમાં લાલચ ભળે છે.
હું જાણું છું કે તમે દૂષણો સામે
ભૂષણોની સહાય લેવાનું શીખવો છો.
પણ આવી લડત વીર પુરૂષો માટે હોય છે
તેમાં ક્ષણિક આવેગથી દોરાઈ જતા માણસોનું કામ નથી.
દુષ્ટતાનો જવાબ સ્વાભાવિક રીતે દુષ્ટતામાં જ મળે છે,
અન્યાયનો જવાબ હિંસા અને અપમાનનો વૈમનસ્ય!
કમનસીબે આવી તાકાત છૂટી મૂકાઈ છે
અને ગભરાટ કે ગુસ્સાથી
આપણી સરકારે એના નહોર બતાવવા માંડ્યા છે. …
આ કટોકટીના સમયે તમે એક મહાન નાયક તરીકે
અમારી વચ્ચે ઊભા રહીને
તમારા આદર્શોનું પ્રતિપાદન કરી રહ્યા છો.
તમે જાણો છો કે એ આદર્શો ભારતના છે.
એ આદર્શ, જે છૂપી વેરવૃત્તિની કાયરતા
તેમ જ આતંકથી ગભરાયેલાની મૂક શરણાગતિનો વિરોધ કરે છે.

સૂત્રધાર:

આ સૂચક શબ્દોના ઉચ્ચારણના બીજા જ દિવસે
અમૃતસરના જલિયાનવાલા બાગમાં
જનરલ ડાયરે સરકારની પાશવી તાકાતના નહોરને
છૂટો દોર આપી દીધો.
ચળવળને તાત્કાલિક બંધ રાખવામાં આવી.
વર્ષો પછી તેમની આત્મકથામાં,

ગાંધીજી:

એક સત્યાગ્રહી સમાજના નિયમોને
બુદ્ધિપૂર્વક અને પોતાની ઇચ્છાથી પાળે છે
કારણ કે તે એમ માને છે કે
આમ કરવું તે તેની પવિત્ર ફરજ છે.
કોઈ વ્યક્તિ જ્યારે આ પ્રમાણે
સમાજના નિયમોનું ચીવટાઈથી પાલન કરે છે
ત્યારે જ તે કયા નિયમો સારા અને ન્યાયપૂર્ણ છે
અને કયા નથી તે સમજી શકે છે.
ત્યારે જ તેને અમુક નિયમોનો
ખાસ સંજોગો નીચે સવિનય અનાદર કરવાનો હક મળે છે.
આ મર્યાદા મારા ખ્યાલ બહાર રહી ગઈ તે મારી ભૂલ હતી.
મેં લોકોને સવિનય અનાદરનું એલાન આપ્યું
ત્યારે તેમનેે તેનો હક પ્રાપ્ત થયો ન હતો
અને મારી આ ભૂલનું પરિમાણ
હિમાલય જેવું વિશાળ હતું.

સૂત્રધાર:

રવીન્દ્રનાથે આના સંદર્ભમાં મેની ૩૦મી તારીખે વાઈસરોયને લખ્યું,

રવીન્દ્રનાથ:

