ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ/ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1,074: Line 1,074:
મારું સમગ્ર આંદોલન અહિંસાના સિદ્ધાંત પર અવલંબે છે  અને તેથી જ શાંતિમાં માનનારા એક કવિ તરીકે  
મારું સમગ્ર આંદોલન અહિંસાના સિદ્ધાંત પર અવલંબે છે  અને તેથી જ શાંતિમાં માનનારા એક કવિ તરીકે  
તમારે મારા આંદોલનમાં જોડાઈને તેને માટે કામ કરવું જોઈએ.</Poem>
તમારે મારા આંદોલનમાં જોડાઈને તેને માટે કામ કરવું જોઈએ.</Poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}}
}}
{{Story
|story = <poem>ગાંધીજી, આવો અને મારા વરંડામાંથી જુઓ.
નીચે જોઈને મને કહો,
તમારા અહિંસક અનુયાયીઓ શું કરી રહ્યા છે?
તેમણે ચિતપુર રોડની દુકાનમાંથી કપડું ચોર્યું છે
અને મારા આંગણામાં તેની હોળી સળગાવીને
તેની આસપાસ ફરતા દીવાના દરવેશોની જેમ બૂમો પાડી રહ્યા છે.
આ અહિંસા છે?
ગાંધીજી તમે જાણો છો તેમ આપણી પ્રજા આવેગશીલ છે.
તમારા અહિંસક સિદ્ધાંતોથી
તમે આ આવેગને સંયમમાં રાખી શકશો?
તમે જાણો છો કે એ શક્ય નથી.
હિંદુ અને મુસ્લિમ વચ્ચે પ્રવર્તતી હિંસક ભાવના પર સંયમ લાદવા
તેમના બાળકોને બે કે ત્રણ પેઢી સુધી સાથે શિક્ષણ આપવું પડશે.</poem>
}}
{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી: }}
}}
{{Story
|story = <poem>ગુરુદેવ, તમે કહો છો કે
તમે ભારતીયોના ભારતીયો દ્વારા શિક્ષણમાં માનો છો.
તો તમે મારા રાષ્ટ્રીય શિક્ષણના આંદોલનને
સમર્થન આપી શકો.
હજારો યુવાન શિક્ષકો અને વિદ્યાર્થીઓ
સરકારી અને મિશનરી શાળાઓ છોડીને
રોજ આ નવી શાળાઓમાં ભરતી થવા આવે છે.</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }}
}}
{{Story
|story = <poem>અને તમે તેમાંથી જે શ્રેષ્ઠ હોય
તેમને તમારા રાજકીય કાર્યક્રમમાં જોડી દો છો
અને બાકી રહેલા મૂર્ખ લોકોને એવી શાળામાં મૂકો છો
જ્યાં સંપૂર્ણ નહીં પણ વિકૃત શિક્ષણ અપાય છે.
મને તમારા રાષ્ટ્રીય કેળવણીના કાર્યક્રમમાં વિશ્વાસ નથી.
આપણે આખા જગતમાંથી શિક્ષકો અને અધ્યાપકોને
આમંત્રણ આપીને ભારતમાં શિક્ષણ આપવા બોલાવવા જોઈએ
જેથી તેઓ પણ આપણા સાંસ્કૃતિક વારસામાંથી શીખી શકે.
અત્યારે હું શાંતિનિકેતનમાં આવો જ પ્રયત્ન કરી રહ્યો છું.</poem>
}}
{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી: }}
}}
{{Story
|story = <poem>ગુરુદેવ,
તમે મારે માટે બીજું કાંઈ પણ ન કરી શકો તો કાંઈ નહીં
પણ આ તમારા કલકત્તાના મોટી, મોટી ઉપાધિઓવાળા અવહેવારુ ભદ્રલોકને શરમમાં નાંખીને
કાંતવા તો બેસાડી શકોને?
અરે, તમે જાતે કાંતીને આખા દેશને ઉદાહરણ પૂરું પાડી શકો.</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}}
}}
{{Story
|story = <poem>હું કવિતા લખી શકું, ગીત ગાઈ શકું,
પણ ગાંધીજી, તમારા કિંમતી કપાસનો હું કેવો બગાડ કરું
તેની તમે કલ્પના નહીં કરી શકો.</poem>
}}
{{Role
|role_name = {{Color|Red|સૂત્રધાર}}
}}
{{Story
|story = <poem>ઍન્ડ્રુઝે એક ટૂંકું અને મુત્સદ્દીપૂર્ણ નિવેદન પ્રેસમાં આપ્યું હતું,
બંને વચ્ચે સ્વભાવગત મતભેદો એટલા તીવ્ર હતા કે
બૌદ્ધિક સમજુતી સાધવી અત્યંત મુશ્કેલ હતી
પણ મૈત્રીનું નૈતિક બંધન અકબંધ રહ્યું છે.
