ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ/ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 2,613: Line 2,613:
|story = <poem>૧૯૩૩માં ગાંધીજીએ ફરીથી ઉપવાસ આદરવાનું નક્કી કર્યું.
|story = <poem>૧૯૩૩માં ગાંધીજીએ ફરીથી ઉપવાસ આદરવાનું નક્કી કર્યું.
એકવીસ દિવસના આ ઉપવાસ આત્મશુદ્ધિ માટે હતા.</poem>
એકવીસ દિવસના આ ઉપવાસ આત્મશુદ્ધિ માટે હતા.</poem>
}}
{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી:}}
}}
{{Story
|story = <poem>પ્રિય ગુરુદેવ,
અત્યારે રાત્રે પોણા બે વાગ્યા છે
અને મને તમે અને બીજા મિત્રો યાદ આવે છે.
જો તમે મારા ઉપવાસ સાથે સંમત થતા હો
તો મારે ફરીથી તમારા આશીર્વાદ જોઈએ છે.
પ્રેમ અને સન્માન સહિત, તમારો,</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}}
}}
{{Story
|story =<poem>શારીરિક કે નૈતિક રીતે મૃત્યુ જો અનિવાર્ય જ હોય
તો તેને સહન કરવું જ રહ્યું.
પણ આપણને તેની સાથે સંવનન કરવાની છૂટ નથી,
સિવાય કે જીવનના પરમ હેતુની અભિવ્યક્તિ
તેના દ્વારા થતી હોય.
તમારી હાલની પ્રતિજ્ઞાની અનિવાર્ય જરૂરિયાત અંગે
તમારી ભૂલ થતી હોવાની સંભાવના નકારી શકાય નહીં.
તેના જીવલેણ અંતના ગંભીર જોખમનો વિચાર આવતાં
અમે ધ્રૂજી ઊઠીએ છીએ
કારણ કે આ ભયાનક ભૂલને સુધારવાની તક મળવાની નથી.
ઈશ્વરને તેમણે રચેલા સંસાર માટે
આવું ઈન્દ્રીયદમનનું આખરીનામું ન આપવા
હું તમને આજીજી કરું છું.
આમ કરીને માનવતાનું સમર્થન કરતા
પૂર્ણતાના આદર્શને આખરી ક્ષણ સુધી જાળવી રાખતા જીવનના મહાન ઉપહારની તમે અવગણના કરી રહ્યા છો.
છતાં મારે કબૂલ કરવું જ રહ્યું કે
તમારી સમક્ષ જે દર્શન છે તે મારી સમક્ષ નથી
અને જે અવાજ માત્ર તમને જ સંભળાયો છે
તેનો સંપૂર્ણ અર્થ હું પામી શક્યો નથી.
તેથી કોઈ પણ સંજોગોમાં હું માનવાનો પ્રયત્ન કરીશ
કે તમે તમારા નિર્ધારમાં સાચા છો
અને મારી શંકા મારી કાયરતા કે મારા અજ્ઞાનનું પરિણામ છે.
પ્રેમ અને સન્માન સહ, તમારો,
બે દિવસ બાદ મેં ફરીથી લખ્યું,
તમારા ઉદાહરણને જો તર્કસંગત દૃષ્ટિથી અનુસરવામાં આવે તો આખા જગતમાંથી બધા જ ઉમદા આત્માઓનો નાશ થાય અને બાકી રહે નૈતિક નબળાઈ ધરાવતી કચડાયેલી સમષ્ટિ
જે અજ્ઞાન અને અન્યાયના અતલ ઊંડાણમાં ડૂબી જશે.
તપસ્યાની આ પદ્ધતિ
માત્ર તમારા અંગત પ્રયાસ દ્વારા જ ફળદાયી થશે
અને બીજા માટે તેનો કોઈ જ અર્થ નથી
એમ કહેવાનો તમને કોઈ જ હક નથી.
એ જો સાચું હોય તો તમારે આ તપસ્યા
જે માત્ર તમારું જ બલિદાન માંગે છે
તેને ખાસ રહસ્યમય ક્રિયા તરીકે
એકદમ ગુપ્તતા રાખીને કરવી જોઈએ.
તમે બીજાઓને ક્રિયાશીલ રહીને
રાષ્ટ્રીય જીવનને ગૂંગળાવતા શેતાનને હઠાવવા કહો છો
અને પોતે આવો નિષ્ક્રિય બલિદાનનોે માર્ગ અપનાવો છો.
આને કારણે તમારાથી નાના માણસોને માટે
ફરજનો એક સહેલો અને વ્યર્થ પથ ખુલી જશે
જે તેમને ઈન્દ્રીયદમનની ઊંડી ખીણમાં ઝંપલાવવા માટે લલચાવશે.