મહાશય,
સ્થાનિક તોફાનોને દબાવી દેવા
પંજાબમાં સરકારે લીધેલા અમાનુષી પગલાંથી
અમને ઊંડા આઘાત સાથે ખ્યાલ આવ્યો કે
અંગ્રેજોના ભારતીય નાગરિક તરીકે
અમારી પરિસ્થિતિ કેટલી દયનીય છે.
અમને ખાતરી છે કે
કમનસીબ જનતાને જે શિક્ષા કરવામાં આવી છે
અને તેનો જે રીતે અમલ કરવામાં આવ્યો છે
તેની નિષ્ઠુરતાનો જોટો
સભ્ય અને સંસ્કારી જગતમાં ક્યાંય જોવા નહીં મળે.
એક સત્તા, જેની પાસે
માનવજાતિના વિનાશ માટે
અત્યંત ભયંકર અને કાર્યક્ષમ સંગઠન છે
તેણે એક નિશસ્ત્ર અને નિર્ધન પ્રજાની સાથે કરેલી
આવી વર્તણૂંક જોતાં
અમારે દૃઢતાપૂર્વક જણાવવું જોઈએ કે
આમાં કોઈ રાજકીય ઉપયોગિતા તો નથી જ
કે પછી નૈતિક સમર્થન પણ નથી.
પંજાબમાં વસતા અમારા ભાઈઓને
સહેવા પડેલા અપમાન અને પીડાના હેવાલો
ઠોકી બેસાડેલી સ્તબ્ધતામાંથી
ધીરે ધીરે ભારતના ખૂણે ખૂણે પહોંચતા જાય છે.
અમારી પ્રજાના હૃદયમાં ઉદ્ભવતી
સર્વસામાન્ય પુણ્યપ્રકોપની તીવ્ર વ્યથાની
અમારા શાસકોએ અવગણના કરી છે -
શક્ય છે કે તેઓ જેને બિરદાવવા યોગ્ય ગણતા હોય
તેવા બોધપાઠ પ્રજાને આપવા માટે
પોતાને ધન્યવાદ આપતા હશે.
મોટા ભાગના અંગ્રેજી છાપાંઓએ
આ લાગણીહીનતાને બિરદાવી છે
અને કેટલાક કિસ્સાઓમાં તો
અમારી પીડાની પાશવી મજાક ઊડાવી છે…
હું જાણું છું કે અમારી બધી જ વિનંતી વ્યર્થ છે.
જે સરકાર પોતાની શક્તિ અને લાક્ષણિક પરંપરા પ્રમાણે
ઉદાર થઈ શકે તેમ હોવા છતાં
વૈમનસ્યના આવેગથી મુત્સદ્દીપણાનું ઉદાત્ત દર્શન ઘડી રહી છે
તેની સામે આતંકથી સ્તબ્ધ થઈ ગયેલા
મારા કરોડો દેશવાસીઓના વિરોધને વાચા આપવાનું કામ
મારે કરવું જ રહ્યું.
તેના બધા જ પરિણામોની જવાબદારી સ્વીકારીને પણ
ઓછામાં ઓછું આટલું તો મારે કરવું જ રહ્યું.
આવા શરમજનક સંજોગોમાં સન્માનના ચાંદ શોભતા નથી.
મારી ઇચ્છા છે કે
બધી જ સન્માનીય પદવીઓથી વેગળો થઈને
હું મારા ક્ષુલ્લક ગણાતા દેશવાસીઓની સાથે
ખભા મેળવીને ઊભો રહું
કારણ કે તેમને સાથે થતી વર્તણૂંક અમાનુષી છે.
જેમના સહૃદયી અભિગમને
હું હજી પણ સન્માનની નજરે જોઉં છું,
તેવા આપના પુરોગામીના હાથે આપના રાજાધિરાજના વતી
મને અપાયેલો સરનો ખિતાબ
ઉપરોક્ત કારણસર પાછો લેવા દિલગીરી સાથે વિનંતી કરું છું.
આપનો વફાદાર,

સૂત્રધાર:

૧૯૨૦માં ગાંધીજીએ રવીન્દ્રનાથને અમદાવાદમાં મળી રહેલી
છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદમાં આવવા આમંત્રણ આપ્યું.

ગાંધીજી:

પ્રિય ગુરુદેવ,

અમારા આમંત્રણનો સ્વીકાર કરવા માટે
અમે સૌ આપના આભારી છીએ.
આપને કાર્યક્રમો કે તમાશાનો બોજો ન પડે
તે જોવા અમે સૌ પ્રયત્નશીલ છીએ.
જરૂર લાગે તો તારથી આપ મને જણાવશો કે
આપ ગુજરાત માટે કેટલો સમય ફાળવી શકશો?
આપ બીજા એક કે બે સ્થળે જઈ શકશો?
બીજો સવાલ છે આપના ઉતારા અંગે.
આપ આશ્રમમાં રહેશો?
આપ આશ્રમમાં રહેશો તો મને ખૂબ આનંદ થશે.
જેઓ આપના વિદ્યાર્થી રહી ચૂક્યા છે
તેવા આશ્રમમાં ઘણા છે
અને તેમને આપની ઉપસ્થિતિનો લાભ મળે
તે માટે હું ઉત્સુક છું.
ગુજરાતી છોકરાઓ અને છોકરીઓ
અને તમને યાદ હોય તો પેલો સિંધી છોકરો, ગિરધર, – એ બધાં સિવાય મણીન્દ્ર પણ હજી અહીં જ છે
અને સરલાદેવીનો દીકરો દીપક પણ આશ્રમમાં જ છે.
આશ્રમ અમદાવાદથી ચાર માઈલ દૂર
અને સાબરમતીના ઊંચા કિનારે આવેલો છે.
આપ આશ્રમમાં
કે પછી કોઈ ખાનગી બંગલામાં રહી શકો છો
જે બધી જ સગવડોથી સુસજ્જ હોય.
મારે કહેવાનું ન હોય કે અમારો મુખ્ય વિચાર
આપનું સ્વાસ્થ્ય અને સગવડો સાચવવાનો છે.
આપની ઇચ્છા મુજબ બધી જ સગવડ થઈ જશે.
આપને કોઈ ખાસ સગવડ કે જરૂરિયાત હોય
તો મને મહેરબાની કરી જણાવશો.
નિષ્ઠાપૂર્વક આપનો,