રવીન્દ્રનાથના કાવ્યમય અને ભવિષ્યવાણી જેવા વિરોધ છતાં સમષ્ટિ ઉપર ગાંધીજીની પકડ વ્યાપક અને અભૂતપૂર્વ હતી.
આખા દેશમાં
ગાંધીજીને શ્રીકૃષ્ણના સ્વરૂપમાં દર્શાવતા ચિત્રો વેચાતાં હતાં. અસહકારનું આંદોલન આખા દેશમાં સ્વીકૃતિ મેળવી રહ્યું હતું. નવેમ્બર ૧૯૨૧માં મુંબઈમાં
રવીન્દ્રનાથના ભયને પહેલી વાર સમર્થન મળ્યું.
પ્રિન્સ ઑફ વેલ્સની મુલાકાતના બહિષ્કાર દરમિયાન
હિંસક તોફાનો થયા.
ગાંધીજી મુંબઈમાં જ હોવા છતાં
ત્રણ દિવસ સુધી તોફાનોનો દોર ચાલુ રહ્યો.
ડિસેમ્બર ૧૯૨૧માં કૉંગ્રેસે સામુદાયિક સવિનય ભંગની ચળવળ આરંભ કરવાનો નિર્ણય લીધો
અને તેનું નેતૃત્વ ગાંધીજીને સોંપ્યું.
પહેલી ફેબ્રુઆરીના દિવસે રવીન્દ્રનાથે સુવિખ્યાત ગુજરાતી કવિ, ન્હાનાલાલને લખ્યું,</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }}
}}
{{Story
|story = <poem>બધા જ દેશોમાં રાજકીય શક્તિ જેના ઉપર આધાર રાખે છે
તેવા લશ્કરી બળને પરાજિત કરવાની શક્તિ અહિંસામાં છે
તેમ હું માનું છું.
પણ બીજા બધા જ નૈતિક સિદ્ધાંતોની જેમ જ
અહિંસા પણ હૃદયના ઊંડાણમાંથી પ્રગટ થવી જોઈએ
અને કોઈ તાકીદના કારણસર બહારથી લાદેલી હોવી ન જોઈએ. જગતની મહાન વિભૂતિઓએ મુખ્યત્વે આધ્યાત્મિક પ્રગતિ માટે
પ્રેમ, ક્ષમા અને અહિંસાનો બોધ આપ્યો છે
નહીં કે રાજકારણ કે તેના જેવા ક્ષેત્રમાં સફળતા મેળવવા.
જેમણે પહેલાં સ્વાર્થનો માર્ગ જ અપનાવ્યો હોય
તેવા માણસોનો વિશાળ સમુદાય
અચાનક જ અહિંસાનો માર્ગ અપનાવે તો
તેમનું ધ્યેય નિશ્ચિત સમયમાં હાંસલ કરવામાં
પડતી મુશ્કેલીઓથી એ વિભૂતિઓ માહિતગાર હતી.
કોઈ બાહ્ય પરિણામની તીવ્ર ઇચ્છાનું દબાણ હોય
તો માણસો તેમની સ્વભાવગત ટેવોને મર્યાદિત સમય માટે
કાબૂમાં રાખી શકેે તે વાત નિર્વિવાદ છે.
પણ એક વિશાળ સમુદાય
જેની પરંપરા અને સંસ્કૃતિની ભૂમિકા વૈવિધ્યપૂર્ણ હોય અને
જે હેતુને માટે લાંબા સમયને માટે જટિલ લડત આપવાની હોય ત્યાં આવો કાબૂ રાખવાની શક્યતા હું જોતો નથી.
દક્ષિણ આફ્રિકાની વાત જુદી જ હતી.
મારી શક્તિઓની સીમા જાણતો હોઈ હું મારી જાતને મારા વ્યવસાયમાં જ વ્યસ્ત રહેવા દઉં છું
જે અંધ શક્તિઓને હું કાબૂમાં ન રાખી શકું
તેને છેડવાનું સાહસ કરવામાં હું માનતો નથી.</poem>




26,604

edits