તમારી આ આગવી શુદ્ધિની પદ્ધતિને
જો તેઓ દેશ માટે અપનાવશે તો તેમને દોષ નહીં દેવાય
કારણ કે જો કોઈ સંદેશ સર્વસામાન્ય ન હોય
તો તેનું પ્રતિપાદન થવું જ ન જોઈએ.
તમારી પ્રતિજ્ઞાથી મને થયેલા દુ:ખને કારણે
મને આમ લખવાની ફરજ પડે છે
કારણ કે એક ઉદાત્ત કારકિર્દીને
અનુચિત અંત પ્રતિ પ્રયાણ કરતી હું જોઈ નથી શકતો.
તમારા વ્યક્તિત્વમાં મૂર્તિમંત થતા
આપણા દેશના ગૌરવને ખાતર
અને તમારા જીવંત સ્પર્શ અને સહાયની જેમને જરૂર છે
તેવા આપણા કરોડો દેશવાસીઓને ખાતર
હું ફરી એકવાર વિનંતી કરું છું કે
એવું કોઈ પણ કામ કરતાં અટકી જાઓ
જે તમને માત્ર તમારે માટે યોગ્ય લાગતું હોય
પણ બાકીની પ્રજાને માટે નહીં.
અત્યંત દુ:ખ અને પ્રેમ સહિત,</poem>
}}
{{Role
|role_name = {{Color|Red|સૂત્રધાર:}}
}}
{{Story
|story =<poem>થોડા સમય પછી રવીન્દ્રનાથને લાગ્યું
કે પૂનામાં થયેલા કરારમાં બંગાળને અન્યાય થયો છે.</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}}
}}
{{Story
|story = <poem>મારે પ્રેસમાં નિવેદન આપવું પડ્યું.
મને યાદ છે કે મેં વડાપ્રધાનને તાર કર્યો હતો કે
શ્રી ગાંધીએ તેમને મોકલેલી કોમી એવૉર્ડની દરખાસ્ત સ્વીકારવામાં વિલંબ ન કરવો જોઈએ.
તે સમયે અત્યંત વેદનાદાયક પરિસ્થિતિ હોઈ
શાંત ચિત્તે પૂના કરારનાં પરિણામો વિશે
વિચારવાનો અવકાશ રહ્યો ન હતો.
તદુપરાંત તે પરિષદમાં
બંગાળના કોઈ જવાબદાર પ્રતિનિધિએ પણ
ભાગ લીધો ન હતો.
આ પ્રશ્નના નિરાકરણ ઉપર
શ્રી ગાંધીના જીવનનો આધાર હતો
અને આવી કટોકટીથી ઊભી થતી અસહ્ય વ્યાકુળતાને કારણે એવો નિર્ણય લેવાઈ ગયો
જેે વધુ વિચારતાં
આપણા દેશના લાંબા ગાળાના લાભમાં નથી લાગતો.
શ્રી ગાંધી માટેના અગાધ પ્રેમ
અને તેમની ભારતીય રાજકારણની સમજમાં
સંપૂર્ણ શ્રદ્ધા હોવાથી
તેમ જ મારા રાજકારણના બિનઅનુભવને કારણે
હું વધુ વિચાર કરવા બેઠો નહીં
અને હવે મને લાગે છે કે
કમનસીબે બંગાળને ભાગે ન્યાયનો ભોગ આવ્યોે છે.
શ્વેતપત્રમાંની બીજી બધી દરખાસ્તો પર
ફેરવિચારણા થઈ રહી છે
જ્યારે અંગ્રેજ સરકાર અમારે માટે અગત્યના વિષય પર ફરીથી વિચાર કરવાનું ઉચિત નથી માનતી
તેનાથી મને આશ્ચર્ય કે દુ:ખ નથી થતું
પણ પરિષદના અન્ય પ્રાંતના ભારતીય સભ્યો
બંગાળના બદ્‌નસીબ પ્રત્યે માત્ર ઉદાસીન જ નથી
પણ તેને સક્રિય સમર્થન આપે છે
જે આપણા ભાવિ માટે અમંગળ એંધાણ આપે છે.</poem>
}}
{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી:}}
}}
{{Story
|story = <poe,>પ્રિય ગુરુદેવ,
બંગાળને સ્પર્શતા યરવડા કરાર અંગેનું
તમારું પ્રેસમાં આપેલું નિવેદન મારા ધ્યાનમાં આવ્યું છે.
બંગાળને અન્યાય કરતા કરારને સંમતિ આપવામાં
તમે તમારા મારા પ્રત્યેના પ્રેમ અને વિશ્વાસને કારણે ભૂલ કરી બેઠા તે જાણીને મને અત્યંત દુ:ખ થયું છે.
પણ હું દૃઢતાપૂર્વક માનું છું કે કાંઈ પણ ભૂલ થઈ નથી.
મેં પોતે વિચાર કર્યો અને
માહિતગાર મિત્રો સાથે પણ ચર્ચા કરી.
ત્યાર પછી પણ મને લાગતું નથી કે
બંગાળને અન્યાય થયો છે.
જો મને લાગે કે ભૂલભર્યો નિર્ણય લેવાયો છે
તો તે ભૂલ સુધારવા માટે
હું મારાથી બનતું બધું જ કરી છૂટતે.
નિષ્ઠાપૂર્વક તમારો,</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}}
}}
{{Story
|story = <poem>પ્રિય મહાત્માજી,
મને ખાતરી છે કે
જો પુના કરારને ફેરવિચારણા વિના સ્વીકારવામાં આવશે
તો તેનાથી અમારા પ્રાંતમાં કોમી ઇર્ષ્યાનાં મૂળ નંખાશે
અને અંતે શાંતિમાં સતત ખલેલ પડશે
તેમ જ પરસ્પર સહકારના વાતાવરણમાં
જીવલેણ અવરોધ ઊભો થશે.
સન્માન અને પ્રેમ સહિત,
થોડા દિવસ પછી એક આખરી પત્ર,
પ્રિય મહાત્માજી,
આ બેચેનીની ક્ષણોમાં તમને સંપૂર્ણ આરામની જરૂર છે
તે હું સમજું છું
અને શારીરિક તેમ જ માનસિક શ્રમના દિવસો પછી
મારે તમને પુના કરારની વિગતવાર ચર્ચા કરીને
ખલેલ નથી પહોંચાડવી.
તમને સંતોષ છે કે બંગાળને અન્યાય નથી થયો.
જો આ કરારમાં સુધારો કરવામાં નહીં આવે
તો બંગાળના સામાજિક અને રાજકીય જીવનને
ગંભીર હાનિ પહોંચશે એમાં કોઈ શંકાને સ્થાન નથી
એ જાણ્યા પછી
મારે માટે તમારું મંતવ્ય ચુપચાપ સ્વીકારી લેવાનું શક્ય નથી.
સત્યનું એક અગત્યનું સ્વરૂપ છે ન્યાય.
તાત્કાલિક શાંતિ કે ઉતાવળમાં
કોઈ રાજકીય ગૂંચ ઉકેલવા માટે જો તેને અવગણવામાં આવે તો લાંબા ગાળે જેમને તેનાથી લાભ થયો હોય
તેમણે તેનો પ્રત્યાઘાત ભોગવવો જ પડશે
અને સહેલાઈથી મળેલા લાભની
ભારે કિંમત ચૂકવવાની રહેશે.
હું રાજદ્વારી માણસ નથી
અને આ બાબતને માનવતાના દૃષ્ટિબિંદુથી જોઉં છું.
જ્યારે ન્યાયની બાબતમાં માનવતાને અવગણવામાં આવે છે ત્યારે તેને ક્રૂર હાનિ થાય છે.
ગંભીર વિચારણા પછી જે અભિપ્રાય પર હું આવ્યો છું
તે આ પત્રમાં મેં પ્રસ્તુત કર્યો છે.
તેના જવાબની હું કોઈ જ જરૂરિયાત જોતો નથી.
પ્રેમ અને સન્માન સહિત,</poem>
}}
{{Role
|role_name = {{Color|Red|સૂત્રધાર:}}
}}
{{Story
|story = <poem>૧૯૩૪માં બિહારમાં ધરતીકંપ થયો હતો.</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}}
}}
{{Story
|story = <poem>પ્રેસના હેવાલ મુજબ
તમે તાજેતરમાં બિહારના ધરતીકંપ અંગે
એક ભાષણમાં નીચે મુજબ કહ્યું હતું,
હરિજનો સામેના આપણા પાપની સજા
કુદરતે ધરતીકંપથી આપી છે
એમ માનવા જેટલા વહેમી મારી જેમ થશો
એવી હું આશા રાખું છું.
હું આ માની નથી શકતો.
પણ જો તમે સાચે જ આમ માનતા હો
તો મારે તેનો વિરોધ કરવો જ રહ્યો.
આ સાથે મારો પ્રત્યુત્તર મોકલું છું.
જો પ્રેસનો હેવાલ સાચો હોય તો
તમે આને પણ પ્રેસમાં મોકલશો?
મહાત્માજીએ ઉદારતાથી મારો પ્રત્યુત્તર હરિજનમાં છપાવ્યો.
જેઓ વગર વિચારે પોતાની સામાજિક રૂઢિ પ્રમાણે અસ્પૃશ્યતાની પ્રણાલી જાળવી રાખે છે
તેમના પર મહાત્માજીનો આક્ષેપ છે કે
ઈશ્વરે તેમના પર વેર લેવા બિહારના કેટલાક ભાગ પર પોતાની નારાજગી પ્રદર્શિત કરતી પાયમાલી વરસાવી છે.
આવો વિજ્ઞાનથી વિપરીત દૃષ્ટિકોણ
મોટા ભાગના આપણા દેશવાસીઓ સ્વીકારી લે છે
તે વધારે કમનસીબીની વાત છે.
ભૌતિક આપત્તિઓનું મૂળ અનિવાર્યપણે
ભૌતિક સત્યોના એકત્રિત જૂથમાં રહેલું છે
એ સત્ય ઉચ્ચારતાં મહાત્માજીના વિધાનમાં રહેલી
તાર્કિક વિસંગતતા વધુ ઉપસી આવે છે.
ઈશ્વર પણ જેમાં દખલગીરી નથી કરતો
એવા કુદરતના નિષ્ઠુર નિયમોમાં
આપણે જો ન માનતા હોઈએ
તો આવી ભીષણ આપત્તિના સમયે
ઈશ્વરની કામ કરવાની રીતનેે વ્યાજબી ઠરાવવી અસંભવ છે.
જો આપણે નૈતિક સિદ્ધાંતોને
વૈશ્વિક ઘટના સાથે સાંકળી લઈએ
તો આપણે સ્વીકારવું પડે કે
માણસની પ્રકૃતિ નૈતિક દૃષ્ટિએ
ઈશ્વર કરતાં ચડિયાતી છે
કારણ ઈશ્વર સારી વર્તણૂંકનો બોધપાઠ
નિમ્નતમ વર્તણૂંકના વ્યભિચાર દ્વારા આપે છે.
આપણે ક્યારેય
કોઈ એવા સંસ્કૃત શાસકની કલ્પના કરી શકીએ
જે દૂર વસતા અને કઠોર શિક્ષાને પાત્ર લોકો પર
દાખલો બેસાડવા માટે
નાના બાળકો અને અસ્પૃશ્યોને શિકાર બનાવે?
દુ:ખદ વાત તો એ છે કે
આવી વૈશ્વિક દુર્ઘટનાનો ગેરલાભ લેતી દલીલ
મહાત્માજી કરતાં એમના વિરોધીઓના માનસને
વધુ શોભે તેવી છે.
તેઓ જો મહાત્માજી અને એમના અનુયાયીઓને
આ દિવ્ય પ્રકોપ માટે જવાબદાર ગણતા હોત
તો મને જરાય આશ્ચર્ય ન થાત.
અમને તો સંપૂર્ણ વિશ્વાસ છે કે
અમારા પાપ અને ક્ષતિઓ ગમે તેટલાં મહાકાય હોય, તેમનામાં સૃષ્ટિના સર્જનને
વિલયના માર્ગે દોરી જવાની શક્તિ નથી.
દેશવાસીઓના મગજમાં
નિર્ભયતા અને આશ્ચર્યપૂર્ણ પ્રેરણાનું સિંચન કરવા માટે
મહાત્માજીનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે.
પણ જ્યારે તેમના જ શબ્દો
એ જ મગજમાં તર્કથી વિસંગત વિચારોનું નિરૂપણ કરે છે ત્યારે અમેે અત્યંત ખેદપૂર્ણ લાગણી અનુભવીએ છીએ.
મુક્તિ અને આત્મસન્માનનો વિરોધ કરતા
બધા જ અંધ પરિબળોના સ્રોતનું મૂળ છે તર્કથી વિસંગતતા.</poem>
}}
{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી: }}
}}
{{Story
|story = <poem>તેમના મહાન સંસ્થાનના રહેવાસીઓની જેમ જ
શાંતિનિકેતનના મહાકવિ મારે માટે પણ ગુરુદેવ જ છે.
અમારા બેની વચ્ચેના મતભેદોની જાણ
અમને ઘણા સમય પહેલાં થયેલી છે.
બિહારની આપત્તિને મેં
અસ્પૃશ્યતાના પાપ સાથે સાંકળી લીધી
તેની સામેના તેમના તાજેતરનાં વક્તવ્યથી
તેમાં કોઈ વધારો થતો નથી.
તેમને જ્યારે પણ મારી ભૂલ દેખાય
ત્યારે મારો વિરોધ કરવાનો તેમને સંપૂર્ણ અધિકાર છે.
તેમના પ્રત્યેના મારા પ્રગાઢ આદરને કારણે
હું બીજા કોઈપણ ટીકાકાર કરતાં તેમને
વધુ ધ્યાનપૂર્વક સાંભળીશ.
તેમનું નિવેદન ત્રણ વાર વાંચ્યા પછી પણ
આ કટારમાં વ્યક્ત થયેલા મારા મતને હું વળગી રહું છું.
હું હંમેશા માનતો આવ્યો છું કે ભૌતિક ઘટનાઓના ભૌતિક તેમ જ આધ્યાત્મિક પરિણામો હોય છે.
તેનાથી વિરૂદ્ધ પણ એટલું જ સાચું છે એમ હું માનું છું.
મારે માટે ધરતીકંપ ઈશ્વરની સ્વચ્છંદી પ્રકૃતિનું ઉદાહરણ કે અંધ પરિબળોનું પરિણામ નથી.
ઈશ્વરના બધાજ નિયમો
કે તેના નિયમન વિશે આપણે જાણતા નથી.
દુકાળ, પૂર, ધરતીકંપ ઇત્યાદિ
કુદરતી આફતોનું મૂળ ભૌતિક લાગતું હોવા છતાં
મારે માટે કોઈ અગમ્ય કારણસર
તે માણસની નૈતિકતા સાથે સંબંધ ધરાવે છે.
તેથી મને સહજભાવે જ લાગ્યું કે
ધરતીકંપ અસ્પૃશ્યતાના પાપની કુદરતે કરેલી સજા છે.
સનાતનીઓ જરૂર કહી શકે છે કે
તે મારી અસ્પૃશ્યતા વિરોધી ઝુંબેશના ગુનાની સજા છે. જેમ ઈશ્વરના અસ્તિત્વની સાબિતી
ન માનનારને આપવી અસંભવ હોવા છતાં
મારે માટે ઈશ્વરમાં ન માનવું અશક્ય છે,
તેમ જ અસ્પૃશ્યતાના પાપ
અને બિહારની કુદરતી આફત વચ્ચેનો સંબંધ
હું સાબિત ન કરી શકતો હોવા છતાં
તેને હું સહજપણે અનુભવું છું.
અમારા પાપ અને ક્ષતિઓ ગમે તેટલાં મહાકાય હોય,
તેમનામાં સૃષ્ટિના સર્જનને
વિલયના માર્ગે દોરી જવાની શક્તિ નથી,
આવો ગુરુદેવ જેવો વિશ્વાસ મને નથી.
હું તો એમ માનું છું કે કોઈ પણ ભૌતિક ઘટના કરતાં સર્જનનો વિનાશ કરવાની વધુ શક્તિ આપણા પાપમાં છે.
પદાર્થ અને ચેતના વચ્ચે એક અતૂટ બંધન છે.
આપણા અજ્ઞાનને કારણે
આ બંધનનાં પરિણામો રહસ્યમય છે
અને આપણામાં આદરપૂર્ણ ભય પ્રેરે છે
પણ આપણે બંધનને છોડી શકતા નથી.
મારે માટે
વૈશ્વિક ઘટના અને માનવીના આચરણ વચ્ચેની કડી
એક જીવંત શ્રદ્ધા છે જે મને નમ્ર બનાવે છે,
ઈશ્વરની વધુ નજીક લઈ જાય છે
અને તેની સમક્ષ આવવા તૈયાર કરે છે.
જો હું અજ્ઞાનતાપૂર્વક આવી માન્યતાનો ઉપયોગ
મારા વિરોધીઓનો ઉધડો લેવા માટે કરું
તો તેને નિમ્નતમ વહેમ જ કહેવો પડે. </poem>
}}
{{Role
|role_name = {{Color|Red|સૂત્રધાર: }}
}}
{{Story
|story = <poem>એક વર્ષ પછી.</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}}
}}
{{Story
|story = <poem>પ્રિય મહાત્માજી,
ત્રીસથી વધારે વર્ષોથી મેં મારું સર્વસ્વ
મારા જીવનના લક્ષ્યને અર્પણ કર્યું છે.
બધી જ મુશ્કેલીઓનો પ્રતિકાર મેં એકલે હાથે કર્યો છે.
મારી અથાગ જહેમત દ્વારા
સંસ્થાનો વિવિધ સ્વરૂપમાં વિકાસ થયો છે.
હવે જ્યારે હું પંચોતેરનો થયો છું
ત્યારે મને મારી જવાબદારીઓનો બોજો
મારે માટે અત્યંત ભારે લાગે છે.
ઝોળી ફેલાવીને થતા અવિરત પ્રવાસો
અને તેના હાસ્યાસ્પદ અને ક્ષુલ્લક પરિણામોએ
મારી રોજિંદી ચિંતામાં વધારો કર્યો છે
અને હવે હું થાકની પરાકાષ્ટા પર પહોંચી ગયો છું.
હું બીજા કોઈને જાણતો નથી
જે મને મારા જીવન અને સ્વાસ્થ્યની ઢળતી સાંજે
આ સદાકાળની ચિંતામાંથી મુક્તિ અપાવી શકે.
ઊંડા પ્રેમ સહિત,</poem>
}}
{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી:}}
}}
{{Story
|story = <poem>પ્રિય ગુરુદેવ,
જોઈતા પૈસા મેળવવા માટે હું બધો જ પ્રયત્ન કરીશ
તે માટે તમે બેફિકર રહેજો.
હું રસ્તો શોધી રહ્યો છું.
મારી શોધનાં પરિણામ તમને જણાવવામાં
થોડો સમય લાગશે.
તમારી વયે
તમારે ઝોળી ફેલાવીને પ્રવાસ કરવો પડે
તેનો વિચાર માત્ર અસ્વીકાર્ય છે.
તમારા શાંતિનિકેતનની બહાર નીકળ્યા વિના
જરૂરી ભંડોળ તમારી પાસે પહોંચી જ જવું જોઈએ.
સન્માનીય પ્રેમ સહિત, તમારો,
થોડાક માસ પછી
ગુરુદેવ જ્યારે તેમના શાંતિનિકેતનની નાટકમંડળી સાથે દિલ્હીમાં હતા ત્યારે મેં લખ્યું,
પ્રિય ગુરુદેવ,
મારા નબળા પ્રયાસને ઈશ્વરના આશીર્વાદ મળ્યા છે.
આ સાથે પૈસા મોકલાવું છું.
ઈશ્વર તમને લાંબા સમય સુધી સલામત રાખે,
સપ્રેમ તમારો,</poem>
}}
{{Role
|role_name = {{Color|Red|સૂત્રધાર:}}
}}
{{Story
|story = <poem>સાથે એક પત્ર હતો, તેમાં લખ્યું હતું,
આ સાથે રૂ. ૬૦,૦૦૦/-નો ડ્રાફ્ટ બીડ્યો છે
જે શાંતિનિકેતનના ખર્ચમાં ખૂટતી રકમ છે
અને તે ભેગી કરવા
આપ આપની કલાનું પ્રદર્શન વિવિધ સ્થળે કરો છો.
આ સાંભળતા અમે શરમિંદા થઈ ગયા હતા.
અમે માનીએ છીએ કે આપની વયે
અને આપના કથળતા સ્વાસ્થ્ય સાથે
આપને આવા શ્રમદાયક પ્રવાસો ન કરવા જોઈએ.
આપ માત્ર ભારતના જ શ્રેષ્ઠ કવિ નથી,
આપ તો માનવતાના કવિ છો.
આપનાં કાવ્યો વાંચતાં પ્રાચીન ઋષિઓની ઋચા યાદ આવે છે. અમને લાગે છે કે
ઈશ્વરે જેમને સમૃદ્ધિના આશીર્વાદ આપ્યા છે
તેમણે તમને તમારી સંસ્થા માટે જરૂરી ભંડોળ
ભેગું કરવાની જવાબદારીમાંથી મુક્ત કરવા જોઈએ.
એ દિશામાં આ અમારું નમ્ર પ્રદાન છે.
અમે અમારું નામ જાહેર કરવા માંગતા નથી
તેમ જ તેના કારણો આપવાની જરૂર જોતા નથી.
અમે આશા રાખીએ છીએ કે
હવે આપ ઉપર જણાવેલ રકમ ઉઘરાવવા માટે
ગોઠવેલાં બધાં જ રોકાણો રદ કરશો.
આપણા દેશની સેવામાં સમર્પિત
આપના દીર્ઘ જીવન માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ.
અમે છીએ, આપના નમ્ર દેશવાસીઓ,
૧૯૩૭ના આરંભમાં,</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}}
}}
{{Story
|story = <poem>મારા પ્રિય મહાત્માજી,
મેં તમને આપણી વિશ્વ ભારતીના આજીવન ટ્રસ્ટી તરીકે નિમવાની ધૃષ્ટતા કરી છે.
જે સંસ્થાને મેં મારા જીવનનું સર્વશ્રેષ્ઠ અર્પણ કર્યું છે
તેના એક વાલી તરીકે તમે છો એ જાણીને
મારા અંતિમ વર્ષોમાં મને સાંત્વન મળશે.
જુદા પરબીડિયામાં મોકલાઈ રહેલી
કાયદા અને નિયમોની પત્રિકામાંથી તમે જોઈ શકશો કે અવારનવાર સલાહ આપવા સિવાય
તેમ જ સંસ્થાની નાણાંકીય સલામતી અંગે
નિર્ણય લેવા સિવાય
બીજા કોઈ કામનો બોજો તમારે માથે નહીં આવી પડે.
મારી જવાબદારી તમારી સાથે વહેંચવામાં
મને કાંઈ અનુચિત નથી લાગતું.
હું જાણું છું કે
આપણી પ્રવૃત્તિના ક્ષેત્રમાં રહેલા મતભેદોને કારણે
આપણી વચ્ચેના
પરસ્પર પ્રેમ અને સમાન આકાંક્ષાનું બંધન ઢીલું નહીં થાય.
હું આશા રાખું છું કે
તમે મને આ વિશિષ્ટ અધિકાર આપશો.
સસ્નેહ તમારો,</poem>
}}
{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી:}}
}}
{{Story
|story = <poem>પ્રિય ગુરુદેવ,
તમારો ૧૦મીનો પત્ર મને પાંચ દિવસ પહેલાં મળ્યો હતો.
મારા પ્રત્યેનો તમારો પ્રેમ અને વિશ્વાસ
તેની દરેક પંક્તિમાં દેખાઈ આવે છે
પણ મારી પોતાની મર્યાદાઓનું શું?
મારા પર તમે લાદવા ધારેલો બોજો વહન કરવો
મારા ગજા બહારની વાત છે.
તમારા પ્રત્યેનો આદર મને એક દિશામાં ખેંચી જાય છે અને મારી મર્યાદાઓનો વિચાર સામેની દિશામાં.
આવા મુદ્દામાં લાગણીને તાબે થવું
મારે માટે મૂર્ખામી કહેવાય.
હું સમજું છું કે જો હું જવાબદારી સ્વીકારું
તો મારે વહીવટી વિગતોમાં ઉતરવાની જરૂર નહીં પડે પણ તેમાં સંસ્થાને જરૂરી નાણાંકીય સાધનો ઊભા કરવાની જવાબદારીનો પરોક્ષ સ્વીકાર થાય છે.
બે દિવસ પહેલાં મેં જે સાંભળ્યું
તેનાથી મારી અનિચ્છામાં ઉમેરો થયો છે.
મને કહેવામાં આવ્યું છે કે
મને દિલ્હીમાં આપેલા વચનનો અનાદર કરીને
તમે ફરી એકવાર ઝોળી ફેલાવવા અમદાવાદ જવાના છો.
મને સાંભળીને દુ:ખ થયું અને હું પગે પડીને
તમને વિનંતી કરું છું કે તમારો પ્રવાસ રદ કરો.
અને મારી ટ્રસ્ટી તરીકેની નિમણૂંક
તો પાછી ખેંચી જ લેશો.
પ્રેમ અને સન્માન સહિત,</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}}
}}
{{Story
|story = <poem>પ્રિય મહાત્માજી,
તમે મને સમજવામાં ગંભીર ભૂલ કરી છે,
માત્ર એક શંકાને કારણે!
તમારા ઉદાત્ત અને ઉદાર સ્વભાવથી આ કેટલું જુદું છે!
હું વેદનાપૂર્ણ આશ્ચર્યથી હેબતાઈ ગયો છું.
શરમજનક છે કે મારે કહેવું પડે કે
તમને વિશ્વ ભારતીના ટ્રસ્ટી બનાવીને
તમારા નામનો દુરુપયોગ કરીને
નાણાંકીય સહાય મેળવવાનો મારો ઈરાદો ન હતો.
મને લાગે છે કે કોઈ પણ કારણસર
જો એ મારી ભૂલ હોય તો
હું મારી વિનંતી પાછી ખેંચું છું અને તમારી ક્ષમા માંગું છું.
તમારા પત્રમાં તમે મારા ઉપર
દિલ્હીમાં આપેલા વચનનો ભંગ કરીને
ભંડોળ ભેગું કરવા અમદાવાદ જવાનો
વિચિત્ર આક્ષેપ મૂક્યો છે.
તમને ખરી હકીકતની જાણ ન હતી
અને તેથી મારા પર આવો આક્ષેપ મૂકવાનું
બિલકુલ ઉચિત ન કહેવાય.
જવાબમાં મને સ્પષ્ટતા પૂર્વક કહેવા દો કે
જેને હું મારું કર્તવ્ય માનું છું
તેનું ગૌરવ સમજવામાં તમને તમારો સ્વભાવ આડે આવે છે.
મારું કર્તવ્ય માત્ર ભારતના આર્થિક પ્રશ્નો કે
તેના સાંપ્રદાયિક ધર્મો પૂરતું સીમિત નથી
પરંતુ માનવીના મગજની સંસ્કૃતિને
તેના વ્યાપક અર્થમાં સમજવાનો પ્રયત્ન કરે છે.
જેમાં સૌંદર્યના શાશ્વત મૂલ્યો સમાયાં છે
તેવાં મારા કાવ્યમય સર્જનોને જનતા સમક્ષ મૂકવાની
મારી ઇચ્છા થાય ત્યારે તેના બદલામાં
પ્રતિભાવ આપવા જેટલા સંવેદનશીલ માણસો પાસેથી
હું દાન કે કૃપાની નહીં
પણ મારી કલાને કૃતજ્ઞ અંજલિની અપેક્ષા રાખું છું.
અને જો મારે પ્રેક્ષકો પાસેથી પ્રવેશ ફી તરીકે
કોઈ પ્રદાન મેળવવું પડે
તો તેમની સમક્ષ પ્રસ્તુત થતા વિરલ લાભના બદલામાં
તે મને મળવું જોઈએ તેના કરતાં ઘણું ઓછું છે.
તેથી તમારો ઝોળી ફેલાવવાનો શબ્દપ્રયોગ
જે તમારી કલમની સ્પષ્ટ કે ચોક્કસ અભિવ્યક્તિ નથી
અને તેને શોભતી પણ નથી
તેનો હું ધરાર અસ્વીકાર કરું છું.
અસ્તિત્વના આનંદમાં ઉમેરો કરવામાં
સર્જકને સહયોગ આપવાનું તેનું કર્તવ્ય સમજવું
અને પોતાના કર્તવ્યમાં ગંભીર શ્રદ્ધા રાખવી
એ કવિના ધર્મનો એક અંશ છે.
જ્યારે મેં કેળવેલા કલાકારો
મારા સૌંદર્યના સ્વપ્નની અભિવ્યક્તિ
તેમની તાલબદ્ધ અંગભંગી અને અવાજથી આપી રહ્યા હોય ત્યારે તેમની બાજુમાં બેસીને
તેમને કહેવું કે તેઓ સુંદર કામ કરી રહ્યા છે
તેનાથી વધારે મને કાંઈ જ ગમતું નથી
એ મારે સ્વીકારવું જ જોઈએ.
નિષ્ઠાપૂર્વક તમારો,</poem>
}}
{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી:}}
}}
{{Story
|story = <poem>પ્રિય ગુરુદેવ,
તમારા પત્રથી મને અત્યંત માનસિક પીડા થઈ છે.
પ્રેમ અને સન્માનપૂર્વક લખાયેલો એક પત્ર
આટલી બધી ગેરસમજુતી ઊભી કરી શકે
તે એક આશ્ચર્યજનક ઘટના છે.
શંકાનો કોઈ પ્રશ્ન જ ન હતો
અને માટે તમને સમજવામાં ભૂલ કરવાનો પણ
પ્રશ્ન ન જ ઊભો થાય.
ટ્રસ્ટી તરીકે રહેવામાં રહેલી જવાબદારીઓ
હું જે રીતે સમજ્યો છું તે તમારી સમક્ષ રજુ કરું છું.
હું બીજી સંસ્થાઓમાં ટ્રસ્ટી રહી ચૂકેલો છું
અને તેમની નાણાંકીય જરૂરિયાતો યોગ્ય રીતે સચવાય
તે જોવામાં મેં મારી જાતને ઘસી નાંખી છે.
જો હું વિશ્વ ભારતીનો બોજો સ્વીકારું
તો મારે ઓછામાં ઓછો
તેનો નાણાંકીય ભાર તો વહેવો જ પડે.
વચનભંગની વાતમાં તો હું એમ માનું છું કે
આપણે એકબીજાની એટલા નજીક છીએ કે
ગંમતમાં હું તમારા પર વચનભંગનો આક્ષેપ મૂકી શકું.
મારો હેતુ સાવ સીધોસાદો હતો.
યેન કેન પ્રકારેણ
મારે તમારા ઝોળી ફેલાવવાના પ્રવાસો ટાળવા હતા.
આ શબ્દપ્રયોગ તો આપણે દિલ્હીમાં
એકથી વધારે વાર વાપરેલો છે.
તમે આપી શકો તેટલું આપો, તે અમને ગમશે
પણ તમારી જનતા સમક્ષની અભિવ્યક્તિમાં
ક્યારેય વિશ્વભારતી માટે ભંડોળ ભેગું કરવાનો
ભાર ન હોવો જોઈએ.
આશા રાખું છું કે આ પત્રથી
મારા આગળના પત્રથી થયેલું દુ:ખ ઓછું થશે.
પ્રેમ અને સન્માન સહિત, તમારો,</poem
}}




26,604

edits